Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : શાંતિપુરા સર્કલ પાસેના બ્રિજ નીચે ભરાયેલા પાણીથી લોકો પરેશાન, લોકોને રોગચાળો ફેલાવાની છે ભીતિ

શાંતિપુરા સર્કલ પાસે આવેલા બ્રિજ નીચેનો રસ્તો વિકસિત વિસ્તાર કહેવાય છે, પરંતુ ચોમાસા દરમિયાન આ વિસ્તારની પણ હાલત ખસ્તા બની છે. સનાથલ બ્રિજ નીચે રસ્તાની હાલત ખરાબ બની છે. વરસાદના કારણે રસ્તા ધોવાયા છે, ખાડા પડ્યા છે અને તે ખાડામાંથી વાહનો કૂદી કૂદીને પસાર થઈ રહ્યા છે.

Ahmedabad : શાંતિપુરા સર્કલ પાસેના બ્રિજ નીચે ભરાયેલા પાણીથી લોકો પરેશાન, લોકોને રોગચાળો ફેલાવાની છે ભીતિ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 14, 2023 | 2:28 PM

Ahmedabad : અમદાવાદમાં વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ વરસાદી સમસ્યા શહેરમાંથી વિરામ નથી લઈ રહી. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ અમદાવાદની ફરતે આવેલા એસ પી રીંગ રોડની આસપાસ રહેતા લોકો વગર વરસાદે (Rain) વરસાદી સમસ્યાથી પરેશાન છે. રસ્તા પર પડેલા ખાડા, ખાડામાંથી પસાર થતા વાહનો અને તેની વચ્ચે મૂકવામાં આવેલ વર્ક ઇન પ્રોગ્રેસનું બેરીકેડિંગ (Barricading) લોકો માટે મુશ્કેલીઓનું કારણ બન્યુ છે.

આ પણ વાંચો- Rajkot: રાજકોટમાં દુકાનદારની નજર ચુકવીને મહિલા સાડી ચોરીને રફુચક્કર, CCTV માં થઈ કેદ, જુઓ Video

શાંતિપુરા સર્કલ પાસે આવેલા બ્રિજ નીચેનો રસ્તો વિકસિત વિસ્તાર કહેવાય છે, પરંતુ ચોમાસા દરમિયાન આ વિસ્તારની પણ હાલત ખસ્તા બની છે. સનાથલ બ્રિજ નીચે રસ્તાની હાલત ખરાબ બની છે. વરસાદના કારણે રસ્તા ધોવાયા છે, ખાડા પડ્યા છે અને તે ખાડામાંથી વાહનો કૂદી કૂદીને પસાર થઈ રહ્યા છે. જેના કારણે વાહનોને તો નુકસાન થઈ જવું છે સાથે જ વાહનમાં બેઠેલા લોકોને શારીરિક અસર પણ પડી રહી છે. જે સમસ્યાના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.

Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો

સ્થાનિકોને રોગચાળો ફેલાવવાની છે ભીતિ

અમદાવાદના એસપી રિંગ રોડ શાંતીપુરા સર્કલ પાસે વરસાદી પાણીની સમસ્યાથી લોકો પરેશાન છે. સાથે જ તંત્રના અણધડ વહીવટના કારણે સ્થાનિકોની સમસ્યામાં વધારો થયો છે. સનાથલ સર્કલ પાસે બ્રિજ નીચે કેટલાક સમય પહેલા રસ્તો ચાલુ હતો કે જ્યાંથી લોકો બોપલ થઈ શાંતીપુરા બ્રિજ નીચેથી પસાર થઈ શકતા હતા.

જોકે સ્થાનિકોના આક્ષેપ પ્રમાણે ગટર લાઈનના કામ માટે ચોમાસા વચ્ચે જ રસ્તાને ખોદી દેવામાં આવ્યો અને તે બાદ વરસાદી માહોલ વચ્ચે કામ બંધ થયું. જે રસ્તો ખોદવામાં આવ્યો ત્યાં વરસાદી પાણી તો ભરાયા જ સાથે જ ગટરોના પાણી પણ બેક મારીને તે ખાડામાં ભરાઈ રહ્યા છે. જેના કારણે અસહ્ય દુર્ગંધ આવી રહી છે, તો રોગચાળો થવાની સ્થાનિકોને ભીતિ છે.

સમસ્યામાંથી મુક્તિ મળે તેવી લોકોની તંત્રને અપીલ

સમસ્યા અંગે સ્થાનિકોએ તંત્રને રજૂઆત પણ કરી છે. જોકે આ રજૂઆતનો કોઈ નિવેડો નહિ આવતા જે કામ પ્રશાસને કરવું જોઈએ તેના બદલે સ્થાનિકોએ તે ખોદકામ કરેલા રસ્તા ઉપર જ લોખંડનો નાનો પુલ બનાવીને અવરજવર કરવી પડી રહી છે. સ્થાનિકોએ સમસ્યામાંથી મુક્તિ મળે તેવી તંત્રને અપીલ પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે થોડાક મહિનાઓ પહેલા જ શાંતિપુરા ખાતે બ્રિજ શરૂ કરવામાં આવ્યો હતો. જેના કારણે ટ્રાફિકની સમસ્યા હળવી થઈ છે. પરંતુ તેની સામે હાલ સ્થાનિકો માટે વરસાદી સમસ્યા માથાનો દુખાવો બની છે. ત્યારે સવાલ એ થાય છે કે સ્થાનિકોની રજૂઆત બાદ તંત્ર ક્યારે જાગે છે, અને સ્થાનિકોની સમસ્યા દૂર થાય છે. કે પછી અન્ય વિસ્તારોની જેમ આ વિસ્તારના રહીશો અને વાહન ચાલકોએ વરસાદી સમસ્યાનો સામનો કરવો જ પડે છે.

નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">