AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Accident : ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં કુલ 9 લોકો બન્યા કાળનો કોળિયો, જાણો કોણ હતા આ તમામ લોકો

અકસ્માતની થોડી જ ક્ષણોમાં ઇસ્કોન બ્રિજ (ISKCON Bridge) પર જાણે લાશો વિખેરાઇ ગયેલી જોવા મળી. ઇસ્કોન બ્રિજ પર થોડી જ વાર ન કલ્પી શકાય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ઇસ્કોન બ્રિજ થોડી જ ક્ષણોમાં તમામ મૃતકોના પરિવારજનોના આક્રંદથી જાણે ગુંજવા લાગ્યુ.

Ahmedabad Accident : ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં કુલ 9 લોકો બન્યા કાળનો કોળિયો, જાણો કોણ હતા આ તમામ લોકો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2023 | 1:55 PM
Share

ISCON Bridge Accident : અમદાવાદમાં મધ્યરાત્રીએ થયેલા ગમખ્વાર અકસ્માતમાં (Accident) કુલ 9 લોકો કાળનો કોળિયો બની ગયા છે. અકસ્માતની થોડી જ ક્ષણોમાં ઇસ્કોન બ્રિજ (ISKCON Bridge) પર જાણે લાશો વિખેરાઇ ગયેલી જોવા મળી. ઇસ્કોન બ્રિજ પર થોડી જ વાર ન કલ્પી શકાય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ઇસ્કોન બ્રિજ થોડી જ ક્ષણોમાં તમામ મૃતકોના પરિવારજનોના આક્રંદથી જાણે ગુંજવા લાગ્યુ. જગુઆર કાર લઇને એક નબીરો જાણે અનેક પરિવારના માળા વેર વિખેર કરી ગયો.

આ પણ વાંચો-Gujarati Video : વલસાડ જિલ્લામાં વરસાદી પાણી સોસાયટી અને દુકાનોમાં ઘૂસ્યા, લોકોને પડી રહી છે ભારે હાલાકી

ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે એક થાર કાર અને બુલ્ડોઝર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. આ અકસ્માતોની વ્હારે ઇસ્કોન બ્રિજ આસપાસ ઉભેલા કેટલાક યુવાન તાત્કાલિક દોડી આવ્યા હતા. આ તમામ યુવકો અકસ્માતમાં સ્થળે મદદના હેતુથી દોડી આવ્યા હતા. જો કે તે લોકોને થોડો પણ આભાસ ન હતો કે મૃતકોની સહાય માટે દોડી આવેલા તેમની સમક્ષ થોડી જ વારમાં યમરાજ દસ્તક દઇ જશે. અકસ્માતના સ્થળે યુવાનો ટોળામાં ઊભા હતા. અચાનક જ 170થી 180ની ઝડપે જગુઆર કાર લઇને એક યુવક તમામ ટોળા પર ચઢી જાય છે. ઘટનાસ્થળ પર જ 6 યુવકો ઇશ્વરના ધામમાં પહોંચી જાય છે. આ મૃતકોમાં અકસ્માત સ્થળે ઊભેલા બે પોલીસ કર્મીનો પણ સમાવેશ થાય છે.

અકસ્માતના કોના કોના થયા મોત ?

  1.  રોનક વિહલપરા
  2.  કૃણાલ કોડિયા
  3.  અક્ષર પટેલ
  4.  નિરવ રામાનુજ
  5.  અમન કચ્છી
  6.  અરમાન વઢવાનિયા
  7.  ધર્મેન્દ્રસિંહ પરમાર
  8.  નિલેશ ખટિક
  9. જશવંતભાઈ

મૃતકોની તમામ વિગતો

  • મૃતક રોનક રાજેશભાઈ વિહલપરાની ઉંમર 23 વર્ષ હતી. તે બોટાદનો વતની છે અને થલતેજમાં પીજીમાં રહીને અભ્યાસ કરતો હતો.
  • મૃતક કુણાલ નટુભાઈ કોડીયાની ઉંમર 23 વર્ષ હતી. તે પણ બોટાદનો વતની છે અને થલતેજમાં પીજીમાં રહીને અભ્યાસ કરતો હતો.
  • અમન અમિરભાઈ કચ્છીની ઉંમર 25 વર્ષ હતી. તે સુરેન્દ્રનગર જિલ્લાનો વતની હતો.
  • અરમાન અનીલભાઈ વઢવાનિયાની ઉંમર 21 વર્ષ હતી. તે પણ સુરેન્દ્રનગર જિલ્લાનો વતની હતો.
  • અક્ષર અનીલભાઈ પટેલની ઉંમર 21 વર્ષ હતી. તે બોટાદનો વતની છે અને વસ્ત્રાપુરમાં પીજીમાં રહે છે. તે કૉલેજમાં એડમિશન માટે આવ્યો હતો.
  • નિરવ રામાનુજની ઉંમર 22 વર્ષ હતી. તે ચાંદલોડિયાનો રહેવાસી છે.
  • ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમારની ઉંમર 40 વર્ષ હતી. તે SG-2 પોલીસ સ્ટેશનના ટ્રાફિક જવાન હતા.
  • નિલેશ મોહનભાઈ ખટીકની ઉંમર 38 વર્ષ હતી અને તે બોડકદેવમાં હોમગાર્ડના જવાન હતા.
  • જશવંતભાઇ SG-2 પોલીસ સ્ટેશનના કર્મચારી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
g clip-path="url(#clip0_868_265)">