ગીરસોમનાથ જેલમાં કેદ 9 કેદીઓના કોરોના પોઝીટીવ
ગીર સોમનાથની સબ જેલમાં કેદ 50 કેદીઓ પૈકી 9 કેદીઓના કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા જેલ તંત્ર ચોકી ઉઠ્યુ છે. આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલ કેદીઓના આરોગ્ય ચકાસણી દરમિયાન નવ કેદીઓના કોરોના પોઝીટીવ આવ્યો છે. નવ કેદીઓના રિપોર્ટ પોઝીટીવ આવતા, તેમની સાથે રહેતા અન્ય કેદીઓને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. તો સંપર્કમાં આવનારા કેટલાક જેલ સિપાઈઓને પણ […]
ગીર સોમનાથની સબ જેલમાં કેદ 50 કેદીઓ પૈકી 9 કેદીઓના કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા જેલ તંત્ર ચોકી ઉઠ્યુ છે. આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલ કેદીઓના આરોગ્ય ચકાસણી દરમિયાન નવ કેદીઓના કોરોના પોઝીટીવ આવ્યો છે. નવ કેદીઓના રિપોર્ટ પોઝીટીવ આવતા, તેમની સાથે રહેતા અન્ય કેદીઓને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. તો સંપર્કમાં આવનારા કેટલાક જેલ સિપાઈઓને પણ કોરોનાનું પરિક્ષણ કરવામાં આવ્યુ છે. અને તકેદારીના ભાગરૂપે તેમને આઈસોલેટ કરાયા છે. જેલમાં બંધ એવા 9 કોરોના પોઝીટીવ કેદીઓને કોવીડ19 હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. જ્યારે જેલના અન્ય કેદીઓને રોગપ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળા તેમજ દવા આપવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃમોરબીની ટીટોલી ગામે પૂરમાં ફસાયેલા 30 જણાને NDRFની ટીમે બચાવ્યા
nbsp;
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો