AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : અગ્રવાલ પરિવાર માટે સોશિયલ મીડિયા બન્યું આશીર્વાદ રૂપ, સમોસા-કચોરીનો વીડિયો વાયરલ થતા વધી ઘરાકી

તમને જાણીને નવાઈ લાગશે કે આ પરિવારની પહેલાથી આર્થિક પરિસ્થિતિ ખરાબ નથી. અગ્રવાલ પરિવાર પહેલા સુખરામનગરમાં પોતાના મકાનમાં રહેતો તેમજ સંતોષી નામની દુકાન પણ ધરાવતો.

Ahmedabad : અગ્રવાલ પરિવાર માટે સોશિયલ મીડિયા બન્યું આશીર્વાદ રૂપ, સમોસા-કચોરીનો વીડિયો વાયરલ થતા વધી ઘરાકી
Ahmedabad: Social media becomes a blessing for Agarwal family, samosa-kachori video goes viral
Darshal Raval
| Edited By: | Updated on: Sep 24, 2021 | 3:05 PM
Share

સોશિયલ મીડિયામાં કેટલી તાકાત હોય એ ફરી એકવાર સાબિત થયું છે. કે જ્યાં ગોરના કુવા પાસે રહેતા અને ધોરણ 8 માં અભ્યાસ કરતા 14 વર્ષીય એક બાળક તેના પિતા સાથે મણિનગર રેલવે સ્ટેશન પાસે સમોસા કચોરી વહેંચી કમાણી કરે છે. જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આર્થિક સંક્રમણમાં રહેલ અગ્રવાલ પરિવાર જેટલા સમોસા કચોરી બનાવે છે તે પણ ઓછા પડે છે.

જીહા. આ વાત છે મણિનગર ગોરના કુવા પાસે આવેલ મનોરકુંજ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા અગ્રવાલ પરિવારની. કે જેઓ હાલમાં સમોસા કચોરી બનાવી તેનું વેચાણ કરી કમાણી કરી ગુજરાન ચલાવે છે. અગ્રવાલ પરિવારમાં દિલીપ ભાઈ, તેમની પત્ની, માતા અને બે પુત્રી અને પુત્ર છે. જે તમામ આ જ કામ કરે છે. 14 વર્ષીય પુત્ર તનમય ધોરણ 8 માં અભ્યાસ કરે છે.

જ્યારે 15 વર્ષીય હિરલ ધોરણ 10 માં અભ્યાસ કરે છે. તો પત્ની શ્વેતા હાઉસ વાઈફ છે. જેમાં બને બાળકો અભ્યાસ કર્યા બાદ પૂરો પરિવાર એક સાથે મળી સમોસા કચોરી બનાવે છે. અને સાંજ પડતા સાડા પાંચ વાગે પિતા અને પુત્ર એક્ટિવા લઈને મણિનગર રેલવે સ્ટેશન પાસે પહોંચી જાય છે. જ્યાં તેઓ સમોસા કચોરી વહેંચી કમાણી કરે છે.

અગ્રવાલ પરિવારની હાલત હાલમાં ખરાબ છે. કેમ કે તેઓ ભાડાના મકાનમાં રહે છે. જ્યાં તેઓ 13 હજાર ભાડું ચૂકવે છે. તો બાળકોનો અભ્યાસ અને ઘર ચલાવવું અનેક સમસ્યા છે. જેથી આ આર્થિક પરિસ્થિતિથી પીડાતા પરિવારનો સોસીયલ મીડિયામાં વિડિઓ વાયરલ થતા તેઓ જે સમોસા કચોરી બનાવે છે તે પણ ઓછા પડે છે. કેમ કે લોકો તેમની મદદે આગળ આવ્યા છે.

પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ પરિવારની પહેલાથી આર્થિક પરિસ્થિતિ ખરાબ નથી. અગ્રવાલ પરિવાર પહેલા સુખરામનગરમાં પોતાના મકાનમાં રહેતો તેમજ સંતોષી નામની દુકાન પણ ધરાવતો. જોકે પારિવારિક સમસ્યાને લઈને 8 વર્ષથી દિલીપ અગ્રવાલ પરિવારથી અલગ પડ્યા અને બાદમાં તેઓ ભાડાના મકાનમાં રહી ઘરે સમોસા કચોરી બનાવી એક્ટિવા પર લઈ જઈ વહેચી ગુજરાન ચલાવે છે.

એક બે નહિ પણ છેલ્લા આઠ વર્ષથી પિતા અને તેમના પરિવાર સંઘર્ષ કરે છે. જેમાં છેલ્લા બે વર્ષથી પુત્ર તનમય પણ તેમના સંઘર્ષનો સાથી બન્યો છે. તો પરિવાર પણ તેટલો જ સંઘર્ષ કરે છે. જે લોકો માટે એક ઉદાહરણ રૂપ ગણી શકાય. પણ બાળક માટે એટલે અઘરું છે કે અભ્યાસ અને જોડે પિતાને મદદ તે અઘરું બની રહે છે. જોકે તનમય તેના પરિવારને મદદ કરવાની આશ સાથે મહેનત કરે છે અને પિતાને મદદ કરે છે.

તો લોકો પણ હવે આ અગ્રવાલ પરિવારની મદદે આગળ આવ્યા છે. જે મોટી અને મહત્વની બાબત છે. ત્યારે અન્ય લોકો પણ જો આ અગ્રવાલ પરિવાર અને તેમના જેવા અન્ય પરિવારની મદદે આગળ આવે તો તેવા પરિવારને એક ટેકો પણ મળી રહે અને તેવા પરિવાર મહેનતની કમાણીથી પરિવારનું ગુજરાન પણ ચલાવી થોડી કમાણી કરી બચત પણ કરી શકે. જેથી કોરોનાની કપરી પરિસ્થિતિમાં આવા પરિવારને એક આર્થિક ટેકો પણ મળી રહે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">