અમદાવાદમાં સપ્તાહમાં 4 હત્યા, મારી દીકરી ચોર સાથે નહિ રહે, બસ આટલી વાત લાગી આવતા જમાઈએ કરી સાસુની હત્યા

ગઇકાલે રાતના સમયે દીપુ શ્રધ્ધાના ઘરે ગયો હતો અને બહારથી શ્રધ્ધાને મારી સાથે મોકલો તેવી બૂમો પડતો હતો. બૂમો સાંભળી શ્રધ્ધા સહિત તેના માતા, પિતા અને અન્ય પરિવારના સભ્યો નીચે દોડી આવ્યા હતા જ્યારે દીપુએ શ્રધ્ધાના માતા પિતા પર છરી વડે હુમલો કર્યો હતો.

અમદાવાદમાં સપ્તાહમાં 4 હત્યા, મારી દીકરી ચોર સાથે નહિ રહે, બસ આટલી વાત લાગી આવતા જમાઈએ કરી સાસુની હત્યા
બાપુનગર પોલીસ હત્યારા જમાઈની ધરપકડ કરી છે.
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Mar 21, 2022 | 2:40 PM

હંમેશા દોડતું અમદાવાદ (Ahmedabad) જાણે કે ગુનાઓનું શહેર બની ગયું હોય તેમ એક બાદ એક હત્યા (murder) ના બનાવી સામે આવી રહ્યા છે. પહેલા ગાયકવાડી, બાદમાં રખિયાલ અને ચાંદખેડા બાદ હવે બાપુનગર ખાતે હત્યાનો બનાવ સામે આવ્યો છે. બાપુનગરમાં જમાઈએ સાસુની હત્યા કરી છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં જમાઈ (son-in-law) એ જ સાસુ અને સસરા સાથે ઝઘડો કરી બાદમાં સાસુની હત્યા કરી હોવાનું સામે આવતા બાપુનગર પોલીસ (Police) હત્યારા જમાઈ ની ધરપકડ કરી છે. મહત્વનું છે કે આરોપી દીપુ અગાઉ ઓઢવ અને શહેરકોટડા વિસ્તારમાં વાહનચોરી સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. આ અગાઉ પણ દીપુએ પોતાના જ પરિવાર પર પોલીસ મથકમાં આક્ષેપો કર્યા હતા તેમજ દવા પી આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો.

સમગ્ર બનાવની હકીકત એવી છે કે બાપુ નગર વિસ્તારમાં આવેલી વિષ્ણુ ની ચાલીમાં રહેતી શ્રધ્ધા નામની યુવતી સાથે આરોપી દીપુ એ લગ્ન કર્યા હતા. જોકે દીપુ અગાઉ ચોરી કરતો હતો તેમજ શ્રધ્ધા ઉપરાંત બે વર્ષ અગાઉ દિપુએ અન્ય યુવતી સાથે પણ લગ્ન કર્યા હતા અને તેની સાથે પણ દીપુ રહેતો હતો જેને કારણે જ શ્રધ્ધા દીપુનું ઘર છોડી ફરીથી તેના પિતાના ઘરે રહેવા આવી ગઇ હતી. દીપુ શ્રધ્ધાને મનાવવા અવાર નવાર તેના ઘરે જતો હતો.

જોકે ફરી એક વખત દીપુ શ્રધ્ધાના ઘરે તેને લેવા ગયો ત્યારે શ્રધ્ધાના પિતાએ દીપુને કહ્યું કે મારી છોકરી કોઈ ચોર સાથે નહિ રહે. બસ આજ વાત દીપુને લાગી આવી હતી અને ગઇકાલે રાતના સમયે દીપુ શ્રધ્ધાના ઘરે ગયો હતો અને બહારથી શ્રધ્ધાને મારી સાથે મોકલો તેવી બૂમો પડતો હતો. બૂમો સાંભળી શ્રધ્ધા સહિત તેના માતા, પિતા અને અન્ય પરિવારના સભ્યો નીચે દોડી આવ્યા હતા જ્યારે દીપુએ શ્રધ્ધાના માતા પિતા પર હુમલો કર્યો હતો. જે દરમ્યાન શ્રધ્ધાના પિતા બૂમાબૂમ કરતા દીપુ છરી મૂકી નાસી ગયો હતો. હુમલામાં શ્રધ્ધાના માતાને છરીઓ લાગતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

આ પણ વાંચોઃ લો બોલો, બનાસકાંઠામાં દારૂના અડ્ડા પર જનતા રેડ કરનારના ઘરેથી જ દારૂ પકડાયો

આ પણ વાંચોઃ Ahmedabad : PM મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં છારોડીના સ્વામી નારાયણ ગુરૂકૂળ ખાતે ધર્મજીવન ગાથા ગ્રંથનું વિમોચન

Latest News Updates

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">