Ahmedabad: રથયાત્રા પહેલા કોર્પોરેશન એલર્ટ મોડ પર, રથયાત્રાના રુટ પર જર્જરિત મકાનોને આપી નોટિસ

ભગવાન જગન્નાથ નગર યાત્રાએ નીકળવાના છે અને સૌ કોઈ રથયાત્રાની (Rathyatra) તૈયારીઓ કરી રહ્યા છે. રથયાત્રામાં કોઈ અનચ્છિય ઘટના ન બને તે માટે તંત્ર પહેલેથી સજ્જ બન્યુ છે.

Ahmedabad: રથયાત્રા પહેલા કોર્પોરેશન એલર્ટ મોડ પર, રથયાત્રાના રુટ પર જર્જરિત મકાનોને આપી નોટિસ
રથયાત્રાના રુટ પર આવેલા જર્જરિત મકાનોને નોટિસ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 12:30 PM

અમદાવાદમાં (Ahmedabad) રથયાત્રાને પગલે કોર્પોરેશન વિભાગ એલર્ટ છે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા રથયાત્રાની (Rathyatra) તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દર વર્ષે અષાઢી બીજના દિવસે જગન્નાથ મંદિરેથી (Jagannath Temple) રથયાત્રા નીકળે છે. ત્યારે રથયાત્રાને લઈ કોર્પોરેશન દ્વારા ભયજનક મકાનોને નોટિસ આપવામાં આવી રહી છે. થયાત્રાના રુટ પર આવતા જર્જરિત મકાનોનો સર્વે કરી ભયજનક મકાનો મોતના મકાનોના બને તે માટે નોટીસ તેમજ ઉતારી લેવામાં આવી રહ્યા છે.

જર્જરિત મકાનોને ફટકારાઇ નોટિસ

ભગવાન જગન્નાથ નગર યાત્રાએ નીકળવાના છે અને સૌ કોઈ રથયાત્રાની તૈયારીઓ કરી રહ્યા છે. રથયાત્રામાં કોઈ અનચ્છિય ઘટના ન બને તે માટે તંત્ર પહેલેથી સજ્જ બન્યુ છે. વર્ષો પહેલા શરુ થયેલી રથયાત્રા અમદાવાદના કોટ વિસ્તારમાં ફરે છે, જ્યાં મોટા ભાગે જૂના મકાનો હજી હયાત છે. જેમાના કેટલાક જર્જરીત હાલતમાં છે. મકાનમાં રીપેરીંગ કામકાજ કરવુ પડે તેમ છે પણ કેટલાક મકાનો ભાડે આપેલા હોવાથી તો કેટલાકમાં કોર્ટ મેટર ચાલતી હોવાથી રીપેરીંગ કરવામાં આવતા નથી. આવા મકાનોને કારણે રથયાત્રા વખતે કોઇ દુર્ઘટના થવાની સંભાવનાઓ વધી જાય છે. જે ન થાય તે માટે અમદાવાદ મહાનગરપાલિકાએ સર્વે કરી શહેરના 283 મકાનોને ભયજનક જાહેર કરી નોટિસ પાઠવી છે.

મકાનોને રીપેર કરાવવા નોટિસ

મધ્ય ઝોન અને ઉત્તર ઝોનમાં રથયાત્રાના રૂટ પર આવતા અને જર્જરિત મકાનોના રીપેર માટે નોટિસ લગાવવામાં આવી છે.નોટિસમાં ચેતવણી આપવામાં આવી છે જો કોઈ નોટિસનો અનાદર કરવાથી કોઇપણ અકસ્માત કે બનાવ બનશે તો તેની જવાબદારી માલિક કબ્જેદાર તેમજ હિત સંબંધ ધરાવતા લાગતા વળગતા તમામ શખ્સોની રહેશે. જેની ગંભીર નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ખાડિયામાં 176 જર્જરિત મકાનો

રથયાત્રાના રુટ પર આવેલા ભયજનક મકાનોની સંખ્યા વોર્ડ પ્રમાણે જોઇએ તો ખાડિયામાં 176, જમાલપુરમાં 10 મકાન જર્જરિત છે. તો દરીયાપુરમાં 84, શાહપુરમાં 4 તો શાહીબાગમાં 9 મકાન જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે. જેની સામે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જોકે ભયજનક મકાનોની બાબતમાં કોર્પોરેશન નખ વગરના સિંહ જેવુ છે. તંત્ર દર વર્ષે નોટિસ આપીને સંતોષ માની લે છે. પણ કોઈ કડક કાર્યવાહી કરતું નથી.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">