AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં ચેરમેન તરીકે નલિન પટેલ અને વાઇસ ચેરમેન તરીકે હિતેશ પટેલ ચૂંટાયા

ચેરમેન નલિન પટેલે જણાવ્યું હતું કે તેઓ વકીલોને હિત માટે કામ કરશે. તેમની મુશ્કેલીઓ દૂર કરાશે. વકીલોની સ્કિલ ડેવલપમેન્ટ માટે કાર્ય કરશે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને સરકાર તરફથી કુલ 11 કરોડ રૂપિયાની સહાય મળી છે. આગળ પણ સહાય મળે તેવા પ્રયત્નો હાથ ધરાશે.

Ahmedabad : બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં ચેરમેન તરીકે નલિન પટેલ અને વાઇસ ચેરમેન તરીકે હિતેશ પટેલ ચૂંટાયા
Bar Council Of Gujarat Election
Ronak Varma
| Edited By: | Updated on: May 11, 2023 | 6:28 AM
Share

બાર કાઉન્સીલ ઓફ ગુજરાત(Bar Council Of Gujarat)  સાથે 1.14 લાખ જેટલા વકીલો જોડાયેલ છે. જે દર પાંચ વર્ષે કમિટીના સભ્યો ચૂંટે છે. આ સભ્યો દર વર્ષે જુદી-જુદી કમિટીના ચેરમેન અને વાઇસ ચેરમેનને ચૂંટે છે.આજે તેના હોદ્દેદારોની ચૂંટણી(Election)  યોજવામાં આવી હતી. જેમાં વર્ષ 2023-24 માટે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે વડોદરાના ધારાશાસ્ત્રી નલિન પટેલ, વાઇસ ચેરમેન તરીકે સુરતના ધારાશાસ્ત્રી હિતેશ પટેલ બિન હરીફ ચૂંટાયેલા છે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન તરીકે સુરતના જીતેન્દ્ર ગોળવાલા, એનરોલમેન્ટ કમિટીના ચેરમેન તરીકે વલસાડના પ્રવીણ પટેલની વરણી કરવામાં આવી છે.

શિસ્ત કમિટીના ચેરમેન તરીકે અનિલ કેલ્લાના નામની વરણી કરાઈ

જ્યારે ફાઇનાન્સ કમિટીના ચેરમેન તરીકે ગાંધીનગરના શંકરસિંહ ગોહિલ, રુલ્સ કમિટીના ચેરમેન અમદાવાદના વિજય પટેલ, GLH કમિટીના ચેરમેન તરીકે સુરતના રમેશચંદ્ર શાહની જ્યારે શિસ્ત કમિટીના ચેરમેન તરીકે અનિલ કેલ્લાના નામની વરણી કરાઈ છે.

કોરોના કાળમાં વકીલોને 12 કરોડની સહાય  કરવામાં આવી હતી.

ચેરમેન નલિન પટેલે જણાવ્યું હતું કે તેઓ વકીલોને હિત માટે કામ કરશે. તેમની મુશ્કેલીઓ દૂર કરાશે. વકીલોની સ્કિલ ડેવલપમેન્ટ માટે કાર્ય કરશે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને સરકાર તરફથી કુલ 11 કરોડ રૂપિયાની સહાય મળી છે. આગળ પણ સહાય મળે તેવા પ્રયત્નો હાથ ધરાશે.સમરસ પેનલ વતી ભાજપ વકીલ સેલ તરફથી એડવોકેટ જે.જે.પટેલે નવા હોદ્દેદારો સમક્ષ વકીલોની મૃત્યુ સહાય અને માંદગી સહાયની માંગ કરી હતી. તથા એ પણ જણાવાયું હતું કે કોરોના કાળમાં વકીલોને 12 કરોડની સહાય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">