AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : અમરાઈવાડી અકસ્માત કેસમાં ડમ્પર ચાલકની અટકાયત, માલિક ભૂર્ગભમાં

ભારે વાહનને શહેરમાં પ્રવેશ માટે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં રાત્રીના 10 વાગ્યે થી સવારના 7 વાગ્યે સુધી પરમિશન છે છતાં પણ અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક ખુલ્લેઆમ રોડ પર ચલાવી અકસ્માત સર્જાયો.

Ahmedabad : અમરાઈવાડી અકસ્માત કેસમાં ડમ્પર ચાલકની અટકાયત, માલિક ભૂર્ગભમાં
Amraiwadi Police Station
Mihir Soni
| Edited By: | Updated on: Jul 09, 2023 | 6:02 PM
Share

Ahmedabad: અમદાવાદના અમરાઈવાડી(Amraiwadi)પાસે થયેલા અકસ્માત(Accident)મામલે પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી છે.તો બીજી તરફ ડમ્પર માલિક જશુ ઓડ તેના પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયો છે..મહત્વનું છે કે શનિવારે સાંજે થયેલા અકસ્માતમાં 13 વર્ષના કિશોરનું મૃત્યુ નીપજ્યું હતું. જેની બાદ ઉશ્કેરાયેલા ટોળાએ ડમ્પરને આગ લગાવી દીધી હતી.

બેફામ ચલાવતા ડમ્પરે કિશોરને કચડી નાખ્યો હતો

અમરાઈવાડી નાગરવેલ હનુમાન મંદિર ચાર રસ્તા પાસે એક ડમ્પર ચાલકે કિશોરને અડફેડે લેતા ધટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના ગત મોડી સાંજે 8 વાગ્યેના રોજ 13 વર્ષીય કિશોર વૈશ્ય પારસ નંદકિશોર અમરાઈવાડી ચાચા નગરની ચાલીમાં રહે છે અને ઘરની સામે રહેલ રસ્તો ક્રોસ કરીને લોટ લેવાયો ગયો હતો.જમવા માટેનો લોટ લઈને પરત આવતા જ બેફામ ચલાવતા ડમ્પરે કિશોરને કચડી નાખ્યો હતો.

અકસ્માતને લઈ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળતા ડમ્પર ચાલકને માર માર્યો હતો અને ડમ્પરને સળગાવી દીધું હતું . જેમાં ઉશ્કેરાયેલા ટોળાને કાબુમાં લેવા મોટી સંખ્યમાં પોલીસ કાફલો પહોંચ્યો હતો પછી મોડી રાત્રે સુધી સ્થાનિકો સમજાવ્યા હતા.

આઈપીસી ની કલમ 304 હેઠળ ગુનો નોંધી વાહન ચાલકની ધરપકડ કરી

અકસ્માત માં મૃત્યુ પામેલ વૈશ્ય પારસ ધોરણ 7 માં અભ્યાસ કરે છે અને તેની માતા નાની ઉંમરમાં મૃત્યુ પામી હતી.કિશોર પારસ અને તેની 16 વર્ષીય બહેન એમ બન્નેને પિતા નંદકિશોર રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હતા.હાલ આ ઘટનાથી પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.ત્યારે અકસ્માત ના ગુનામાં આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે આઈપીસી ની કલમ 304 હેઠળ ગુનો નોંધી વાહન ચાલકની ધરપકડ કરી છે.

 ડમ્પર ચાલકે  ખુલ્લેઆમ રોડ પર ચલાવી અકસ્માત સર્જાયો

તેના ફરાર માલિકની શોધખોળ હાથ ધરી છે.. સાથે જ સમગ્ર વિસ્તારમાં એસીપી કક્ષાના અધિકારી તથા સમગ્ર ઝોનના પોલીસ કર્મીઓને બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવ્યા છે..જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાય નહીં.ભારે વાહનને શહેરમાં પ્રવેશ માટે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં રાત્રીના 10 વાગ્યે થી સવારના 7 વાગ્યે સુધી પરમિશન છે છતાં ડમ્પર ચાલકે  ખુલ્લે આમ રોડ પર ચલાવી અકસ્માત સર્જાયો.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
g clip-path="url(#clip0_868_265)">