AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ભગવાન જગન્નાથ નવા રથમાં સવાર થઇ કરશે નગર ચર્યા, આ ખાસ કારણથી બનાવવામાં આવશે 2023માં નવા રથ, જાણો તેની વિશેષતા શું હશે

નવા રથ બનાવડાવાનો આ નિર્ણય ભક્તોની જ સુવિધા માટે કરવામાં આવ્યો છે. રથની ખાસ વિશેષતા એ છે કે ભક્તો (Devotees) ભગવાનના દર્શન ખૂબ સારી રીતે કરી શકે તેવી રીતે તેની રચના કરવામાં આવશે.

Ahmedabad: ભગવાન જગન્નાથ નવા રથમાં સવાર થઇ કરશે નગર ચર્યા, આ ખાસ કારણથી બનાવવામાં આવશે 2023માં નવા રથ, જાણો તેની વિશેષતા શું હશે
The chariot of Lord Jagannath (File Image)
Jignesh Patel
| Edited By: | Updated on: Apr 22, 2023 | 1:49 PM
Share

જગન્નાથ પુરીની રથયાત્રા બાદ ભારતમાં અમદાવાદની (Ahmedabad) રથયાત્રા (Rathyatra) સૌથી વધુ જાણીતી છે. આજે અક્ષય તૃતિયાના શુભ મુહૂર્તમાં જગન્નાથ મંદિરમાં (Jagannath Temple)આવેલ 3 ઐતિહાસિક રથની પૂજા કરવામાં આવી. જો કે 144 વર્ષ જૂના રથની આ છેલ્લી પૂજા કરવામાં આવી છે. કારણકે આગામી 146મી રથયાત્રા માટે નવા રથનું નિર્માણ કરવામાં આવશે. આ વર્ષે જ રથ બનાવવાની શરુઆત થાય તે માટે લાકડા પણ લાવી દેવામાં આવ્યા છે.

આવી રીતે બનશે રથની નવી ડિઝાઇન

જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજીએ નવા રથના નિર્માણ અંગે TV9ને વિશેષ માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે જે રીતે જુના રથ અત્યાર સુધી ભગવાનની 144 રથયાત્રા સારી રીતે પૂર્ણ કરતા રહ્યા છે. તે જ રીતે નવા રથનું નિર્માણ મજબુતાઇ સાથે કરવામાં આવશે. અમદાવાદના રસ્તાઓ તેમજ પરંપરાગત રુટમાંથી રથ પસાર થઇ શકે તે બાબતને ધ્યાનમાં રાખવામાં આવશે. જુના રથની ડિઝાઇનનું થોડુ અનુકરણ નવા રથમાં જોવા મળશે. સાથે જ તેમા જગન્નાથ પુરીના દર્શન પણ થઇ શકશે.

ભક્તોની સુવિધા માટે નવા રથનું નિર્માણ

નવા રથ બનાવડાવાનો આ નિર્ણય ભક્તોની જ સુવિધા માટે કરવામાં આવ્યો છે. રથની ખાસ વિશેષતા એ છે કે ભક્તો ભગવાનના દર્શન ખૂબ સારી રીતે કરી શકે તેવી રીતે તેની રચના કરવામાં આવશે. સાથે જ ભગવાનના રથમાં ખૂબ જ ઓછા લોકો તેમા સવાર થઇ શકે તેવી રીતે બનાવાશે. ભક્તો ગમે તેટલા દૂર હોય રે રથયાત્રાના રુટ પર પોતાના મકાનની છત પરથી પણ જો રથયાત્રા નિહાળતા હોય તો સરળતાથી તે દર્શન કરી શકે તેવી બેઠક વ્યવસ્થા રથમાં બનાવવામાં આવશે.

રથ બનાવવામાં 7 માસનો સમય લાગશે

ભગવાનના આ નવા રથ તૈયાર કરવા માટે 7 મહિનાનો સમય લાગશે. રથના નિર્માણ કાર્યમાં ગુજરાતના કેટલાક લોકો જોડાશે. તો પુરીના કારીગરો સાથે પણ રથના નિર્માણ કાર્ય અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું દિલીપદાસજી મહારાજે જણાવ્યુ હતુ.

દિલીપદાસજી મહારાજે જણાવ્યુ હતુ કે રથ બનાવવા માટે જેટલા પ્રમાણમાં લાકડાની જરુર હતી. તેટલા લાકડા સમયસર મંદિરમાં પહોંચ્યા ન હતા. જેના કારણે આ વર્ષે ભગવાન નવા રથમાં બીરાજમાન નહીં થઇ શકે. જો કે આવતા વર્ષે ભગવાનના નવા રથમાં જ સવાર થઇ નગર ચર્યા કરશે તેવુ જણાવ્યુ હતુ.

Follow Us
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
g clip-path="url(#clip0_868_265)">