AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oats Benefits: વજન ઘટાડવાથી લઈને શરીરને સ્વસ્થ રાખવા સુધી ઓટસથી થશે આ જબરદસ્ત ફાયદા

Oats Benefits : આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ હોય છે જે આપણા શરીર માટે ખુબ લાભદાયક હોય છે. તેમાંનું જ એક છે ઓટસ. તેને ખાવાથી સ્વાસ્થ્યને ખુબ ફાયદાઓ થાય છે. વજન ઘટાડવાથી લઈને હ્દય સુધી આ ઓટસ તમારા શરીર માટે ખુબ ફાયદાકારક નીવડશે.

Oats Benefits: વજન ઘટાડવાથી લઈને શરીરને સ્વસ્થ રાખવા સુધી ઓટસથી થશે આ જબરદસ્ત ફાયદા
ઓટસ ખાવાના ફાયદાImage Credit source: file photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2022 | 10:08 PM
Share

આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ હોય છે, જે આપણા શરીર માટે ખુબ લાભદાયક હોય છે. તેમાંનું જ એક છે ઓટસ. સામાન્ય રીતે ઓટસનો ઉપયોગ નાસ્તાના રુપમાં કરવામાં આવે છે. તે શરીર માટે ખુબ ફાયદાકારક છે. તેમાં વિટામિન, ફાઈબર અને ઘણા એન્ટિઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેમાં ઘણા પોષકતત્વો હોય છે. વજન ઘટાડવાથી લઈને હ્દય સુધી આ ઓટસ (Oats) તમારા શરીર માટે ખુબ ફાયદાકારક નીવડશે. ઓટસનો ઉપયોગ (Oats Benefits) આપણે ઘણી રીતે કરી શકીએ છે. તેને સ્મૂધી અને અનેક નાસ્તામાં રુપે તેને ખાઈ શકો છો. ઓટસ તમને આખો દિવસ ર્ઊજાથી ભરપૂર રાખશે. ઓટસ ખાધા પછી શરીરમાં ર્ઊજા આવશે અને ભૂખ ઓછી લાગશે. ચાલો જાણીએ ઓટસના આપણા શરીર માટે ના બીજા ફાયદાઓ.

હાર્ટએટેકથી બચાવે છે

ઓટસના એન્ટિઓક્સિડેન્ટ ગુણને કારણે તે હાર્ટએટેકથી બચવામાં મદદરુપ થશે. ઓટસ શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને તમારા હાર્ટને સ્વસ્થ રાખે છે.

બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે

ઓટસ બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. ડાયાબિટિસના દર્દીઓ પણ જો ઓટસનું સેવન કરે તો તે ડાયાબિટિસના જોખમને ઓછુ કરવામાં મદદ કરે છે.

કેન્સરના જોખમને ઓછું કરે છે

ઓટસનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. તેના નિયમિત સેવનથી કેન્સરનું જોખમ ઘટ છે.

વજન ઘટાડવામાં મદદ કરે છે

ઓટસ તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખે છે કારણ કે ઓટસમાં કેલરી ઓછી માત્રામાં હોય છે. તમે વજન ઘટાડવા માટે ઓટસને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. તે તમારુ પેટ ભરેલુ રાખશે.

મેગ્નેશિયમનો સ્ત્રોત છે ઓટસ

ઓટસ મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. તે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખી હાર્ટએેટેકનું જોખમ ઘટાડે છે. ઓટસનું સેવન ખરેખર તમારા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે.

કબજિયાત અટકાવે છે

ઓટસમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને ફાઈબર હોય છે. તેઓ કબજિયાતની સમસ્યાથી બચાવવાનું કામ કરે છે. તેને રોજિંદા આહારમાં સામેલ કરીને તમે કબજિયાતની સમસ્યાને દૂર કરી શકો છો. તે ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">