Ahmedabad : દસક્રોઈ તલાટી કમ મંત્રીમંડળના કર્મચારીઓએ ઓનલાઇન અને મહેસુલ કામગીરીનો બહિષ્કાર કર્યો

કામથી અળગા રહેલા કર્મચારી ઓએ એ પણ જણાવ્યું કે તેઓ 7 તારીખે ફરી એકઠા થશે અને બાદમાં 12 તારીખે મુખ્યમંત્રીને તેઓ રજુઆત કરશે. અને તેમ છતાં નિર્ણય નહિ આવે તો તેઓ પોતાનું આંદોલન યથાવત રાખશે.

Ahmedabad : દસક્રોઈ તલાટી કમ મંત્રીમંડળના કર્મચારીઓએ ઓનલાઇન અને મહેસુલ કામગીરીનો બહિષ્કાર કર્યો
Ahmedabad: Daskaroi Talati cum cabinet employees boycott online and revenue operations
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Oct 01, 2021 | 5:33 PM

એક તરફ સરકાર લોકોને સુવિધા આપવાના દાવા અને પ્રયાસ કરી રહી છે. ત્યાં ખુદ ઘરમાં જ અસંતોષ જોવા મળી રહ્યો છે. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કેમ કે સરકારમાં કામ કરતા જ કર્મચારીઓ પોતાની વિવિધ માંગની સાથે વિરોધ પર ઉતર્યા છે. જેની અસર સરકારી કામગીરી પર પડી શકે છે.

મળતી માહિતી પ્રમાણે દસક્રોઈ તલાટી કમ મંત્રી મંડળના કર્મચારી વિરોધ પર ઉતર્યા છે. જેઓએ આજથી તલાટી કમ મંત્રી તમામ પ્રકારની ઓનલાઇન કામગીરી અને મહેસુલ કામગીરીનો બહિષ્કાર કર્યો છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે તેઓ 2017થી તલાટી કમ મંત્રી હડતાળ પાડી રજુઆત કરી રહ્યા છે. જેમાં તેઓની 16 માંગણીઓ છે. જેની અંદર મુખ્ય માંગણી 4400 ગ્રેડ પે થાય. 2004 ની ભરતી છે તો સમાન કામ સમાન વેતન ગણવું.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

સંલગ્ન વિભાગમાં પ્રમોશન મળે તેવી માંગ. પંચાયત વિભાગ સિવાયની કામગીરી ન સોંપવામાં આવે તેવી માંગ. 2010માં રેવન્યુ તલાટીની ભરતી થઈ તે રેવન્યુ તલાટી કામ નથી કરતા જે તલાટી કમ મંત્રી પાસે કરાવે છે તો બને તલાટી મરજ કરે કે કામ વિભાજન કરે તેવી માંગ. આંતર જિલ્લા ફેર બદલીના લાભો ઝડપી નક્કી કરવા માંગ. તલાટી કમ મંત્રી પર થતા હુમલાની ઘટના રોકવા અને રક્ષણ આપવા માંગ. એક ગામ એક તલાટી નિમણૂક કરવા માંગ સહિત 16 જેટલી માંગ છે.

જેની અનેક વાર રજુઆત કરવા છતાં કોઈ નિવેડો નહિ આવતા ફરી એકવાર કર્મચારી વિરોધના શૂરમાં જોવા મળ્યા અને જ્યાં સુધી સરકાર તેમની માંગ નહીં સંતોષે ત્યાં સુધી કામનો બહિષ્કાર કરવા નિર્ણય કરી કર્મચારી અમદાવાદ જિલ્લા પંચાયત ઓફિસ ખાતે ઘરના પર બેઠા છે.

કામથી અળગા રહેલા કર્મચારી ઓએ એ પણ જણાવ્યું કે તેઓ 7 તારીખે ફરી એકઠા થશે અને બાદમાં 12 તારીખે મુખ્યમંત્રીને તેઓ રજુઆત કરશે. અને તેમ છતાં નિર્ણય નહિ આવે તો તેઓ પોતાનું આંદોલન યથાવત રાખશે.

તો આ તરફ ગ્રામ વિકાસ એજન્સીના 11 માસ કરાર આધારિત કર્મચારીની ડીડીઓને રજુઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં કર્મચારીઓએ ફિક્સ પગાર તેમજ કાયમી કરવાની માંગ કરી. કર્મચારી છેલ્લા પાંચ વર્ષથી રજુઆત કરી રહ્યા છે. જે 11 માસ કરાર આધારિત 7 લાખ જેટલા કર્મચારીને અસર કરતો મુદ્દો છે. તો કર્મચારીઓએ જો પ્રશ્ન હલ નહિ થાય તો આગામી દિવસમાં આંદોલન કરવા ચીમકી પણ ઉચ્ચારી છે.

મહત્વનું છે કે 2017થી કર્મચારી રજુઆત કરી રહ્યા છે. જેઓએ અગાઉ સી.આર.પાટીલે પાંચ વર્ષના કર્મચારીને કાયમી કરવા જણાવ્યું હતું. તે મુદ્દો પણ લઈ કર્મચારી અધિકારીને રજુઆત કરવા પહોંચ્યા હતા. તેમજ આગામી દિવસમાં કર્મચારી મુખ્યમંત્રીને રજુઆત પણ કરશે. અને, જો રજુઆત બાદ કોઈ નિકાલ નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવા રજુઆત કરવા આવેલા કર્મચારીએ ચીમકી ઉચ્ચારી છે.

જે કર્મચારી તાલુકા લેવલ પર વિવિધ યોજનામાં કામગીરી કરે છે. અને જો તેઓ આંદોલન પર ઉતરે તો તેની લોકોની સરકારી કામગીરી પર અસર પડી શકે છે. જેનાથી સમસ્યા ઉભી થઇ શકે છે. જેથી સરકારે આ બંને મુદ્દે ધ્યાન આપવાની જરૂરિયાત ઉભી થઇ છે. જેથી કર્મચારીઓની સમસ્યાનો હલ કરી શકાય. સાથે જ લોકોને અગવડતા પણ ન પડે.

Latest News Updates

દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
g clip-path="url(#clip0_868_265)">