અમદાવાદની SVP હોસ્પિટલમાંથી નર્સિંગ કર્મચારીઓને છૂટા કરવા મુદ્દે વિવાદ વકર્યો

SVP હોસ્પિટલના વિરોધ કરતા કર્મચારીઓએ સત્તાધીશો પર ગંભીર આક્ષેપ મૂક્યા છે. જેમાં સત્તાધીશો ગુંડાગીરી પર ઉતરી આવ્યા હોવાનો નર્સિંગ કર્મચારીઓનો આક્ષેપ કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 11:37 PM

અમદાવાદ (Ahmedabad) મહાનગરપાલિકા સંચાલિત SVP હોસ્પિટલમાંથી નર્સિંગ કર્મચારીઓને(Nursing Staff) છુટા કરવાના કેસ બાદ વિવાદ વકર્યો છે. જેમાં SVP હોસ્પિટલના વિરોધ કરતા કર્મચારીઓએ સત્તાધીશો પર ગંભીર આક્ષેપ મૂક્યા છે. જેમાં સત્તાધીશો ગુંડાગીરી પર ઉતરી આવ્યા હોવાનો નર્સિંગ કર્મચારીઓનો આક્ષેપ કર્યો છે.

આ અંગે જણાવતા નર્સિંગ સ્ટાફે કહ્યું હતું કે અમારી સાથે રહેલા લોકોને ટોર્ચર કરવામાં આવ્યા છે. તેમજ બળજબરીપૂર્વક રાજીનામું લખાવવામાં આવતું હોવાનો આક્ષેપ પણ કર્યો છે. તેમજ વિરોધ કરી રહેલા કર્મચારીઓને SVPના ઓડિટોરિયમમાં બંધ કરી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

તેમજ કર્મચારીઓને ઓડિટોરિયમ રૂમમાં પૂરી લાઈટો બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કર્મચારીઓના મોબાઈલ પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે , કોરોના સમયે પણ સ્ટાફને લઈને Svp હોસ્પીટલ હતી વિવાદ રહી છે. જેમાં દર્દીઓ ન હોવા છતા એજન્સીઓને ફાયદો કરાવી આપવા નોધપાત્ર વધુ કર્મચારી રખાયા હતા. જેના લીધે દર્દીઓ ઓછા અને સ્ટાફ કર્મીઓ વધુ હોવા બાબતે વિવાદ ઉભો થયો હતો.

જ્યારે બીજી તરફ હાલ SVP હોસ્પિટલ કર્મચારી છુટા કરવાના મામલે બીજા દિવસે પણ વિરોધ યથાવત રહ્યો હતો. જેમાં 500થી વધુ સ્ટાફ ને છૂટા કરવામા આવ્યા છે. તેમજ હાલ SVP મા દર્દીઓની સંખ્યા સામે સ્ટાફ અનેક ગણો વધારે છે. તેમજ SVP મા દર્દી દાખલ ન થતા ખર્ચની સામે આવકમા નોધપાત્ર ધટાડો થયો છે. તેથી ખર્ચ ઘટાડવા કોન્ટ્રાક્ટ પરના માણસો ઓછા કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  ગુજરાતના પૂર્વ સીએમ રૂપાણીએ પાટણમાં પદ છોડવા અંગે આપ્યું આ નિવેદન

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં સરકાર નાઇટ કરફ્યુનો સમય લંબાવે તેવી શકયતા 

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">