National Vaccination Day 2021: શા માટે મનાવાય છે રાષ્ટ્રીય રસીકરણ દિવસ? જાણો ઇતિહાસ
ભારતમાં બનેલી કોરોના રસી ભારત સહિત દુનિયભરના ઘણા દેશોમાં અપાઈ રહી છે. અને ખરા સમયે જ રાષ્ટ્રીય રસીકરણ દિવસ આવી રહ્યો છે. તો ચાલો જાણીએ National Vaccination Dayના ઇતિહાસ વિશે
National Vaccination Day 2021: કોરોના મહામારીએ ફરીથી રસીકરણ ઉપર પ્રકાશ પાથર્યો છે. કોરોના મહામારીએ દુનિયાભરમાં લાખો લોકોનો ભોગ લીધો છે. અને કોરોના સામે લડતી કોરોના વેક્સિન પણ હવે દુનિયા સામે આવી ગઈ છે. આ સાથે જ ભારતમાં બનેલી કોરોના રસી ભારત સહિત દુનિયભરના ઘણા દેશોમાં અપાઈ રહી છે. અને ખરા સમયે જ રાષ્ટ્રીય રસીકરણ દિવસ આવી રહ્યો છે. તો ચાલો જાણીએ National Vaccination Dayના ઇતિહાસ વિશે
રાષ્ટ્રીય વેકસીનેશન દિવસનો ઇતિહાસ ભારતમાં 16 માર્ચે રાષ્ટ્રીય રસીકરણ દિવસ (National Vaccination Day 2021)ના રૂપમાં માનાવામાં આવે છે. ભારતમાં વર્ષ 1955માં મુખેથી પોલિયોની પ્રથમ રસી આપવામાં આવી હતી. ભારતમાં પોલિયોને જડમૂળથી ઉખેડવા માટે પ્લસ પોલિયો અંતર્ગત સરકાર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
આ વ્યાપક કાર્યક્રમ અંતર્ગત 5 વર્ષથી ઓછી ઉંમરના તમામ બાળકોને પોલિયો રસીના 2 ટીપા આપવામાં આવી હતી. તે પછી, પોલિયોની ઘટના ધીમે ધીમે ઓછી થઈ અને આખરે દેશમાંથી પોલિયો નાબૂદ થઈ ગયો. 2014 માં, ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કરાયો હતો.
છેલ્લા બે દાયકામાં, રસીઓ જોખમી રોગો સામે લડવાનું એક અવિભાજ્ય સાધન બની ગઈ છે. આને કારણે લાખો લોકો ટેટનસ, પોલિયો અને ટીબી જેવી ભયંકર જીવલેણ રોગોથી બચી ગયા છે.