AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા માછીમારોએ આપી માહિતી, જેલમાં કેવો હતો વ્યવહાર? હજુ કેટલા માછીમારો કેદ?

Vadodara: પાકિસ્તાનની જેલમાં છેલ્લા કેટલાક સમયથી બંધ ભારતીય માછીમારો પોતાના માદરે વતન માટે રવાના થયા હતા. તો 17 નવેમ્બરે તેઓ વડોદરા પહોંચ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 7:16 AM
Share

Vadodara: પાકિસ્તાનની જેલમાંથી (Pakistan Jail) મુક્ત થયેલા 20 માછીમારો ગુજરાત (Gujarat) આવી ગયા છે. રાત્રે તમામ માછીમારોનું (Fisherman) વડોદરા રેલવે સ્ટેશન પર આગમન થયું હતું. 20 માછીમારોમાં ગીર સોમનાથના (Somnath) 19 માછીમારો અને પોરબંદરના (Porbandar) એક માછીમારનો સમાવેશ થાય છે. ત્યારે આ સમાચારરહી માછીમારોમાં ખુશીનો માહોલ છે. માછીમારો બે દિવસ પહેલા વાઘા બોર્ડરથી ગુજરાત આવવા નીકળ્યા હતા. માછીમારોએ ટીવી9 સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હજુ પાકિસ્તાનની જેલમાં તેમની સાથેના 14 સહિતના કુલ 570 જેટલા માછીમારો કેદ છે.

આ સમાગ્ર મામલે એક માછીમારે માહિતી આપતા જણાવ્યું કે અમને જેલમાં ખુશ રાખવામાં આવ્યા હતા. કોઈ સાથે મારપીટ કરવામાં આવી નથી. તો મુક્ત થયાં લઈને માછીમારોએ ખુશી વ્યક્ત કરી હતી.  તો એક માછીમારે જણાવ્યું કે ભારતની હદમાં બોટ બંદ થઇ જતા તેઓ 15-20 કિલોમીટર આગળ નીકળી ગયા હતા. અને પાકિસ્તાનની હદમાં પહોંચ્યા હતા. જે બાદ પાકે તેમને પકડ્યા હતા. તો માછીમારે કહ્યું કે હજુ પાકિસ્તાનની જેલમાં તેમની સાથેના 14 સહિતના કુલ 570 જેટલા માછીમારો કેદ છે. તો તેમણે મોદી સરકારને વિનંતી કરી છે કે એ માછીમાર ભાઈઓને પણ વહેલીતકે છોડાવવી દેવામાં આવે.

પાકિસ્તાનની જેલમાં છેલ્લા કેટલાક સમયથી બંધ ભારતીય માછીમારો પોતાના માદરે વતન માટે રવાના થયા હતા. તો પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા 20 માછીમારો વાઘા બોર્ડર આવ્યા હતા અને ત્યાંથી માદરે વતન માટે રવાના થયા હતા. તમામ માછીમારો રેલવે માર્ગે ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં વડોદરા આવી પહોંચ્યા છે. તો આ માછીમારો ગુરૂવારે એટલે કે આજે ગીરસોમનાથ પહોંચશે તેવી માહિતી સામે આવી હતી. મહત્વનું છે 20 માછીમારોમાંથી 19 માછીમારો ગીરસોમનાથ અને એક માછીમાર પોરબંદરનો રહેવાસી છે. આ તમામ માછીમારોનું પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયું હતું.

જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ હતા. તો હજુ પણ અનેક માછીમારો પાકિસ્તાનની જેલમાં પોતાની મુક્તિની રાહ જોઇને બેઠા છે. અવાર-નવાર IMBL નજીક પાકિસ્તાન મરીન દ્રારા માછીમારોનું અપહરણ કરવામાં આવે છે અને તેઓને જેલમાં ધકેલી દેવામાં આવે છે.

આ પણ વાંચો:  Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 18 નવેમ્બર: પારિવારિક વ્યસ્તતાને કારણે તમે કાર્યક્ષેત્રમાં ધ્યાન આપી શકશો નહીં, આજે કોઈને ઉધાર આપવું નહીં

આ પણ વાંચો: AMC નો વધુ એક વિવાદાસ્પદ નિર્ણય: ઘાટ કરતા ઘડામણ મોંઘુ જેવી સર્જાઈ સ્થિતિ, જાણો સમગ્ર વિગત

Follow Us
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
કમોસમી વરસાદથી ખેડૂત ચિંતિત, કેરી સહિત પાક પર સંકટ!
કમોસમી વરસાદથી ખેડૂત ચિંતિત, કેરી સહિત પાક પર સંકટ!
ભારે પવનના કારણે પાવાગઢમાં રોપવે સેવા બંધ કરાઈ
ભારે પવનના કારણે પાવાગઢમાં રોપવે સેવા બંધ કરાઈ
જામનગરમાં અચાનક વાતાવરણ પલટાયું, લાલપુરમાં કરા સાથે વરસાદ
જામનગરમાં અચાનક વાતાવરણ પલટાયું, લાલપુરમાં કરા સાથે વરસાદ
g clip-path="url(#clip0_868_265)">