મોરબી ડ્રગ્સકાંડ : પકડાયેલો સમસુદ્દિન ગામમાં દોઢ વર્ષથી રહેતો હતો અને દોરાં ધાગાનું કરતો હતો કામ

મોરબીના ઝીંઝુડા ગામેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. મોરબીના ઝીંઝુડા ગામમાં ATS એ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. ATS એ પાકિસ્તાનથી મગાવાયેલા 120 કિલો હેરોઈનના જથ્થા સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે.

મોરબી ડ્રગ્સકાંડ : પકડાયેલો સમસુદ્દિન ગામમાં દોઢ વર્ષથી રહેતો હતો અને દોરાં ધાગાનું કરતો હતો કામ
Morbi drugs scandal: Arrested Samsuddin lived in the village for one and half years and worked as a weaver
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Nov 15, 2021 | 1:13 PM

મોરબીથી ૩૫ કિલોમીટર દૂર આવેલા નવલખી બંદર નજીકના ઝીંઝુડા ગામમાંથી સમસુદ્દિન નામના શખ્સની ૬૦૦ કરોડનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે.ત્યારે કોણ છે આ સમસુદ્દિન અને કેટલા સમયથી અહીં રહેતો હતો તે સવાલ છે.

ગામના અગ્રણી સમલુદ્દિન પીરઝાદાના કહેવા પ્રમાણે સમસુદ્દિન હુસેનમિયા સૈયદ ઉર્ફે પિરઝાદા બાપુ તરીકે ઝીંઝુડા ગામમાં રહેતો હતો અને દોરા ધાગાનું કામ કરતો હતો.ગામના લોકોના કહેવા પ્રમાણે સમસુદ્દિનનું પુરૂ નામ સમસુદ્દિન હુસેનમિયા સૈયદ ઉર્ફે પિરજાદા બાપુ છે.આ શખ્સ દોઢ વર્ષથી આ ગામમાં રહેતો હતો.સમસુદ્દિન ઝીંઝુડા ગામનો ભાણેજ છે.તે મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મિયા ખીજડિયા ગામનો રહેવાસી છે.સમસુદ્દિનના પિતાનું કોરોનામાં અવસાન થયા બાદ તે અહીં તેની માતા સાથે રહેવા આવ્યો હતો.ગામમાં તે શાંત પ્રકૃતિ સાથે રહેતો હોવાનું સામે આવ્યું છે.આ શખ્સ અહીં દોરા ધાગાનું કામ કરતો હતો અને અહીં તેને મળવા માટે અનેક લોકો આવતા હતા.જો કે દોરાધાગાની આળમાં કોઇ શંકાસ્પદ વ્યક્તિ મળવા આવે તો પણ ગામ લોકોને શંકા ન જતી હતી અને આ પિરજાદા બાપુને મળવા આવ્યા હોવાનુ લાગતું હતું.

સમસુદ્દિન જુગાર રમવાની ટેવ વાળો

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

ગામના અગ્રણીના કહેવા પ્રમાણે સમસુદ્દિન જુગાર રમવાની ટેવ વાળો છે.અગાઉ તે પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.તેની બેઠક જુગારીઓ સાથે રહેતી હતી અને તે જુગાર રમતો હતો.પોલીસે જ્યારે સમસુદ્દિનને ત્યાં દરોડો કર્યો ત્યારે પહેલાં તો જુગારની રેડ થઇ હોવાની આશંકા હતી જો કે ત્યારબાદ ગામલોકોને દુર જવા પોલીસે કહ્યું હતું.

ઝીંઝુંડા ગામ નવલખી બંદરથી નજીક આવેલું છે,૧૮૦૦ લોકોની વસ્તી છે

ઝીઝુંડા ગામ મોરબી શહેરથી ૩૫ કિલોમીટર દુર આવેલું છે.નવલખી બંદરથી નજીક અંતરયાણ વિસ્તારમાં આવેલા ગામમાં ૧૮૦૦ લોકોની વસતી આવેલી છે મોટાભાગે મુસ્લિમ અને કોળી સમાજના લોકો આ ગામમાં રહે છે.આ ગામમાં કોઠાવાલા પીરની દરગાહ આવેલી છે જે ધાર્મિક સ્થાન છે અને અહીં અલગ અલગ સ્થળોએથી લોકો દર્શન માટે આવે છે.

નોંધનીય છેકે મોરબીના ઝીંઝુડા ગામેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. મોરબીના ઝીંઝુડા ગામમાં ATS એ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. ATS એ પાકિસ્તાનથી મગાવાયેલા 120 કિલો હેરોઈનના જથ્થા સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. જેની કિંમત 600 કરોડથી વધુ અંદાજવામાં આવી રહી છે. આ આરોપીની Excusive તસ્વીરો સામે આવી છે.

મળતી માહિતી પ્રમાણે, ઝીંઝુડાના કોઠાવાડા પીરની દરગાહની બાજુના મકાનમાં ડ્રગ્સ છૂપાવ્યું હતું. જ્યાં ATS ની ટીમે રવિવારની રાત્રે બે મકાનમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી ડ્રગ્સ ઝડપાયું છે. જે શખ્સોની ધરપકડ કરાઈ છે તેમાં ગુલાબ હુસૈન, શમસુદ્દીન, મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બારનો સમાવેશ થાય છે. જેમાં ગુલાબ હુસૈન જામનગરના સલાયાનો રહેવાસી છે. અને મુખ્તાર જબ્બાર જામનગરના જોડિયાનો રહેવાસી છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">