AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં ચેરમેન તરીકે નલિન પટેલ અને વાઇસ ચેરમેન તરીકે હિતેશ પટેલ ચૂંટાયા

ચેરમેન નલિન પટેલે જણાવ્યું હતું કે તેઓ વકીલોને હિત માટે કામ કરશે. તેમની મુશ્કેલીઓ દૂર કરાશે. વકીલોની સ્કિલ ડેવલપમેન્ટ માટે કાર્ય કરશે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને સરકાર તરફથી કુલ 11 કરોડ રૂપિયાની સહાય મળી છે. આગળ પણ સહાય મળે તેવા પ્રયત્નો હાથ ધરાશે.

Ahmedabad : બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં ચેરમેન તરીકે નલિન પટેલ અને વાઇસ ચેરમેન તરીકે હિતેશ પટેલ ચૂંટાયા
Bar Council Of Gujarat Election
Ronak Varma
| Edited By: | Updated on: May 11, 2023 | 6:28 AM
Share

બાર કાઉન્સીલ ઓફ ગુજરાત(Bar Council Of Gujarat)  સાથે 1.14 લાખ જેટલા વકીલો જોડાયેલ છે. જે દર પાંચ વર્ષે કમિટીના સભ્યો ચૂંટે છે. આ સભ્યો દર વર્ષે જુદી-જુદી કમિટીના ચેરમેન અને વાઇસ ચેરમેનને ચૂંટે છે.આજે તેના હોદ્દેદારોની ચૂંટણી(Election)  યોજવામાં આવી હતી. જેમાં વર્ષ 2023-24 માટે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે વડોદરાના ધારાશાસ્ત્રી નલિન પટેલ, વાઇસ ચેરમેન તરીકે સુરતના ધારાશાસ્ત્રી હિતેશ પટેલ બિન હરીફ ચૂંટાયેલા છે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન તરીકે સુરતના જીતેન્દ્ર ગોળવાલા, એનરોલમેન્ટ કમિટીના ચેરમેન તરીકે વલસાડના પ્રવીણ પટેલની વરણી કરવામાં આવી છે.

શિસ્ત કમિટીના ચેરમેન તરીકે અનિલ કેલ્લાના નામની વરણી કરાઈ

જ્યારે ફાઇનાન્સ કમિટીના ચેરમેન તરીકે ગાંધીનગરના શંકરસિંહ ગોહિલ, રુલ્સ કમિટીના ચેરમેન અમદાવાદના વિજય પટેલ, GLH કમિટીના ચેરમેન તરીકે સુરતના રમેશચંદ્ર શાહની જ્યારે શિસ્ત કમિટીના ચેરમેન તરીકે અનિલ કેલ્લાના નામની વરણી કરાઈ છે.

કોરોના કાળમાં વકીલોને 12 કરોડની સહાય  કરવામાં આવી હતી.

ચેરમેન નલિન પટેલે જણાવ્યું હતું કે તેઓ વકીલોને હિત માટે કામ કરશે. તેમની મુશ્કેલીઓ દૂર કરાશે. વકીલોની સ્કિલ ડેવલપમેન્ટ માટે કાર્ય કરશે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને સરકાર તરફથી કુલ 11 કરોડ રૂપિયાની સહાય મળી છે. આગળ પણ સહાય મળે તેવા પ્રયત્નો હાથ ધરાશે.સમરસ પેનલ વતી ભાજપ વકીલ સેલ તરફથી એડવોકેટ જે.જે.પટેલે નવા હોદ્દેદારો સમક્ષ વકીલોની મૃત્યુ સહાય અને માંદગી સહાયની માંગ કરી હતી. તથા એ પણ જણાવાયું હતું કે કોરોના કાળમાં વકીલોને 12 કરોડની સહાય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">