શતાબ્દી ટ્રેનમાં અપાયેલા વાસી નાસ્તાથી 4 મહિલાઓને ફૂડ પોઇઝનિંગની અસર
મુંબઇથી સુરત ફરવા આવેલી કેટલીક મહિલાઓને શતાબ્દી ટ્રેનમાં ખરાબ અનુભવ થયો. પોંક અને સુરતી લોચાની મજા માણવા મુંબઇની 33 મહિલાઓ શતાબ્દી ટ્રેન મારફતે સુરત આવી હતી. જોકે મુસાફરી દરમિયાન શતાબ્દી ટ્રેનમાં પીરસવામાં આવેલા વાસી નાસ્તાથી આ 4 મહિલાઓને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી. શતાબ્દી ટ્રેનમાં આ મહિલાઓને વાસી બ્રેડ બટરનો નાસ્તો પીરસાયો હતો. જે ખાધા […]
મુંબઇથી સુરત ફરવા આવેલી કેટલીક મહિલાઓને શતાબ્દી ટ્રેનમાં ખરાબ અનુભવ થયો. પોંક અને સુરતી લોચાની મજા માણવા મુંબઇની 33 મહિલાઓ શતાબ્દી ટ્રેન મારફતે સુરત આવી હતી. જોકે મુસાફરી દરમિયાન શતાબ્દી ટ્રેનમાં પીરસવામાં આવેલા વાસી નાસ્તાથી આ 4 મહિલાઓને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી. શતાબ્દી ટ્રેનમાં આ મહિલાઓને વાસી બ્રેડ બટરનો નાસ્તો પીરસાયો હતો. જે ખાધા બાદ 4 મહિલાઓને ઉલટી થઇ હતી. જેથી ભેંસાણ રેલવે સ્ટેશન પર મહિલાઓએ ચેઇન પુલિંગ કર્યું હતું. અને રેલ્વે સત્તાધીશો દ્વારા મહિલાઓને પ્રાથમિક સારવાર આપી હતી.
આ પણ વાંચોઃ જાણીતી મેગેઝીન Forbesની ટોપ-20 લોકોની યાદીમાં બિહારના બે નેતાઓનો પણ સમાવેશ
હાલ આ મહિલાઓની હાલત સુધારા પર છે. પરંતુ શતાબ્દી ટ્રેનમાં પીરસાયેલા વાસી નાસ્તાને લઇને અનેક સવાલો સર્જાયા છે. જોકે ઘટનાની જાણ થતા જ સુરત રેલવે સ્ટેશન માસ્ટર સહિતના અધિકારીઓએ આ મહિલાઓની મુલાકાત લીધી હતી. અને તેઓની ફરિયાદ બાદ શતાબ્દીના કેટરીંગ સંચાલક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત સ્ટેશન માસ્ટરે જણાવ્યું છે કે રેલવે મુસાફરો સાથે બનેલી ઘટના ચિંતાજનક છે. અને આ કેસમાં કેટરીંગ સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો