Ahmedabad માં નવરાત્રીમાં રોમિયોની ખેર નથી, પોલીસનો છે આ એકશન પ્લાન

|

Oct 06, 2021 | 2:31 PM

અમદાવાદમાં નવરાત્રી દરમ્યાન મહિલાઓની સુરક્ષામાટે મહિલા પોલીસ એક્શન પ્લાન બનાવી દીધો છે.એટલે હવે નવરાત્રીમાં રોમિયોગિરી કરનારાની ખેર નથી.

Ahmedabad માં નવરાત્રીમાં રોમિયોની ખેર નથી, પોલીસનો છે આ એકશન પ્લાન
Ahmedabad police hatched this action plan for safety of Women During Navratri (File Photo)

Follow us on

ગુજરાતમાં(Gujarat) કોરોનાનો (Corona) કહેર હવે ઓછો થઈ ગયો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે શેરી ગરબા કરવા માટે મંજૂરી આપી છે.જો કે મહિલાઓની સુરક્ષા(Women Safety) માટે મહિલા પોલીસ(Police) એક્શન પ્લાન ધડી દીધો છે.એટ્લે નવરાત્રીમાં રોમિયોગિરી કરનારાની ખેર નથી.રોમિયો પકડવા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં વોચ કરશે.

શેરી ગરબામાં 400 લોકો હાજર રહી શકશે તેવી મજૂરી આપી છે. જ્યારે નવરાત્રી ના પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ ખરડાય નહિ તે માટે શહેર પોલીસ દ્વારા તમામ તકેદારી રાખવામાં આવશે.. ઉપરાંત નવરાત્રી માં મહિલા ઓની સુરક્ષા ને લઈને શહેર તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ શી ટિમ તૈનાત રહેશે..જે શેરી ગરબામાં ખાનગી રાહે વોચ કરશે અને મહિલા પોલીસ પણ રોમિયો પર વોચ રાખશે..

મહિલા પોલીસ દ્વારા શહેર માં યોજાતા શેરી ગરબાની વિગતો એકઠી કરવામાં આવી રહી છે..અને આ તમામ જગ્યા એ પોલીસ દ્વારા ખાનગી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે..જો કે જરૂર જણાશે તો આ વર્ષે પણ મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસ માં લોકો વચ્ચે રહેશે અને રોમિયોગિરિ કરતા રોમિયો ને પાઠ ભણાવશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તો બીજી તરફ પોલીસની પણ યુવતીઓને અપીલ કરી છે કે જ્યારે પણ યુવતીઓ બહાર જાય છે ત્યારે જ્યાં જઈ રહ્યા છે તેની વિગત પરીવાર ના સભ્યો ને આપવી…જો કે જીપીએસ એક્ટિવ રાખવું ઉપરાંત કઈક તકલીફ પડે તરત જ 100 નબર પોલીસ કન્ટ્રોલ જાણ કરવી..નવરાત્રી તહેવારમાં મહિલાઓની સુરક્ષા લઇ શહેર પોલીસ સજ્જ છે.

આ પણ વાંચો : નવરાત્રીમાં ગરબે ધૂમવા સરકારે મૂકી આ શરત, જાણો વિગતે

આ પણ વાંચો : Arvind Trivedi: રામાયણ ધારાવાહિકમાં રાવણની ભૂમિકા ભજવી ‘લંકેશ’ તરીકે પ્રસિદ્ધ અરવિંદ ત્રિવેદી વિશે જાણો

Published On - 11:49 am, Wed, 6 October 21

Next Article