AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: અમદાવાદમાં પ્રાથમિક સુવિધાઓને લઈ વધી ફરિયાદો! દૈનિક દોઢ હજાર કરતા વધારેનો આંકડો

અમદાવાદ મેટ્રો સીટી છે અને તમામ પ્રાથમિક સુવિધાઓ શહેરજનોને યોગ્ય રીતે મળી રહી હોવાના સાશકો દાવા કરી રહ્યા છે. શાસકોના તમામ દાવાઓને પોકળ સાબિત કરતા આંકડાઓ અમદાવાદ મહાનગર પાલિકાને પ્રાપ્ત થયા છે. છેલ્લા 28 દિવસમાં અમદાવાદ મનપાને પ્રાથમિક સુવિધા માટે 44,635 ફરિયાદો પ્રાપ્ત થઈ છે.

Ahmedabad: અમદાવાદમાં પ્રાથમિક સુવિધાઓને લઈ વધી ફરિયાદો! દૈનિક દોઢ હજાર કરતા વધારેનો આંકડો
દૈનિક દોઢ હજાર કરતા વધારેનો આંકડો
Narendra Rathod
| Edited By: | Updated on: Sep 30, 2023 | 7:11 PM
Share

અમદાવાદ મેટ્રો સીટી છે અને તમામ પ્રાથમિક સુવિધાઓ શહેરજનોને યોગ્ય રીતે મળી રહી હોવાના સાશકો દાવા કરી રહ્યા છે. શાસકોના તમામ દાવાઓને પોકળ સાબિત કરતા આંકડાઓ અમદાવાદ મહાનગર પાલિકાને પ્રાપ્ત થયા છે. છેલ્લા 28 દિવસમાં અમદાવાદ મનપાને પ્રાથમિક સુવિધા માટે 44,635 ફરિયાદો પ્રાપ્ત થઈ છે. એટલકે રોજની 1594 ફરિયાદો અમદાવાદ મનપા ને પ્રાથમિક સુવિધાઓની મળી રહી છે.

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરમાં 21 વર્ષનો યુવક હાર્ટએટેકથી ઘરમાંજ ઢળી પડ્યો, રોબોટિક સાયન્સમાં કરિયર બનાવવાનુ હતુ સપનુ, જુઓ Video

મહાનગરપાલિકાના તમામ 48 બોર્ડમાં ફરિયાદોના નિવારણ માટે એક મહિના પહેલા ફરિયાદ નિવારણ સભા આયોજિત કરાઈ હતી. ત્યારબાદ શાસકો દ્વારા 80 ટકા ફરિયાદોનું નિવારણ થયું હોવાનો દાવો કરાયો હતો. જોકે છેલ્લા એક મહિના કરતા પણ ઓછા સમયમાં અમદાવાદ મનપાની પ્રાથમિક સુવિધાઓની 44 હજારથી વધુ ફરિયાદો પ્રાપ્ત થઈ છે.

સૌથી વધારે ફરિયાદ પશ્ચિમ ઝોનમાંથી

અમદાવાદ મનપાના વોર્ડ મુજબ અધિકૃત આંકડાઓ જણાવી રહ્યા છે કે છેલ્લા 28 દિવસમાં મનપા ને તમામ વિભાગોને કુલ 44635 ફરિયાદો પ્રાપ્ત થઈ છે. જેમાં સૌથી વધુ 9161 પશ્ચિમ ઝોનની, 8563 મધ્યઝોનની, 8535 ઉત્તર ઝોનની, 7759 દક્ષિણ ઝોનની, 5010 પૂર્વ ઝોન, 3505 ઉત્તર પશ્ચિમ અને સૌથી ઓછી 2102 ફરિયાદ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં નોંધાઇ છે. કુલ નોંધાયેલ ફરિયાદમાં સૌથી વધુ 20 હજાર 80 ફરિયાદ ડ્રેનેજની, 8915 ફરિયાદો લાઇટની, 6064 પાણી અને 3094 ફરિયાદો રસ્તાની મળી છે.

અમદાવાદ મનપાના નેતા વિપક્ષ શેહઝાદ ખાન પઠાણે જણાવ્યું કે મનપા તંત્ર સબ સલામત અને સબ ચંગાનો દાવો કરે છે. ફરિયાદ નિવારણના કાર્યક્રમો છતાં પણ 28 દિવસમાં 44 હજારથી વધુ ફરિયાદો દર્શાવે છે કે મનપા તંત્ર માત્ર કાગળ પર જ કામગીરી કરે છે. જમીનીસ્તર પર કોઈ કામ કરવામાં આવતું નથી. આ ફરિયાદો શહેરીજનોએ કરી છે. કોંગ્રેસના કાર્યકરોએ નથી કરી. એક મહિના પહેલા આ જ શાસકોએ 80 ટકા ફરિયાદોનો નિકાલ કર્યો હોવા છતાં આટલી બધી ફરિયાદો મળી છે એનો મતલબ એ થાય છે તેઓ નિવારણ ના માત્ર દાવાઓ જ કરે છે.

જોકે હવે આ ફરિયાદોનુ પણ નિરાકરણ આવે એટલુ જ જરુરી છે. આ માટે હવે કોર્પોરેશન ચોમાસામાં ધોવાયેલા રસ્તાઓની મરામત કરવી સૌથી પહેલી જરુરીયાત છે. આ અંગેની ફરિયાદોનુ પ્રમાણમાં પણ વધારે જોવા મળી રહ્યુ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">