AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં અમદાવાદના કલાકારની કૃતિએ જમાવ્યું આકર્ષણ, 3200 ખીલીઓ દ્વારા તૈયાર કરી PM મોદીની પ્રતિકૃતિ

Ahmedabad: ગીર સોમનાથમાં ચાલી રહેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં અમદાવાદના કલાકાર સલીમ શેખની કૃતિએ આકર્ષણ જમાવ્યુ છે. સલીમ શેખએ 3200 ખીલીઓમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિ તૈયાર કરી છે.

Ahmedabad: સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં અમદાવાદના કલાકારની કૃતિએ જમાવ્યું આકર્ષણ, 3200 ખીલીઓ દ્વારા તૈયાર કરી PM મોદીની પ્રતિકૃતિ
Darshal Raval
| Edited By: | Updated on: Apr 21, 2023 | 4:21 PM
Share

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ ફક્ત બે પ્રદેશોના બાંધવોનો જ સંગમ નથી પરંતુ બે પ્રદેશોની કલા અને સંસ્કૃતિનો પણ અનોખો સંગમ છે. સોમનાથ સાગર દર્શનના પથિકા પરિસરમાં યોજાઈ રહેલા ઉત્સવમાં ગુજરાત અને તમિલનાડુના 65 કલાકારો-કારીગરોની કલાકૃતિઓનું પ્રદર્શન અને વેચાણ શરુ રહ્યું છે. આ પ્રદર્શનમાં અમદાવાદના કલાકાર સલીમ શેખે 3200 ખીલીમાંથી તૈયાર કરેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબીએ ભારે આકર્ષણ જમાવ્યું છે. પેન્સિલ અને દિવાસળીની કલાકૃતિ તૈયાર કરવાં માટે જાણીતા સલીમ શેખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આબેહૂબ કલાકૃતિ તૈયાર કરી છે.

કોઈ તાલીમ વિના પોતાની સૂજબુઝથી તૈયાર કરી અનોખી કૃતિ

સલીમ શેખે જણાવ્યુ કે, મેં ક્યાંયથી પણ કલાની તાલીમ મેળવી નથી. હું જાતે જ અવનવી કલાકૃતિઓ બનાવું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ કૃતિ તૈયાર કરતા મને 22 દિવસ જેટલો સમય થયો હતો. આ કૃતિ દ્વારા હું મારી કલા તેમને સમર્પિત કરુ છું.

સલીમ શેખે પેન્સિલમાં કોતરણી કરીને બિલોરી કાચમાંથી જ જોઈ શકાય તેવી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની છબી પણ તૈયાર કરી છે. જે આ પ્રદર્શનમાં નિહાળી શકાય છે. અહીં આવતા મુલાકાતીઓમાં આ કૃતિ સાથે સેલ્ફી લેવાનું આકર્ષણ જોવાં મળી રહ્યું છે. અત્યાર સુધીમાં કાર્યક્રમમાં પધારેલા તમામ મંત્રીઓ અને મહાનુભાવો દ્વારા પણ આ કૃતિમાં હસ્તાક્ષર કરી કલાના સાધક સલીમ શેખની કલાને બિરદાવવામાં આવી છે.

આ પણ વાંચો: ગીરસોમનાથ : સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં 5D વર્ચ્યુઅલ ટૂરને નિહાળી મંત્રમુગ્ધ બન્યા મંત્રીઓ, તમિલ બાંધવોએ સિંહદર્શનનો લ્હાવો લીધો

તમિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિએ સૌરાષ્ટ્ર તમિલ સંગમ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અન્વયે પ્રભાસતિર્થની ભૂમિ પર તમિલનાડુ રાજ્યપાલ આર. એન. રવિએ સૌરાષ્ટ્ર તમિલ સંગમ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો. સૌરાષ્ટ્રીયન તમિલ પરિવારોને સંબોધન કરતા રાજ્યપાલએ જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર અને પ્રભાસતિર્થની આ પવિત્ર ભૂમિ ભારતને સદીઓથી માર્ગદર્શિત કરતી આવી છે. મહત્વના તીર્થ સ્થાનોમાં સૌરાષ્ટ્રના દ્વારકા અને તમિલના કાંચીનો સમાવેશ થાય છે.

સદીઓથી ચાલી આવતી સનાતન સંસ્કૃતિ આજે પણ આપણા સમાજના લોકોએ જીવંત રાખી છે. આપણો સમાજ વર્ષો સુધી એક હતો અને હવે ફરી આ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ થકી એક બની રહ્યો છીએ. આપણું સૌભાગ્ય છે આપણને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નેતૃત્વ મળ્યું છે કે દેશના દરેક લોકોની લાગણીને સમજે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">