અમદાવાદ : ચંદ્રનગર BRTS કોરિડોરમાં BRTS બસ- ટુ વ્હીલર વચ્ચે અકસ્માત, 3 યુવાનો ઈજાગ્રસ્ત
અમદાવાદના ચંદ્રનગર BRTS કોરિડોરમાં BRTS બસમાં ટુ-વ્હીલર ઘુસી જતા અકસ્માત થયો છે. અકસ્માતમાં ટુ-વ્હીલર પર સવાર 3 યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સ્થાનિકો દ્વારા તેમને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

રાજ્યમાં સતત અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. તેવી જ અકસ્માતની ઘટના અમદાવાદના ચંદ્રનગરમાં બની છે. અમદાવાદના ચંદ્રનગર BRTS કોરિડોરમાં BRTS બસમાં ટુ-વ્હીલર ઘુસી જતા અકસ્માત થયો છે. અકસ્માતમાં ટુ-વ્હીલર પર સવાર 3 યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સ્થાનિકો દ્વારા તેમને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. મહત્વપૂર્ણ છે કે BRTS કોરિડોરમાં ખાનગી વાહનો પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક વાહન ચાલકો બેજવાબદાર રીતે BRTS રૂટમાં વાહન ચલાવે છે અને અકસ્માતને નોતરે છે.
આ પણ વાંચો : Railway News: મુસાફરોની સુવિધાને જોતા અમદાવાદ-ઓખા સ્પેશિયલ અને બાંદ્રા ટર્મિનસ-અજમેર સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવાયા
અમદાવાદમાં રોડ અકસ્માતમાં ટુ-વ્હીલર પર સવાર 3 યુવાન ઇજાગ્રસ્ત#Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/1vvcp5FD7D
— Tv9 Gujarati (@tv9gujarati) March 15, 2023
રાજ્યમાં બનેલી અન્ય અકસ્માતની ઘટના
ગઈ કાલે વલસાડના પારડીમાં 108 એમ્બ્યુલન્સ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો જેમાં બે લોકોના મોત નિપજ્યું હતું. ટુકવાડાથી ઇજાગ્રસ્તને લઈ 108 એમ્બ્યુલન્સ સાયરન વગાડીને જતી હતી. એવામાં અચાનક 108 સામે ફોન પર વાત કરતો બાઈકચાલક આવી ચડ્યો હતો. અને 108 એમ્બ્યુલન્સની સાથે અથડાઈને દુર ફંગોળાયો હતો. 108એ બાઈકચાલકને પણ સાથે લઈને હોસ્પિટલ પહોંચી હતી. બંને દર્દીઓને સારવારમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં બંનેના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા.
આ અગાઉ સુરતના સરથાણા વિસ્તારમાં પણ જીવ બચાવતી એમ્બ્યુલન્સની અડફેટે એકનું મોત નિપજ્યું હતું. BRTS રૂટમાં પુરપાટ ઝડપે આવતી એમ્બ્યુલન્સે રાહદારીને ટક્કર મારતા મોતને ભેટ્યો હતો. આમ જીવ બચાવતી એમ્બ્યુલન્સે ગંભીર અકસ્માત સર્જ્યા હતો. જોકે આ બંને ઘટનામાં એમ્બ્યુલન્સ દર્દીને બચાવવા માટે પુરપાટ ઝડપે જતી હતી. પરંતુ એક જીંદગી બચાવવા જતા એમ્બ્યુલન્સે અન્ય એકની જીંદગીનો ભોગ લીધો હતો.
ભાવનગરમાં મહુવા નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે નેશનલ હાઈવે-8 પર મહુવાથી વડલી ગામ તરફ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. મળતી માહિતી અનુસાર રિક્ષા મહુવાની આરબીકે હનુમંત હાઈસ્કૂલ શાળાની હતી.