AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં સપ્તાહમાં 4 હત્યા, મારી દીકરી ચોર સાથે નહિ રહે, બસ આટલી વાત લાગી આવતા જમાઈએ કરી સાસુની હત્યા

ગઇકાલે રાતના સમયે દીપુ શ્રધ્ધાના ઘરે ગયો હતો અને બહારથી શ્રધ્ધાને મારી સાથે મોકલો તેવી બૂમો પડતો હતો. બૂમો સાંભળી શ્રધ્ધા સહિત તેના માતા, પિતા અને અન્ય પરિવારના સભ્યો નીચે દોડી આવ્યા હતા જ્યારે દીપુએ શ્રધ્ધાના માતા પિતા પર છરી વડે હુમલો કર્યો હતો.

અમદાવાદમાં સપ્તાહમાં 4 હત્યા, મારી દીકરી ચોર સાથે નહિ રહે, બસ આટલી વાત લાગી આવતા જમાઈએ કરી સાસુની હત્યા
બાપુનગર પોલીસ હત્યારા જમાઈની ધરપકડ કરી છે.
Harin Matravadia
| Edited By: | Updated on: Mar 21, 2022 | 2:40 PM
Share

હંમેશા દોડતું અમદાવાદ (Ahmedabad) જાણે કે ગુનાઓનું શહેર બની ગયું હોય તેમ એક બાદ એક હત્યા (murder) ના બનાવી સામે આવી રહ્યા છે. પહેલા ગાયકવાડી, બાદમાં રખિયાલ અને ચાંદખેડા બાદ હવે બાપુનગર ખાતે હત્યાનો બનાવ સામે આવ્યો છે. બાપુનગરમાં જમાઈએ સાસુની હત્યા કરી છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં જમાઈ (son-in-law) એ જ સાસુ અને સસરા સાથે ઝઘડો કરી બાદમાં સાસુની હત્યા કરી હોવાનું સામે આવતા બાપુનગર પોલીસ (Police) હત્યારા જમાઈ ની ધરપકડ કરી છે. મહત્વનું છે કે આરોપી દીપુ અગાઉ ઓઢવ અને શહેરકોટડા વિસ્તારમાં વાહનચોરી સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. આ અગાઉ પણ દીપુએ પોતાના જ પરિવાર પર પોલીસ મથકમાં આક્ષેપો કર્યા હતા તેમજ દવા પી આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો.

સમગ્ર બનાવની હકીકત એવી છે કે બાપુ નગર વિસ્તારમાં આવેલી વિષ્ણુ ની ચાલીમાં રહેતી શ્રધ્ધા નામની યુવતી સાથે આરોપી દીપુ એ લગ્ન કર્યા હતા. જોકે દીપુ અગાઉ ચોરી કરતો હતો તેમજ શ્રધ્ધા ઉપરાંત બે વર્ષ અગાઉ દિપુએ અન્ય યુવતી સાથે પણ લગ્ન કર્યા હતા અને તેની સાથે પણ દીપુ રહેતો હતો જેને કારણે જ શ્રધ્ધા દીપુનું ઘર છોડી ફરીથી તેના પિતાના ઘરે રહેવા આવી ગઇ હતી. દીપુ શ્રધ્ધાને મનાવવા અવાર નવાર તેના ઘરે જતો હતો.

જોકે ફરી એક વખત દીપુ શ્રધ્ધાના ઘરે તેને લેવા ગયો ત્યારે શ્રધ્ધાના પિતાએ દીપુને કહ્યું કે મારી છોકરી કોઈ ચોર સાથે નહિ રહે. બસ આજ વાત દીપુને લાગી આવી હતી અને ગઇકાલે રાતના સમયે દીપુ શ્રધ્ધાના ઘરે ગયો હતો અને બહારથી શ્રધ્ધાને મારી સાથે મોકલો તેવી બૂમો પડતો હતો. બૂમો સાંભળી શ્રધ્ધા સહિત તેના માતા, પિતા અને અન્ય પરિવારના સભ્યો નીચે દોડી આવ્યા હતા જ્યારે દીપુએ શ્રધ્ધાના માતા પિતા પર હુમલો કર્યો હતો. જે દરમ્યાન શ્રધ્ધાના પિતા બૂમાબૂમ કરતા દીપુ છરી મૂકી નાસી ગયો હતો. હુમલામાં શ્રધ્ધાના માતાને છરીઓ લાગતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચોઃ લો બોલો, બનાસકાંઠામાં દારૂના અડ્ડા પર જનતા રેડ કરનારના ઘરેથી જ દારૂ પકડાયો

આ પણ વાંચોઃ Ahmedabad : PM મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં છારોડીના સ્વામી નારાયણ ગુરૂકૂળ ખાતે ધર્મજીવન ગાથા ગ્રંથનું વિમોચન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">