બોટાદના જાળિલા ગામના ઉપ સરપંચની હત્યા, પરિવારે જ્યાં સુધી તમામ આરોપી ન ઝડપાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો કર્યો ઈન્કાર
ગુજરાતમાં ભાજપના રાજમાં જ ભાજપ સમર્થિત ઉપસરપંચની હત્યા થઇ છે. આ ઘટના ઘટી છે બોટાદ જિલ્લાના જાળીલા ગામમાં. બોટાદના રાણપુર તાલુકાના જાળિલા ગામના ઉપ સરપંચ મનજીભાઇ સોલંકી પર પાંચ છ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘાયલ મનજીભાઇને સારવાર અર્થે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું […]

ગુજરાતમાં ભાજપના રાજમાં જ ભાજપ સમર્થિત ઉપસરપંચની હત્યા થઇ છે. આ ઘટના ઘટી છે બોટાદ જિલ્લાના જાળીલા ગામમાં. બોટાદના રાણપુર તાલુકાના જાળિલા ગામના ઉપ સરપંચ મનજીભાઇ સોલંકી પર પાંચ છ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘાયલ મનજીભાઇને સારવાર અર્થે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે. મૃતકના પુત્રએ તેના પિતાની રાજકીય અદાવતમાં હત્યા થઈ હોવાનો આરોપ કર્યો છે.
આ પણ વાંચો: VIDEO: જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા
અને તમામ આરોપીઓને ઝડપી લેવા માગ કરી છે. જ્યાં સુધી આરોપી ન ઝડપાય ત્યાં સુધી લાશ ન સ્વીકારવાની પણ ચીમકી ઉચ્ચારી છે. આ હત્યા મામલે બોટાદ પોલીસે 3 શખ્સોની અટકાયત કરી લીધી છે. મૃતકના પુત્રએ આક્ષેપ કર્યો કે તેના પિતા પર અગાઉ પણ ત્રણથી ચાર વખત જીવલેણ હુમલા કરાયા હતા. મૃતકના પુત્રએ આક્ષેપ કર્યો કે વારંવાર ધમકીઓ મળતી હતી તે અંગે મારા પિતાએ પોલીસ અને સચિવાલય સુધી પણ વારંવાર રજૂઆત કરી હતી. આ હત્યાની ઘટના બાદ જાળિલા ગામ અને મૃતકના સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મૃતક મનજીભાઈ સોલંકી બરબાળા અને જાળિલા વચ્ચે રસ્તા પર લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. ઘટના સ્થળેથી તેમનું બાઈક પણ તુટેલી હાલતમાં મળી આવ્યું. મૃતકે પોતાના પુત્ર સમક્ષ હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે હુમલાની આપવીતિ જણાવી હતી. જે મોબાઈલના વીડીયો કેમેરામાં કેદ થયેલી છે. મૃતકના અંતિમ વીડિયોમાં પાંચથી છ હુમલાખોરો હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ હુમલાખોરોના નામ ભગી, કિશોર અને ભરતનો પુત્ર હોવાનું જણાવ્યું. તેમજ હુમલા બાદ તમામ શખ્સો વડોદરા તરફ ભાગી નીકળ્યાનું જણાવ્યું હતું.