Ahmedabad : કૃષ્ણનગરમાં લૂંટનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો, લૂંટારુંને લોકોએ પકડી પોલીસને સોંપ્યો
અમદાવાદ (Ahmedabad) શહેરના કૃષ્ણનગર(Krishnanagar) વિસ્તારમાં બાઈક પર જઈ રહેલા દંપતી પાસે રહેલો મોબાઈલ તેમજ અન્ય વસ્તુની લુંટ (Loot) કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો છે.
અમદાવાદ (Ahmedabad) શહેરના કૃષ્ણનગર(Krishnanagar) વિસ્તારમાં બાઈક પર જઈ રહેલા દંપતી પાસે રહેલો મોબાઈલ તેમજ અન્ય વસ્તુની લુંટ (Loot) કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો છે. જેમાં બાઈક પર સવાર ત્રણ શખ્સમાંથી એક વ્યક્તિને લાત મારી હતી. જેથી લૂંટારૂની બાઈક પણ સ્લીપ થઈ તેમજ બાજુમાં પસાર થઈ રહેલી બાઈક પણ સ્લીપ થઈ હતી. જોકે આસપાસના લોકો એકઠા થઇ જતાં બે શખ્સો નાસી છૂટયા જ્યારે લુંટ કરવા આવેલો એક વ્યક્તિ પકડાઈ ગયો હતો. આ સમગ્ર બનાવ એવો છે કે બે દિવસ પહેલા રાત્રિના સમયે મોહનભાઈ તેમના પત્ની પુષ્પાબેનના સાથે બાઈક પર સેજપુર ટાવર ખાતે આવેલી ચૌધરી હોસ્પિટલમાં જમાઈને ટિફિન આપી પરત ઘર જઈ રહ્યા હતા ત્યારે રાત્રિના 11 વાગ્યાની આસપાસ કૃષ્ણનગર ચાર રસ્તા પાસે મોહનભાઈનાં ફોનમાં તેના દિકરા હરિનારાયણનો ફોન આવ્યો હતો. દીકરા સાથે વાત કરી મોહનભાઈ એ તેનો ફોન પાછળ બેઠેલા તેમના પત્નીને આપી દીધો હતો.
બંને શખ્સ રાધેકૃષ્ણ મંદિર તરફ ભાગી ગયા
આ અચાનક પાછળથી એક બાઇકમાં ત્રણ સવારીમાં અજાણ્યા શખ્સોએ મોહનભાઈના બાઈકની બાજુમાંથી પસાર થતી વખતે તેમાનો એક શખ્સે મોહનભાઈના પત્નીના હાથમાં રહેલો મોબાઈલ ફોન ઝૂંટવી લેવાની કોશિશ કરી પરંતુ શારદાબેન ફોન નહિ છોડતા એક શખ્સે શારદાબેનને પગ વડે લાત મારતા બંનેની બાઈક સ્લીપ થઇ હતી. જોકે બાઈક પરથી પડી જતાં દંપતીને ઇજાઓ થઇ હતી. બાદમાં દંપતીએ હિંમત દાખવી ઊભા થઈને ત્રણ શખ્સોને પકડવા જતાં એક શખ્સે પોતાની પાસે રહેલો એક મોટો છરો કાઢી અને બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આસપાસના લોકો ભેગા થઈ તે શકશે પોતાનો છરો તથા ફોન તેની સાથેના બીજા બે વ્યક્તિને આપી દીધા અને આ બંને શખ્સ રાધેકૃષ્ણ મંદિર તરફ ભાગી ગયા હતા.
જો કે આ શખ્સ પોતાનું બાઈક લઈ ભાગવા જતા તેને પાછળથી આવતા એક રિક્ષા ચાલકે પકડી પાડ્યો અને સ્થાનિક લોકો ભેગા થઈ જતાં તેને પોલીસને ફોન કરી આ વ્યક્તિને પોલીસને સોંપ્યો હતો. જયારે શારદાબેનને ઇજાઓ થતાં તેને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે તેની ફરિયાદ પરથી એક આરોપીની ધરપકડ કરી છે અને અન્ય બે વ્યકિતની શોધખોળ હાથ ધરી છે.