Ahmedabad : લેન્ડ ગ્રેબિંગ મામલે જિલ્લા કલેક્ટરનું કડક વલણ, અધિકારીઓને અપાયા જરૂરી નિર્દેશ અને સૂચન

અમદાવાદના કલેકટર સંદિપ સાગલેએ આવા કેસોમાં યોગ્ય અભિપ્રાય ન આપી જમીન - પચાવી પાડનારાઓને આડકતરી રીતે મદદ કરવા બદલ સંલગ્ન અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Ahmedabad : લેન્ડ ગ્રેબિંગ મામલે જિલ્લા કલેક્ટરનું કડક વલણ, અધિકારીઓને અપાયા જરૂરી નિર્દેશ અને સૂચન
land grabbing case
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Aug 19, 2021 | 3:39 PM

રાજ્ય સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ મામલે તટસ્થ તપાસ કરવા જિલ્લા વિભાગને સૂચન કરાયા છે. જે મામલે જિલ્લા કલેકટર દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. કેમ કે લેન્ડ ગ્રેબિંગ કેસમાં તમામ આધાર જિલ્લા કલેકટર પર છે. જોકે કેટલાક અધિકારી દ્વારા જિલ્લા કલેકટરને પૂરતી વિગત નહિ અપાતા કાર્યવાહીમાં વિલંબ થઈ રહ્યો છે. જેને લઈને 18 ઓગસ્ટ મળેલી મિટિંગમાં જિલ્લા કલેકટરે લેન્ડ ગ્રેબિંગ મામલે કડક વલણ અજમાવ્યું છે. આ સાથે જ અધિકારીઓને જરૂરી નિર્દેશ કર્યા તેમજ સૂચન પણ કર્યા.

અમદાવાદના કલેકટર સંદિપ સાગલેએ આવા કેસોમાં યોગ્ય અભિપ્રાય ન આપી જમીન – પચાવી પાડનારાઓને આડકતરી રીતે મદદ કરવા બદલ સંલગ્ન અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે જમીન પચાવી પાડવાના કેસોમાં કલેકટરનો અભિપ્રાય સર્વોપરી મનાય છે. કારણ કે પોલીસ તેના આધારે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 હેઠળ કાર્યવાહી કરે છે.

જમીન માફિયાઓને હકદાર માલિકો પાસેથી જમીન પડાવી લેવાથી નિરાશ કરવા માટે આ કાયદો રજૂ કરવામાં આવ્યો હતો. જો કે, મહેસૂલ અધિકારીઓ દ્વારા કોઈ સ્પષ્ટ અભિપ્રાય આ આવતા પોલીસ કાર્યવાહી થઈ શકતી નથી. ત્યારે બુધવારે સંદિપ સાગલે દ્વારા જમીન પચાવી પાડવાના કેસોની સમીક્ષા કરવા માટે બોલાવેલી બેઠકમાં તેમણે અધિકારીઓને તેમના વલણ અને મંતવ્યો ને લઈને આકરા સુચન કર્યા હતા.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

મહત્વનું છે કે અગાઉ તેમણે અધિકારીઓને મહેનતુ થવાનો નિર્દેશ આપ્યો હતો પરંતુ કોઈ સફળતા ન મળતા છેલ્લો ઉપાય તરીકે તેમણે અધિકારીઓને ચેતવણી આપી છે અથવા કડક કાર્યવાહીનો સામનો કરવા કહ્યું. મહત્વનું છે કે અમદાવાદમાં જમીનના ભાવમાં વધારા સાથે જમીન પચાવી પાડવાના કેસો વધી રહ્યા છે. આવી પ્રવૃત્તિઓને રોકવા અને જમીન પચાવી પાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 લાગુ કરવામાં આવ્યો હતો.

કાયદાની જોગવાઈ ઓ અનુસાર જમીન પચાવી પાડતી ફરિયાદો સાંભળવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિ, જે દર મહિને મળે છે અને દોષિતો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાનો આદેશ આપતા પહેલા ફરિયાદો લે છે અને તેમની સમીક્ષા કરે છે. 18 ઓગસ્ટ બુધવારે મળેલી બેઠકમાં 63 કેસોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ચાર કેસમાં 10 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

તો સમિતિની પ્રથમ બેઠક આ વર્ષે 28 મેના રોજ યોજાઈ હતી જેમાં 101 અરજીઓ આકારણી માટે લેવામાં આવી હતી. બીજી બેઠક 18 જૂને યોજાઈ હતી જેમાં 69 અરજીઓની સમીક્ષા કરવામાં આવી હતી. 29 જુલાઈએ મળેલી બેઠકમાં 105 અરજીઓ સમિતિની વિચારણા માટે મુકવામાં આવી હતી. જોકે, બુધવારે માત્ર 63 અરજીઓ સમિતિ સમક્ષ મુકવામાં આવી હતી અને 10 વ્યક્તિઓ સાથે સંકળાયેલા ચાર કેસોમાં પોલીસ કાર્યવાહીના આદેશો જારી કરવામાં આવ્યા હતા. તો અગાઉ 26 અરજીઓમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

અત્યાર સુધી કુલ કુલ 590 અરજી આવી જેમાં 303 અરજી પર આદેશ કરાયા. જેમાં હાલ સુધીમાં 30 કેસમાં 128 વ્યક્તિઓ સામે પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Anand : વડતાલ સંસ્થામાં 1000 વિદ્યાર્થીઓને મફતમાં રહેવા ખાવા સાથે આધુનિક હોસ્ટેલની સુવિધા મળશે

આ પણ વાંચો :Anurag Thakur Jan Ashirvad Yatra : હિમાચલ ભવનથી અનુરાગ ઠાકુરની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ, પરવાનુમાં કરવામાં આવશે ભવ્ય સ્વાગત

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">