અમદાવાદ મનપાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. દુકાનદાર, ફેરિયાઓ અને સુપર માર્કેટમાં કામ કરતા સ્ટાફ માટે આજથી માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આજથી માસ્ક ન પહેરનારા કરિયાણા અને દૂધની ડેરી જેવા દુકાનદારોને રૂ. 5000, ફેરિયાઓને રૂ.2000 અને સુપર માર્કેટ્સને રૂ. 50 હજારનો દંડ ફટકારવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મ્યુનિસિપલ કમિશનરે આગળ કહ્યું કે, શાકભાજીની લારીઓ અમુક અંતરે ઉભી રાખવા માટે એસ્ટેટ વિભાગ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે દરેક દુકાનો અને લારીઓ પર બોર્ડ લગાવાશે. આ બોર્ડમાં નાગરિકોએ શું કરવું, શું ન કરવું અને કઈ કઈ સાવચેતી રાખવી તે અંગેની માહિતી આપવામાં આવશે. તેમજ ફેરિયાઓ માસ્ક વિના જોવા મળશે તો ત્રણ મહિના સુધી લાયસન્સ પણ રદ કરાશે.
જો કોઈ દુકાનદાર માસ્ક નહીં પહેરે તો 5 હજાર દંડ ઉપરાંત તે દુકાનનું શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ માટેનું લાયસન્સ રદ કરીને ત્રણ મહિના સુધી દુકાન બંધ કરાવી દેવામાં આવશે. મહત્વનું છે કે ફેરિયાઓને વિનામૂલ્યે મનપા તરફથી સેનેટાઈઝર અને માસ્કનું વિતરણ કરી દેવામાં આવ્યું છે તથા બેનર્સ પણ આપી દેવામાં આવ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 5:18 am, Fri, 1 May 20