AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : શાંતિપુરા સર્કલ પાસેના બ્રિજ નીચે ભરાયેલા પાણીથી લોકો પરેશાન, લોકોને રોગચાળો ફેલાવાની છે ભીતિ

શાંતિપુરા સર્કલ પાસે આવેલા બ્રિજ નીચેનો રસ્તો વિકસિત વિસ્તાર કહેવાય છે, પરંતુ ચોમાસા દરમિયાન આ વિસ્તારની પણ હાલત ખસ્તા બની છે. સનાથલ બ્રિજ નીચે રસ્તાની હાલત ખરાબ બની છે. વરસાદના કારણે રસ્તા ધોવાયા છે, ખાડા પડ્યા છે અને તે ખાડામાંથી વાહનો કૂદી કૂદીને પસાર થઈ રહ્યા છે.

Ahmedabad : શાંતિપુરા સર્કલ પાસેના બ્રિજ નીચે ભરાયેલા પાણીથી લોકો પરેશાન, લોકોને રોગચાળો ફેલાવાની છે ભીતિ
Darshal Raval
| Edited By: | Updated on: Jul 14, 2023 | 2:28 PM
Share

Ahmedabad : અમદાવાદમાં વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ વરસાદી સમસ્યા શહેરમાંથી વિરામ નથી લઈ રહી. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ અમદાવાદની ફરતે આવેલા એસ પી રીંગ રોડની આસપાસ રહેતા લોકો વગર વરસાદે (Rain) વરસાદી સમસ્યાથી પરેશાન છે. રસ્તા પર પડેલા ખાડા, ખાડામાંથી પસાર થતા વાહનો અને તેની વચ્ચે મૂકવામાં આવેલ વર્ક ઇન પ્રોગ્રેસનું બેરીકેડિંગ (Barricading) લોકો માટે મુશ્કેલીઓનું કારણ બન્યુ છે.

આ પણ વાંચો- Rajkot: રાજકોટમાં દુકાનદારની નજર ચુકવીને મહિલા સાડી ચોરીને રફુચક્કર, CCTV માં થઈ કેદ, જુઓ Video

શાંતિપુરા સર્કલ પાસે આવેલા બ્રિજ નીચેનો રસ્તો વિકસિત વિસ્તાર કહેવાય છે, પરંતુ ચોમાસા દરમિયાન આ વિસ્તારની પણ હાલત ખસ્તા બની છે. સનાથલ બ્રિજ નીચે રસ્તાની હાલત ખરાબ બની છે. વરસાદના કારણે રસ્તા ધોવાયા છે, ખાડા પડ્યા છે અને તે ખાડામાંથી વાહનો કૂદી કૂદીને પસાર થઈ રહ્યા છે. જેના કારણે વાહનોને તો નુકસાન થઈ જવું છે સાથે જ વાહનમાં બેઠેલા લોકોને શારીરિક અસર પણ પડી રહી છે. જે સમસ્યાના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.

સ્થાનિકોને રોગચાળો ફેલાવવાની છે ભીતિ

અમદાવાદના એસપી રિંગ રોડ શાંતીપુરા સર્કલ પાસે વરસાદી પાણીની સમસ્યાથી લોકો પરેશાન છે. સાથે જ તંત્રના અણધડ વહીવટના કારણે સ્થાનિકોની સમસ્યામાં વધારો થયો છે. સનાથલ સર્કલ પાસે બ્રિજ નીચે કેટલાક સમય પહેલા રસ્તો ચાલુ હતો કે જ્યાંથી લોકો બોપલ થઈ શાંતીપુરા બ્રિજ નીચેથી પસાર થઈ શકતા હતા.

જોકે સ્થાનિકોના આક્ષેપ પ્રમાણે ગટર લાઈનના કામ માટે ચોમાસા વચ્ચે જ રસ્તાને ખોદી દેવામાં આવ્યો અને તે બાદ વરસાદી માહોલ વચ્ચે કામ બંધ થયું. જે રસ્તો ખોદવામાં આવ્યો ત્યાં વરસાદી પાણી તો ભરાયા જ સાથે જ ગટરોના પાણી પણ બેક મારીને તે ખાડામાં ભરાઈ રહ્યા છે. જેના કારણે અસહ્ય દુર્ગંધ આવી રહી છે, તો રોગચાળો થવાની સ્થાનિકોને ભીતિ છે.

સમસ્યામાંથી મુક્તિ મળે તેવી લોકોની તંત્રને અપીલ

સમસ્યા અંગે સ્થાનિકોએ તંત્રને રજૂઆત પણ કરી છે. જોકે આ રજૂઆતનો કોઈ નિવેડો નહિ આવતા જે કામ પ્રશાસને કરવું જોઈએ તેના બદલે સ્થાનિકોએ તે ખોદકામ કરેલા રસ્તા ઉપર જ લોખંડનો નાનો પુલ બનાવીને અવરજવર કરવી પડી રહી છે. સ્થાનિકોએ સમસ્યામાંથી મુક્તિ મળે તેવી તંત્રને અપીલ પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે થોડાક મહિનાઓ પહેલા જ શાંતિપુરા ખાતે બ્રિજ શરૂ કરવામાં આવ્યો હતો. જેના કારણે ટ્રાફિકની સમસ્યા હળવી થઈ છે. પરંતુ તેની સામે હાલ સ્થાનિકો માટે વરસાદી સમસ્યા માથાનો દુખાવો બની છે. ત્યારે સવાલ એ થાય છે કે સ્થાનિકોની રજૂઆત બાદ તંત્ર ક્યારે જાગે છે, અને સ્થાનિકોની સમસ્યા દૂર થાય છે. કે પછી અન્ય વિસ્તારોની જેમ આ વિસ્તારના રહીશો અને વાહન ચાલકોએ વરસાદી સમસ્યાનો સામનો કરવો જ પડે છે.

નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">