AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં અમદાવાદ બની રહ્યું છે કોરોનાનું એપીસેન્ટર, આજે કોરોનાના 309 કેસ નોંધાયા

અમદાવાદ કોર્પોરેશન(AMC) દ્વારા કોરોનાના ફેલાવાના અટકાવવા માટે એક ઘરના કોરોનાના ત્રણ કેસ નોંધાશે તો ઘરને માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા કોરોના ટેસ્ટની સંખ્યા પણ વધારવામાં આવી છે.

ગુજરાતમાં અમદાવાદ બની રહ્યું છે કોરોનાનું એપીસેન્ટર, આજે કોરોનાના 309 કેસ નોંધાયા
Ahmedabad Corona
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2022 | 9:46 PM
Share

ગુજરાતમાં(Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 07 જુલાઇના રોજ કોરોનાના નવા 717 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ (Ahmedabad) શહેરમાં સૌથી વધુ 303 કેસ નોંધાતા તંત્રની ચિંતા વધી છે. તેમજ અમદાવાદ શહેરમાં સતત વધતા કેસોના પગલે છેલ્લા અઠવાડિયા દરમ્યાન કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1500ને પાર પહોંચી છે. જેમાં જોધપુર વોર્ડમાં સૌથી વધુ એક્ટિવ કેસ નોંધાયા છે. જેમાં જોધપુરમાં 190, બોડકદેવમાં 160, થલતેજમાં 115, નવરંગપુરામાં 120 કેસ, સરખેજ અને ચાંદખેડામાં 75 ,મણિનગર અને વટવામાં 50 કેસ નોંધાયા છે. અમદાવાદમાં શહેરમાં 6 દિવસમાં 1341 પોઝિટિવ કેસ નોંધાયા છે.

જો કે આ દરમ્યાન અમદાવાદ કોર્પોરેશન દ્વારા કોરોનાના ફેલાવાના અટકાવવા માટે એક ઘરના કોરોનાના ત્રણ કેસ નોંધાશે તો ઘરને માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા કોરોના ટેસ્ટની સંખ્યા પણ વધારવામાં આવી છે. તેમજ લોકોને ફરજિયાત માસ્ક પહેરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં   કોરોનાના  કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં 07 જુલાઇના રોજ કોરોનાના નવા 717 કેસ નોંધાયા છે. તેમજ કોરોનાના એકટિવ કેસની સંખ્યા 3879એ પહોંચી છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ  309, સુરતમાં 88, ગાંધીનગરમાં 31, વડોદરામાં 29, સુરતમાં 28, મહેસાણામાં 25,ભરૂચમાં 22, વલસાડ 21, પાટણ 19, ભાવનગરમાં 16, રાજકોટમાં 15, નવસારીમાં 14, મોરબીમાં 13, વડોદરામાં 12, બનાસકાાંઠામાં 08, કચ્છમાં 08, અમદાવાદ જિલ્લામાં 07, ભાવનગરમાં 07, દ્વારકામાં 07,રાજકોટમાં 05,સાબરકાંઠામાં 05, અમરેલીમાં 04, આણંદમાં 04, ગાંધીનગર જિલ્લામાં 04, સુરેન્દ્રનગરમાં 04,જામનગરમાં 03, અરવલ્લીમાં 02,ખેડામાં 02,ગીર સોમનાથમાં 01, જામનગરમાં 01, જુનાગઢમાં 01,પોરબંદરમાં 01,તાપીમાં 01 અને  બોટાદમાં 01 કેસ નોંધાયા છે.

રાજ્ય સરકારની ચિંતા પણ વધારો

જેના લીધે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. આ તરફ રાજ્યના આરોગ્ય પ્રધાન પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઇકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો

ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઈ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો જોઈએ. કોર્ટ રૂમમાં વકીલ, ફરિયાદી કે આરોપી સિવાયના લોકોએ હાજર રહેવાની જરૂર જ નથી. ગુજરાત સરકાર કોરોના નિયમોનો પાલન કરાવે છે ત્યારે લોકોએ પણ વધારે સાવચેતી રાખવાની જરૂર છે.

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">