AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : ચાંદખેડામાં નવજાત બાળકની 10માં માળેથી ફેંકીને કરાઇ હત્યા, પોલીસે એક શંકાસ્પદ મહિલાની અટકાયત કરી

અમદાવાદના (Ahmedabad) ચાંદખેડા વિસ્તારમાં આવેલા સ્કાય વોક એપાર્ટમેન્ટમાં નવજાત બાળકની હત્યા થઇ છે. આ સોસાયટીના સિકયુરિટી ગાર્ડ દ્વારા પોલીસને મેસેજ મળ્યો કે એક નવજાત બાળકને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દેવામાં આવ્યો છે.

Ahmedabad : ચાંદખેડામાં નવજાત બાળકની 10માં માળેથી ફેંકીને કરાઇ હત્યા, પોલીસે એક શંકાસ્પદ મહિલાની અટકાયત કરી
Mihir Soni
| Edited By: | Updated on: Apr 19, 2023 | 5:03 PM
Share

અમદાવાદ શહેરમાં રુંવાડા ઉભી કરી દે તેવી ઘટના બની છે. અમદાવાદના ચાંદખેડામાં નવજાત બાળકની હત્યા થઇ છે. નવજાત બાળકને 10 માળેથી ફેંકીને હત્યા કરાઇ હોવાનું સામે આવ્યુ છે. નિર્દોષ બાળકની નિર્દયી રીતે હત્યા થવાથી સનસનાટી ફેલાઈ ગઇ છે. ત્યારે પોલીસે આ મામલામાં એક શંકાસ્પદ મહિલાની અટકાયત કરી છે. સાથે જ FSLની મદદ લઈ તપાસ શરૂ કરી છે. પોલીસે શંકાસ્પદ મહિલાની પૂછપરછ હાથ ધરી છે.

બાળકને નવમાં માળેથી ફેંકી દેવાયુ હોવાની આશંકા

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા સ્કાય વોક એપાર્ટમેન્ટમાં નવજાત બાળકની હત્યા થઇ છે. આ સોસાયટીના સિકયુરિટી ગાર્ડ દ્વારા પોલીસને મેસેજ મળ્યો કે એક નવજાત બાળકને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દેવામાં આવ્યો છે. મેસેજ મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે, કોઈ અજાણ્યા વ્યક્તિએ બાળકને 9માં કે 10માં માળની છત ઉપરથી ફેંકી દીધો હતો. પોલીસ તપાસમાં 9માં માળે શેડ ઉપર બાળકના લોહીના નિશાન મળી આવ્યા છે. જેથી પોલીસે સોસાયટીમાં તપાસ શરૂ કરી છે.

CCTVના આધારે પોલીસ તપાસ શરુ

નિર્દોષ બાળકના હત્યા કેસની તપાસ કરતા બાળક નવજાત હોવાનું ખુલ્યું છે. જેથી પોલીસે ઇ અને એફ બ્લોક સહિત અન્ય બ્લોકમાં તપાસ શરૂ કરી છે. સોસાયટીના તમામ CCTV પણ ચેક કરવામાં આવ્યા છે. આ એપાર્ટમેન્ટમાં કોઈ મહિલા ગર્ભવતી હતી કે કેમ ? શું કોઈએ બહારથી આવીને બાળકની હત્યા કરી છે ? બાળકની હત્યા પાછળનું કારણ શું હોઇ શકે છે તે તમામ દિશાઓમાં તપાસ શરૂ કરવામાં આવી છે.

મહિલાની અટકાયત કરી પૂછપરછ શરુ

જોકે પોલીસને હત્યા પાછળ ઘર કંકાસ કે અનૈતિક સંબંધ જવાબદાર હોવાની શંકા છે. બાળકનો જન્મ ઘરમાં થયો હોય એવું પણ સામે આવી રહ્યું છે. જેથી F બ્લોકમાં નવમાં માળેથી એક શંકાસ્પદ મહિલાની અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

ચાંદખેડામાં નવજાત બાળકની હત્યા પાછળ જન્મ આપનાર જનેતા જ હોય તેવી શકયતાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. પકડાયેલી મહિલાની હત્યામાં સંડોવણી છે કે કેમ, અન્ય કોઈ પણ હત્યામાં સંડોવાયેલુ છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરાઇ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">