AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક વધાારો, મધ્યમ વર્ગ માટે લગ્નગાળામાં સોનું ખરીદવું બન્યું મુશ્કેલ

સોના-ચાંદીના ભાવમાં તોતિંગ વધારાના કારણે ગ્રાહકોની ખરીદી પર અસર પડી છે. લગ્નગાળામાં લોકો સોના-ચાંદીના દાગીના ખરીદતા હોય છે,પરંતુ હવે ભાવ વધારો થતા ગ્રાહકો પણ ઓછું સોનું-ચાંદી ખરીદવા મજબૂર છે.

Ahmedabad: સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક વધાારો, મધ્યમ વર્ગ માટે લગ્નગાળામાં સોનું ખરીદવું બન્યું મુશ્કેલ
Drastic increase in gold and silver pricesImage Credit source: FILE PHOTO
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2023 | 2:35 PM
Share

કેન્દ્રીય બજેટ રજૂ થયા બાદ સોના-ચાંદીનો ભાવ આજે ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. લગ્નસરાની સિઝનમાં જ સોના-ચાંદીનો ભાવ આસમાને પહોંચી જતા સામાન્ય વર્ગ માટે સોનુ ખરીદવું ખૂબ મોંઘું બની ગયું છે. ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો થતાં ચાંદીનો ભાવ કીલોએ 5 હજાર વધી ગયો છે. જ્યારે સોનાનો ભાવ 10 ગ્રામ 3 હજાર જેટલો વધી ગયો છે. ચાંદીનો ભાવ 66 હજારથી વધીને 71 હજાર પર પહોંચ્યો છે. જ્યારે સોનાનો ભાવ 57 હજાર 500થી વધીને 60 હજાર 400 પર પહોંચ્યો છે. ઈમ્પોર્ટ ડ્યુટી પહેલા 12.50 ટકા હતી જે 2 ટકા વધી 14.50 કરી દેવાઈ છે.

સાથે અન્ય ડ્યુટી મળીને કુલ 18 ટકા ડ્યુટી થઈ ગઈ છે સાથે 3 ટકા GST યથાવત્ રહ્યો છે. જેના કારણે સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવ હજુ પણ વધે તેવી શક્યતા છે. તો સોના-ચાંદીના ભાવમાં તોતિંગ વધારાના કારણે ગ્રાહકોની ખરીદી પર અસર પડી છે. લગ્નગાળામાં લોકો સોના-ચાંદીના દાગીના ખરીદતા હોય છે,પરંતુ હવે ભાવ વધારો થતા ગ્રાહકો પણ ઓછું સોનું-ચાંદી ખરીદવા મજબૂર છે.

સોના અને ચાંદીના ભાવ દરરોજ બદલાતા રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં સતત તેજી જોવા મળી રહી છે. જોકે, ઘણી ઉથલપાથલ બાદ આજે સોના-ચાંદીના ભાવ સ્થિર થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી સોનાની કિંમતમાં સતત  ફેરફાર નોંધાતા હતા અને ચાંદીના દરમાં પણ ઝડપથી વધઘટ થઈ રહી હતી. નોંધનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતા સોના ચાંદી અને હીરા જેવી કિમતી વસ્તુઓ મોંઘી  થઈ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટને આપ્યો આવકાર

કેન્દ્ર સરકારના બજેટને ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે આવકારતા કહ્યું કે  મુખ્ય 7 પાયા આધારિત અમૃત કાળનું બજેટ દેશને ગતિ આપશે તેમજ તેમણે ઉમેર્યું હતું કે  ગુજરાતનું બજેટ કેન્દ્ર સરકારેના માર્ગદર્શન પ્રમાણે હશે. તેમણે ઉમેર્યું હતું કે બજેટ તમામ  વર્ગ માટે ફાયદાકારક છે. દેશના ખેડૂત, ગરીબ, વંચિત, પીડિતોને ધ્યાનમાં રાખી તૈયાર કરાયેલું અમૃત બજેટ છે. CM ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં વેપાર વૃદ્ધિ માટેની નવતર પહેલ અને ડાયમંડ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના પ્રયાસના વખાણ કર્યા.મધ્યમવર્ગીય પરિવારોને ઈન્ક્મ ટેક્સમાં રાહતથી મોટો લાભ મળ્યો હોવાનું જણાવ્યું.

22 અને 24 કેરેટ સોના વચ્ચેનો તફાવત

24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ હોવાથી ખૂબ જ લવચીક અને નબળું છે. આ કારણોસર તેમાંથી ઘરેણાં બનાવી શકાતા નથી.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">