પરિવાર સાથે જે બિલ્ડિંગમાં રહે છે Sunil Shetty, તેને BMCએ કેમ કર્યું સીલ? જાણો કારણ

હાલમાં મુંબઈના ડી-વાર્ડમાં આશરે 10 રહેણાંક ઈમારતો સીલ કરી દેવામાં આવી છે. આ ક્ષેત્રમાં માલાબાર હિલ અને પેડર રોડ સામેલ છે.

પરિવાર સાથે જે બિલ્ડિંગમાં રહે છે Sunil Shetty, તેને BMCએ કેમ કર્યું સીલ? જાણો કારણ
Sunil Shetty (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 4:47 PM

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને (BMC) સોમવારે મુંબઈના રહેણાંક મકાન પૃથ્વી એપાર્ટમેન્ટ્સને સીલ કરી દીધું. ઘણા લોકો આ બિલ્ડિંગમાં કોરોના (Coronavirus) પોઝિટીવ હોવાનું જણાયું હતું, ત્યારબાદ બીએમસીએ આ બિલ્ડિંગને સીલ કરવાનું નક્કી કર્યું હતું.

આ તે જ બિલ્ડિંગ છે જેમાં બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટી (Suniel Shetty) તેમના પરિવાર સાથે રહે છે. બીએમસીના સહાયક કમિશનર પ્રશાંત ગાયકવાડે જણાવ્યું હતું કે સુનીલ શેટ્ટીનો આખો પરિવાર સુરક્ષિત છે. તેમના પરિવારમાં કોઈને પણ કોરોના વાયરસ નથી.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

પ્રોટોકોલ મુજબ, જો કોઈ બિલ્ડિંગમાંથી કોવિડ 19ના પાંચ સક્રિય કેસ મળી આવે છે તો તે બીએમસી દ્વારા સીલ કરવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુનિલ શેટ્ટી જ્યાં રહે છે તે મકાનમાં કોવિડ -19ના પાંચથી વધુ સક્રિય કેસ મળી આવ્યા, ત્યારબાદ આ બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે. આ બિલ્ડિંગમાં 30 માળ છે, જેમાં લગભગ 120 ફ્લેટ છે. આ બિલ્ડિંગ મુંબઈના ડી-વાર્ડ હેઠળ આવે છે.

10 રહેણાંક ઈમારત સીલ

હાલમાં મુંબઈના ડી-વાર્ડમાં આશરે 10 રહેણાંક ઈમારતો સીલ કરી દેવામાં આવી છે. આ ક્ષેત્રમાં માલાબાર હિલ અને પેડર રોડ સામેલ છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર થંભવાનું નામ નથી લઈ રહ્યો. મુંબઈની વાત કરીએ તો સોમવારે અહીં કોવિડના નવા 555 કેસ નોંધાયા હતા, જ્યારે 15 લોકોના મોત નીપજ્યાં હતા. આ નવા કેસો પછી હવે મુંબઈમાં કોવિડ દર્દીઓની સંખ્યા સાત લાખને વટાવી ગઈ છે, જ્યારે મૃત્યુઆંક 15 હજારથી ઉપર છે.

કોરોનાની પ્રથમ અને બીજી લહેરથી ભારતના લોકો હજી બહાર આવ્યા નથી કે હવે ત્રીજી લહેર આવવાની તૈયારીમાં છે. નિષ્ણાતો માને છે કે કોરોના વાયરસની ત્રીજી લહેર ટૂંક સમયમાં દેશમાં આવી શકે છે, જે આ વખતે બાળકો માટે જીવલેણ સાબિત થશે. વૃદ્ધો અને યુવાનો વેક્સિન લગાવી રહ્યા છે, જેના કારણે આ ત્રીજી લહેરની અસર તેમના પર ઓછી દેખાશે. આવી સ્થિતિમાં તે બાળકોને લક્ષ્યાંક બનાવશે, કારણ કે બાળકોની ઈમ્યૂનિટી પણ ઓછી હોય છે અને તેમના માટે વેક્સિન એપ્રૂવલ નથી મળ્યું.

આ પણ વાંચો: UP: એટીએસને મળ્યા આતંકીઓ પાસેથી રામમંદિર, મથુરા અને કાશીના નકશા,ગેરેજ માલિક શાહિદની પત્નીએ કહી આ વાત

Latest News Updates

રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
g clip-path="url(#clip0_868_265)">