AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: અસારવાથી જયપુર નવી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ, ઇન્દોર-ઉદયપુર ટ્રેનનું અસારવા સુધી વિસ્તરણ

Ahmedabad: રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અસારવા-જયપુર અસારવા સુપરફાસ્ટ એક્સપ્રેસ નવી રેલ સેવાની શરૂઆત કરવામાં આવી રહી છે.

Ahmedabad: અસારવાથી જયપુર નવી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ, ઇન્દોર-ઉદયપુર ટ્રેનનું અસારવા સુધી વિસ્તરણ
Darshal Raval
| Edited By: | Updated on: Mar 02, 2023 | 9:51 PM
Share

રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અસારવા-જયપુર અસારવા સુપરફાસ્ટ એક્સપ્રેસ નવી રેલ સેવાની શરૂઆત કરવામાં આવી રહી છે. મંડળ રેલવે પ્રવક્તા અમદાવાદના જણાવ્યા મુજબ આ ટ્રેનની વિગતો આ મુજબ છે.

  1. ટ્રેન નંબર 12982, અસારવા-જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ તારીખ 04.03.2023 થી દરરોજ અસારવા થી 18.45 વાગ્યે રવાના થશે અને બીજા દિવસે 07.35 વાગ્યે જયપુર પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 12981, જયપુર-અસારવા સુપરફાસ્ટ એક્સપ્રેસ તારીખ 03.03.23 થી દરરોજ જયપુર થી 19.35 વાગ્યે રવાના થશે અને બીજા દિવસે 08.50 વાગ્યે અસારવા પહોંચશે.
  2. માર્ગમાં બંને દિશાઓ માં આ ટ્રેન સરદાર ગ્રામ, નાંદોલ દહેગામ, હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર, જાવર, ઉદયપુર શહેર, રાણાપ્રતાપનગર, માવલી જં., ચંદેરિયા, ભીલવાડા, નસીરાબાદ, અજમેર, કિશનગઢ અને ફુલેરા સ્ટેશનો પર રોકાશે આ ટ્રેનમાં પ્રથમ એ.સી સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કેટેગરીના કોચ હશે.
  3. ટ્રેન નંબર 12982 નું બુકિંગ 03 માર્ચ, 2023 થી પેસેન્જર આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસી ની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનો ની સંચાલન સમય, સ્થિરતા અને માળખું ને સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફર www.enquiry.indianrail.gov.in પર તમે જઈને જોઈ શકો છો.

આ પણ વાંચો: Ahmedabad: અસારવા અને કોટા વચ્ચે દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ નવી રેલ સેવાનો પ્રારંભ

આ તરફ રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 19329/19330 ઈન્દોર -ઉદયપુર એક્સપ્રેસ ટ્રેનનું અસારવા (અમદાવાદ) સુધી વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. જેની વિગતો નીચે પ્રમાણે છે:

  1. ટ્રેન નંબર 19330 અસારવા-ઈન્દોર એક્સપ્રેસ તારીખ 04.03.2023 થી દરરોજ અસારવા થી 14.15 કલાકે ઉપડી થઈ ને 20.05 કલાકે ઉદયપુર પહોંચીને 20.35 કલાકે પ્રસ્થાન બીજા દિવસે કરીને 07.00 કલાકે ઈન્દોર પહોંચશે. એજ રીતે ટ્રેન નંબર 19329, ઇન્દોર-અસારવા એક્સપ્રેસ તારીખ 04.03.2023 થી ઈન્દોર થી નિયત સમય 17.40 કલાકે રવાના થઈને બીજા દિવસે 04.15 કલાકે ઉદયપુર પહોંચીને 05.00 કલાકે પ્રસ્થાન કરીને 10.55 કલાકે અસારવા પહોંચશે.
  2. આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓમાં અસારવા અને ઉદયપુરની વચ્ચે સરદાર ગ્રામ, નરોડા, નાંદોલ દહેગામ, તલોદ, પ્રાંતિજ, હિંમતનગર, શામળાજી રોડ, બિછીવાડા, ડુંગરપુર, રિખબ દેવ રોડ, સેમારી, જેસમન્દ રોડ, જાવર અને ઉમરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસના કોચ હશે.

નોંધ – ઈન્દોર – ઉદયપુર સિટી – ઈન્દોર ની વચ્ચે સંચાલન સમય અને રોકાણ અગાઉ મુજબ રહેશે.

ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
g clip-path="url(#clip0_868_265)">