AHMEDABAD : સેવાસેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓને ક્યાંક સગવડતા મળી, તો ક્યાંક અગવડતાનો સામનો કરવો પડ્યો
સેવા સેતુ કાર્યક્રમ હેઠળ 7 ઝોનમાં કાર્યક્રમો યોજી દરેક સેન્ટર પર 55 થી વધુ મુદ્દે લોકોને મદદ પુરી પાડવામાં આવી. જેમાં સૌથી વધુ આધાર કાર્ડ સુધારા,રાશન કાર્ડ,મા કાર્ડ, 7/12 ઉતારા અને જાતિના દાખલા વગેરે સેવાનો લોકોએ સેવાનો લાભ લીધો.
AHMEDABAD : રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાં સંવેદના દિવસ નિમિત્તે સેવાસેતુ કાર્યક્રમ યોજી શહેરીજનોની સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે પ્રયાસમાં ક્યાંક સુવિધા તો ક્યાંક અગવડતા આવી સામે.રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાથી સંવેદનશીલ સરકારે સંવેદના દિવસ યોજી ઉજવણી કરી. સંવેદના દિવસ પર સેવા સેતુ કાર્યક્રમ યોજી ઉજવણી કરી કાર્યક્રમ અંતર્ગત શહેરમા દરેક ઝોનમાં કાર્યક્રમ યોજી લોકોની સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
સેવા સેતુ કાર્યક્રમ હેઠળ 7 ઝોનમાં કાર્યક્રમો યોજી દરેક સેન્ટર પર 55 થી વધુ મુદ્દે લોકોને મદદ પુરી પાડવામાં આવી. જેમાં સૌથી વધુ આધાર કાર્ડ સુધારા,રાશન કાર્ડ,મા કાર્ડ, 7/12 ઉતારા અને જાતિના દાખલા વગેરે સેવાનો લોકોએ સેવાનો લાભ લીધો. લોકોએ પણ આ એક દિવસીય કાર્યક્રમને આવકાર્યો. થલતેજ ખાતે કાર્યક્રમમાં હાજર ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી લોકોને સુવિધાનો લાભ લેવા જણાવ્યું હતું.
તો બીજી તરફ સુવિધા સામે અગવડતાઓ પણ સામે આવી હતી.દરેક ઝોનમાં યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં ખોખરાના કોમ્યુનિટી વસાવડા હોલમા સેવાસેતુના કાયઁકમમા નાગરિકોના કામો રઝળ્યા હતા. કામ માટે આવનાર લોકોનો આક્ષેપ હતો કે તેઓ કલાકોથી કતારોમા ઉભા રહ્યાં અને જયારે નંબર આવ્યો ત્યારે સર્વર ઠપ્પ થતા ત્રણ કલાક સુધી તેઓએ રાહ જોવાનો વારો આવ્યો.
સવારથી કતારોમા ભુખ્યા તરસ્યા નાગરિકોના સરકારી કામો નહિ થતા નાગરિકો એ રોષ વ્યક્ત કર્યો હતો. તો તમામ વિભાગોના ટેબલો પર સરકારી અધિકારીઓના સંતોષકારક જવાબ ના મળતા પણ નાગરિકો ધક્કે ચડ્યા હતા.
આમ, શહેરમાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ક્યાંક કાર્યક્રમ મોટા ભાગે કાર્યક્રમ સફળ રહ્યો તો ક્યાંક લોકોને હાલાકી પડી હોવાનું પણ સામે આવ્યું. તો ક્યાંક ફરિયાદ કે રજુઆત કરવા આવનાર લોકોની સંખ્યા વધતા કોવિડ ગાઈડ લાઈનનો ભંગ થતો પણ જોવા મળ્યો.
આ પણ વાંચો : AHMEDABAD : શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસમાં ગયા વર્ષની સરખામણીએ મોટો વધારો