Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat માં અરેરાટી ભરી ઘટના: કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા સૂતેલા 5 મજૂરોનું મોત, 20 સારવાર હેઠળ

Surat માં અરેરાટી ભરી ઘટના સામે આવી છે. GIDC વિસ્તારમાં કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા સૂતેલા 6 મજૂરોનું મોત થયું છે.

Surat માં અરેરાટી ભરી ઘટના: કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા સૂતેલા 5 મજૂરોનું મોત, 20 સારવાર હેઠળ
6 workers killed in chemical tanker leak in Surat
Follow Us:
| Updated on: Jan 06, 2022 | 7:58 AM

Surat: સુરતમાં અઈચ્છનીય ઘટનાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં સચિન GIDC માં (Sachin GIDS) કેમિકલ ટેન્કર (chemical tanker truck) લીકેજ થતાં ગૂંગળામણથી 6 મજૂરના મોત થયાના અહેવાલ છે. તો આ દુર્ઘટનામાં 14 મજૂરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનામાં અસરગ્રસ્ત તમામને નજીકની હોસ્પિટલોમાં ખસેડાયા છે.

જણાવી દઈએ કે સચિન GIDCમાં રોડ બાજુએ કેમિકલ ભરેલું ટેન્કર પાર્ક કરેલું હતું. પાર્ક કરેલ આ ટેન્કર લીકેજ થતા દુર્ઘટના ઘટી છે. તો ત્યારે આ ટેન્કર જ્યાં પડ્યું હતું એ રાજકમલ ચોકડી પ્લોટ નંબર 362 બહાર ટેન્કરની થોડે દૂર મજૂરો સૂતા હતા. તો વહેલી સવારે આ ઘટના ઘટ્યા બાદ બાદ ફાયર વિભાગ દોડતું થયું છે.

જો તમે રસોડામાં લોઢી(તવી)ને ઊંધી રાખશો તો શું થશે?
Jioનો સૌથી સસ્તો પ્લાન, 75 રૂપિયામાં મળશે 23 દિવસની વેલિડિટી
પેઢાંમાંથી વારંવાર નીકળે છે લોહી? તો જાણો કયા વિટામિનની છે કમી
IPL 2025માં સૌથી મોટી ઉંમરનો કેપ્ટન કોણ છે? જુઓ ફોટો
આ છે IPL 2025નો સૌથી નાની ઉંમરનો કેપ્ટન, જુઓ ફોટો
Vastu Tips: ઘરમાં ગરોળીનું દેખાવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ

વડોદરામાં બોઈલર બ્લાસ્ટે લીધા હતા જીવ

વડોદરાના મકરપુરા GIDCમાં કેન્ટોન લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બોઇલર ફાટવાના કેસમાં પોલીસે કંપનીના ડાયરેક્ટર્સની ધરપકડ કરી હતી. કેન્ટોન લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે બોઇલર ફાટતા માતા પુત્રી સહિત કુલ ચાર લોકોના મોત થયા હતા.

આ ઘટનામાં 11 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. કંપનીના દસ્તાવેજો તપાસ કરાતા સામે આવ્યું હતું કે કંપનીમાં મશીનરી લેઆઉટ પ્લાન મુજબ બોઇલર શેડની સ્ટોરરૂમમાં દર્શાવાયું હતું. પરંતુ સ્ટોરરૂમની જગ્યાએ તે સ્થળનો ઉપયોગ માનવીના રહેણાંક માટે થતો હતો. જે કંપનીની ગંભીર બેદરકારી હતી.

પંચમહાલ કંપની બ્લાસ્ટ

ડિસેમ્બરના મધ્યમાં રણજીતનગર સ્થિત GFL કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. જેના ધડાકાનો અવાજ 10 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. જ્યારે 5 કિલોમીટર સુધીના વિસ્તારમાં વાહન-વ્યવહાર અને સામાન્ય લોકોની અવર-જવર બંધ કરી દેવાઈ હતી.સેફ્ટી કીટ પહેરીને ફાયરની ટીમો કંપનીની અંદર પ્રવેશી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલોલ, કાલોલ, ગોધરા તેમજ ખાનગી કંપનીના ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચીને 5 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

GFL કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં બીજા દિવસે મૃત્યુઆંક વધીને 5 પર પહોંચ્યો હતો. ત્યારે બચાવ અને રાહતકાર્ય દરમિયાન વધુ બેનાં મૃતદેહ મળી આવતા 5 લોકોના મોત થયાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો: કચ્છના આ વિસ્તારમાં ઓઇલ અને નેચરલ ગેસનો ભંડાર, PDEU ના રિસર્ચમાં સામે આવી ચોંકાવનારી વિગતો

આ પણ વાંચો: કોરોના વિસ્ફોટ વચ્ચે પણ ફ્લાવર શો કરવા AMC ની હઠ, શો રદ કરાવવા કોંગ્રેસ પહોંચી હાઈકોર્ટના દરવાજે

g clip-path="url(#clip0_868_265)">