Ahmedabad: 1200 કરોડના ખર્ચે ખારીકટ કેનાલનું નવિનીકરણ, સફાઈ અભિયાનમાં 9 ટ્રેક્ટર જેટલો કચરો બહાર કઢાયો

નરોડાથી લઈને વટવા સુધી સ્ટેપ બાય સ્ટેપ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. કેમ કે કેટલાક પોર્શનમાં કેનાલના બ્યુટીફિકેશનનું કામ ચાલુ છે. તો કેટલાક પોર્શનમાં કામ નથી ચાલુ તે જગ્યા ઉપર તંત્ર દ્વારા કેનાલમાંથી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

Ahmedabad: 1200 કરોડના ખર્ચે ખારીકટ કેનાલનું નવિનીકરણ, સફાઈ અભિયાનમાં 9 ટ્રેક્ટર જેટલો કચરો બહાર કઢાયો
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Mar 26, 2023 | 6:30 PM

પૂર્વ વિસ્તારના રહીશો માટે સારા સમાચાર છે અને તે છે ખારીકટ કેનાલનું બ્યુટીફીકેશન. જી હા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગંદકીથી વખણાતી ખારી કટ કેનાલની છબી સુધારવા અને લોકોને નવી સુવિધા આપવા માટે 1200 કરોડના ખર્ચે ખારીકટ કેનાલમાં કામગીરી હાથમાં ધરવામાં આવી છે. જે કામગીરી હાલ બુલેટ ગતીએ આગળ વધારવામાં આવી રહી છે.  શહેરના પૂર્વ વિસ્તારમાં અંદાજીત 12.9 કિમી લાંબી ખારીકટ કેનાલ પણ ડેવલપ કરાશે.

ખારીકટ કેનાલનું થશે નવિનીકરણ

ખારીકટ કેનાલમાં ગંદકીની સમસ્યા આજકાલની નહીં, પરંતુ વર્ષો જૂની સમસ્યા છે. જેના કારણે કેનાલની આસપાસ રહેતા લોકો ગંદકી અને ગંદકીથી થતી દુર્ગંધથી પરેશાન છે તો કેનાલમાં ઠલવાતા કેમિકલથી પણ લોકો પરેશાન છે. વર્ષોથી સ્થાનિકો આ સમસ્યા દૂર કરવા માટે તંત્રને રજૂઆત કરતા હતા. જે રજૂઆતને ગત વર્ષે લીલી ઝંડી મળી અને તે લીલી ઝંડી મળતા આ કેનાલમાંથી ગંદકી તો દૂર થશે જ સાથે કેનાલ બંધ કરીને તેના ઉપર રોડ સહિતની સુવિધાઓ પણ ઉભી કરાશે. જેથી કરીને સ્થાનિકોને પૂર્વ વિસ્તારમાં નવી સુવિધાઓ પણ મળી રહેશે.

કેનાલમાંથી કચરો દૂર કરાઈ રહ્યો છે

ખાલીકટ કેનાલના કામને ગત વર્ષે લીલી ઝંડી મળતા ડિસેમ્બર મહિનાના અંતથી જ કેનાલ બ્યુટીફિકેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી. ઉલ્લેખનીય છે કે ખારીકટ કેનાલમાં વર્ષોથી લોકો કચરો અને કાટમાળ ઠલવતા આવ્યા છે. એટલે સ્વાભાવિક છે કે ખારીકટ કેનાલનું બ્યુટીફિકેશન કરવું હોય તો તે કચરો તંત્રને નડે અને તે જ કચરો દૂર કરવા માટે કોર્પોરેશન દ્વારા વિશેષ સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે અને તેમાં પણ ચોમાસાને ગણતરીના મહિના બાકી હોવાથી પણ કેનાલની સફાઈ કરવી જરૂરી હોવાથી પણ સફાઈ અભિયાન હાથ ધરાયુ છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

જેમાં તંત્ર દ્વારા શુક્રવારથી ખારીકટ કેનાલમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને શુક્રવારે જ તંત્ર દ્વારા કેનાલમાંથી 9 ટ્રેક્ટર જેટલો કચરો બહાર કાઢવામાં આવ્યો. આ કામગીરી નરોડાથી લઈને વટવા સુધી સ્ટેપ બાય સ્ટેપ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. કેમ કે કેટલાક પોર્શનમાં કેનાલના બ્યુટીફિકેશનનું કામ ચાલુ છે તો કેટલાક પોર્શનમાં કામ નથી ચાલુ તે જગ્યા ઉપર તંત્ર દ્વારા કેનાલમાંથી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેથી કરીને કેનાલની સફાઈ થતાં તે કચરો બ્યુટીફીકેશનના કામમાં અડચણ રૂપ ન બને અને બ્યુટીફિકેશનની કામગીરી બુલેટ ગતિએ આગળ વધી શકે.

1200 કરોડના ખર્ચે નવિનીકરણ

1200 કરોડના ખર્ચે ખારીકટ કેનાલનું બ્યુટીફિકેશન થાય એટલે સ્વાભાવિક છે કે કેનાલ ઉપર તે પ્રકારની સુવિધા પણ લોકો માટે ઊભી કરવામાં આવશે. એટલે કે ડિસેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવેલી આ કામગીરી પૂર્ણ થતા લોકોને નવો રસ્તો મળશે. સાથે બાગ બગીચા અને અન્ય સુવિધાઓ પણ આ કેનાલ ઉપર મળી રહેશે. જેના કારણે પૂર્વ વિસ્તારમાં નવી રોનક ઉમેરાશે. ત્યારે લોકો પણ રાહ જોઈ રહ્યા છે કે ખારીકટ કેનાલના બ્યુટીફિકેશનની કામગીરી જલ્દીથી જલ્દી પૂર્ણ થાય. અને નવી સુવિધા પણ તેઓને જલ્દીથી મળી રહે.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">