AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : નારણપુરામાં આકાર પામશે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ, 29 મેના રોજ ગૃહ મંત્રી અમિત શાહ ભૂમિપૂજન કરશે

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આ કોમ્પલેક્ષ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ વેન્યુ (International Sports Complex ) તરીકે હોસ્ટ કરી શકાય તેમજ ખેલાડીઓ તથા પ્રેક્ષકોને  ટ્રાન્સપોટેશનની સરળતાથી સુવિધા મળી શકે તે હેતુથી શહેરની મધ્યમ આવેલ આ પ્લોટની પસંદગી કરવામાં આવી છે .

Ahmedabad : નારણપુરામાં આકાર પામશે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ, 29 મેના રોજ ગૃહ મંત્રી અમિત શાહ ભૂમિપૂજન કરશે
Ahmedabad Naranpura Sports ComplexImage Credit source: Representative image
Darshal Raval
| Edited By: | Updated on: May 27, 2022 | 11:10 AM
Share

અમદાવાદ(Ahmedabad)  શહેર વર્લ્ડ હેરિટેજ સિટી તેમજ સ્માર્ટ સિટી તો છે. પરંતુ હવે આ જ અમદાવાદ શહેર સ્પોર્ટસ સિટી તરફ અગ્રેસર તૈયાર થઇ રહ્યું છે. કેમ કે ભારત સરકારની સ્પોર્ટસ ઓથોરિટી વિભાગ અને અમદાવાદ મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે નારણપુરા સ્પોટર્સ કોમ્પલેક્ષ(Naranpura Sports Complex)  નિમાર્ણ થવા જઈ રહ્યું છે. જેનું ભૂમિપૂજન દેશના ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાસંદ અમિત શાહના(Amit Shah)  હસ્તે કરાશે. જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ દેશનું મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માનવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેર કે જે બિઝનેશ અને એજ્યુકેશનમાં આગવું સ્થાન ધરાવે છે. જે હવે સ્પોર્ટ ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવા જઈ રહ્યું છે. અને તે એટલા માટે કહેવું પડી રહ્યું છે. કેમ કે અમદાવાદ શહેરમાં વિશ્વના મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યા બાદ દેશનું સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનવા જઈ રહ્યું છે. અમદાવાદના નારણપુરાના વરદાન ટાવર પાસે આવેલા મેદાનમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ અંદાજીત 631 કરોડના ખર્ચે તૈયાર થશે. જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. કેમ કે 29 મેના રોજ ગાંધીનગર લોકસભા સંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી એવા અમિત શાહ તેનું ભૂમિપૂજન કરશે.

સ્પોર્ટસ કોમ્પલેક્ષ પાછળ અંદાજીત 631 કરોડનો ખર્ચ થશે

અગાઉ ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા અમદાવાદ શહેરમાં નારણપુરા વિસ્તારમાં નવા બનાવવા આવનાર આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ માટે ગ્રાન્ટ ફાળવવા માટે પ્રાથમિક મંજૂરી આપી છે . આ સ્પોર્ટસ કોમ્પલેક્ષ વરદાન ટાવર પાસે અંદાજીત 82507  ચોમી ક્ષેત્રફળ વાળા પ્લોટમા વિકસાવવા આવનાર છે .. આ પ્રોજેકટ પાછળ કુલ અંદાજીત ખર્ચે 2000  કરોડ મુકાયો છે. આ ઉપરાત એએમસી સૌથી કિંમતી 1000 થી 1200 કરોડની જમીન આ પ્રોજેક્ટ માટે આપશે. આ સ્પોર્ટસ કોમ્પલેક્ષ પાછળ અંદાજીત 631 કરોડનો ખર્ચ થશે. જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ઇન્દોર અને આઉટડોર અલગ અલગ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કોમ્પલેક્ષ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ વેન્યુ તરીકે હોસ્ટ કરી શકાશે

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આ કોમ્પલેક્ષ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ વેન્યુ તરીકે હોસ્ટ કરી શકાય તેમજ ખેલાડીઓ તથા પ્રેક્ષકોને  ટ્રાન્સપોટેશનની સરળતાથી સુવિધા મળી શકે તે હેતુથી શહેરની મધ્યમ આવેલ આ પ્લોટની પસંદગી કરવામાં આવી છે . આ સ્પોર્ટસ કોમ્પલેક્ષમા આંતરારાષ્ટ્રીય તથા રાષ્ટ્ર  રમતોની સાથે સાથે પ્રાદેશિક રમતગમતો પણ પ્રોત્સાહન મળી શકે તે મુજબ ડિઝાઇન કરેલ છે.

એવું પણ માનવામાં આવી રહ્યું છે કે 2035માં ઓલમ્પિક ગેમ રમાવાની છે. જે આ નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં રમાઈ શકે છે. જેને ધ્યાને રાખી અને ઓલમ્પિક ગેમને ધ્યાને રાખી આખું કોમ્પ્લેક્ષ તૈયાર કરાઈ રહ્યું છે. જેથી સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ અમદાવાદની એક અલગ ઓળખ ઉભી થઇ શકે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">