AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અદાણીનું નામ દૂર કરાયું, આ છે કારણ

એરપોર્ટ ઓથોરિટીએ 4 સભ્યોની કમિટી બનાવી તપાસ કરતા અમદાવાદ એરપોર્ટ પરિસરમાં 26 જગ્યાએ અદાણીનો લોગો ખોટી રીતે લગાવ્યો હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો.

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અદાણીનું નામ દૂર કરાયું, આ છે કારણ
Ahmedabad International Airport (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 4:48 PM
Share

અમદાવાદ(Ahmedabad)એરપોર્ટના(Airport)સંચાલન માટે અદાણીએ(Adani)કામકાજ શરૂ કર્યા બાદ એરપોર્ટના નામ આગળ અદાણીના લોગો લગાવી દીધા હતા. તેમજ તેને લઇને રાજકીય વિવાદ પણ છેડાયો હતો. જેમાં અદાણીએ અમદાવાદ એરપોર્ટના સંચાલન માટે અદાણી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ નામથી કંપની બનાવી હતી. જેના પગલે એરપોર્ટના નામ વાળા તમામ સ્થળની આગળ અદાણીનો લોગો લગાવી દેવામાં આવ્યો હતો.

અદાણીએ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા સાથે કરેલા એમઓયુની શરતોનો ભંગ કર્યો

જો કે આ વિવાદ વકરતા એરપોર્ટ ઓથોરીટીએ તમામ મુદ્દાની તપાસ હાથ ધરી હતી. તેમજ તેમ માલૂમ પડ્યું હતું કે અદાણીએ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા સાથે કરેલા એમઓયુની શરતોનો ભંગ કર્યો છે. આ વિવાદ થતાં એરપોર્ટ ઓથોરિટીએ 4 સભ્યોની કમિટી બનાવી તપાસ કરતા અમદાવાદ એરપોર્ટ પરિસરમાં 26 જગ્યાએ અદાણીનો લોગો ખોટી રીતે લગાવ્યો હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો.

એમઓયુના આર્ટિકલ 5.15.2 મુજબ તમામ એરપોર્ટના નામ યથાવત રાખવા

તેમજ આ વિવાદ વધે નહિ તે માટે અદાણી ગ્રૂપે કંપનીની બ્રાન્ડિંગ પોલિસીના બહાના હેઠળ લોગો તમામ સ્થળેથી હટાવી દીધો હતો. એમઓયુના આર્ટિકલ 5.15.2 મુજબ તમામ એરપોર્ટના નામ યથાવત રાખવા અને તેના લોગો કે નામમાં ફેરફાર નહીં કરવાનું જણાવાયું હતું. જેથી હવે એરપોર્ટ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ નામથી સંચાલિત થશે.

અદાણીનો લોગો દૂર કરી દેવાયો હતો

અમદાવાદ એરપોર્ટનું સંચાલન અદાણી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ કરતું હતું. પરંતુ આ નામની સાથે અદાણીએ એરપોર્ટ એરિયામાં અલગ અલગ સ્થળે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના લોગોને નાનો કરવાની સાથે કેટલીક જગ્યાએથી દૂર કરી પોતાનો લોગો લગાવ્યો હતો. આ લોગો અને નામ અંગે વિવાદ થયા બાદ થોડા સમય પહેલાં એરપોર્ટ એરિયામાં તમામ જગ્યાએથી અદાણીનો લોગો દૂર કરી દેવાયો હતો.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન ખાનગી કંપનીની સોંપાયું હતું. શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેલ એરપોર્ટનું વિધિવત સંચાલન અદાણી લિમિટેડને સોંપાયું હતું . 7 નવેમ્બર 2020 ના રોજથી  એરપોર્ટનો સંપૂર્ણ કાર્યભાર અદાણી લિમિટેડ સંભાળયો હતો.

મહત્વનું છેકે, ફેબ્રૂઆરી 2019માં સૌથી વધુ રકમની બિડ સાથે 50 વર્ષ માટે અમદાવાદ એરપોર્ટનો હવાલો અદાણી ગ્રૂપને સોંપવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે આ ખાનગી જૂથ અમદાવાદ એરપોર્ટમાં અવર-જવર કરતાં પ્રત્યેક મુસાફર દીઠ રૂપિયા 177 એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને ચૂકવશે.

આ પણ વાંચો : સુરત : આવાસ યોજનાના લાભાર્થીઓને કોર્પોરેશને મકાનની સોંપણી ન કરાતા નારાજગી, આત્મવિલોપનની ચીમકી

આ પણ વાંચો : મોરબી ડ્રગ્સકાંડ : પકડાયેલો સમસુદ્દિન ગામમાં દોઢ વર્ષથી રહેતો હતો અને દોરાં ધાગાનું કરતો હતો કામ

Follow Us
AMC ના ભ્રષ્ટાચારનો ભૂવો કે રોડ બનાવવાની નબળી ગુણવત્તા ? Video
AMC ના ભ્રષ્ટાચારનો ભૂવો કે રોડ બનાવવાની નબળી ગુણવત્તા ? Video
આંગણવાડીમાં બાળકોને નાસ્તામાં આપેલા ઢોકળામાં નીકળી ઈયળો!
આંગણવાડીમાં બાળકોને નાસ્તામાં આપેલા ઢોકળામાં નીકળી ઈયળો!
ઉમરગામ GIDCમાં રેડ પાડીને હિંગનો જથ્થો જપ્ત કરાયો, જુઓ Video
ઉમરગામ GIDCમાં રેડ પાડીને હિંગનો જથ્થો જપ્ત કરાયો, જુઓ Video
આજનું રાશિફળ : રોકાણ, વેપાર અને નોકરીમાં 12 રાશિનું ભાગ્ય શું કહે છે?
આજનું રાશિફળ : રોકાણ, વેપાર અને નોકરીમાં 12 રાશિનું ભાગ્ય શું કહે છે?
તહેવારો ટાણે ખાંડની અછત વચ્ચે રાજ્ય સરકારે વિતરણની મુદ્દત લંબાવી
તહેવારો ટાણે ખાંડની અછત વચ્ચે રાજ્ય સરકારે વિતરણની મુદ્દત લંબાવી
સપ્ટેમ્બર મહિનામાં કેવો રહેશે વરસાદ, અંબાલાલ પટેલની એકદમ નવી આગાહી
સપ્ટેમ્બર મહિનામાં કેવો રહેશે વરસાદ, અંબાલાલ પટેલની એકદમ નવી આગાહી
AI સાથે નાનીની વાતોનો 'વીડિયો વાયરલ'
AI સાથે નાનીની વાતોનો 'વીડિયો વાયરલ'
ડાંગમાં ધાર્મિક લાગણી દુભવવાનો પ્રયાસ, ભગવાનની મૂર્તિઓને કરાઈ ખંડિત
ડાંગમાં ધાર્મિક લાગણી દુભવવાનો પ્રયાસ, ભગવાનની મૂર્તિઓને કરાઈ ખંડિત
સોના-ચાંદીના ભાવમાં 'મોટો ઘટાડો', શું ખરીદીનો શ્રેષ્ઠ સમય છે?
સોના-ચાંદીના ભાવમાં 'મોટો ઘટાડો', શું ખરીદીનો શ્રેષ્ઠ સમય છે?
Jamnagar Shravani Mela: શ્રાવણી મેળામાં સલામતી સર્વોપરી
Jamnagar Shravani Mela: શ્રાવણી મેળામાં સલામતી સર્વોપરી
g clip-path="url(#clip0_868_265)">