જ્યારે અર્જુન કપૂરને ડેટ કરવા પર મલાઈકાને ટ્રોલ્સે કહ્યું ‘ઘરડી’, ત્યારે અભિનેત્રીએ આપ્યો આવો જવાબ

|

Apr 09, 2021 | 12:59 PM

મલાઈકા અને અર્જુન ઘણા લોકોનું પ્રિય કપલ છે. જ્યારે અમુક લોકો તેમની મજાક ઉડાવે છે. મલાઈકાની ઉંમર પર કોમેન્ટ કરનારાઓને તેણે જોરદાર જવાબ આપ્યો હતો.

જ્યારે અર્જુન કપૂરને ડેટ કરવા પર મલાઈકાને ટ્રોલ્સે કહ્યું ઘરડી, ત્યારે અભિનેત્રીએ આપ્યો આવો જવાબ
મલાઈકા-અર્જુન

Follow us on

ઘણા સમયથી મલાઇકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચેના સંબંધો અંગે અનેક પ્રકારની અટકળો કરવામાં આવી રહી હતી. તે જ સમયે 2019 માં બંનેએ ડેટિંગના સમાચારની પુષ્ટિ કરી હતી. આ કપલને એક તરફ ચાહકોનો ટેકો મળ્ય, તો બીજી તરફ ટ્રોલનો પણ સામનો કરવો પડ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટ્રોલ્સ મલાઇકાને ‘ડેસપરેટ’ અને ‘ઘરડી’ સુધી કહી દેતા હતા. તે જ વર્ષે એક ઇન્ટરવ્યુ દરમિયાન, એક મલાઇકા અરોરાએ આવા ટ્રોલ્સને શાનદાર પ્રતિસાદ આપ્યો હતો.

મલાઇકા અરોરા અને અર્જુન કપૂર લાંબા સમય સુધી તેમના સંબંધો વિશે મૌન રહ્યા. જોકે, બંને સોશિયલ મીડિયા પર એકબીજાની પોસ્ટ પર કમેન્ટ્સ અને પિક્ચર્સ દ્વારા ચાહકોને ઈશારો આપતા હતા. આ પછી, બંનેએ સત્તાવાર રીતે ઇંસ્ટાગ્રામ પોસ્ટ દ્વારા તેમના સંબંધોને સત્તાવાર રીતે બનાવ્યા. આ પછી, એચટી બ્રંચના ઇન્ટરવ્યુમાં, મલાઇકાને પૂછવામાં આવ્યું કે તેના સંબંધમાં ઉંમરના તફાવતને લગતી સમસ્યાઓ છે? આ અંગે મલાઇકાએ કહ્યું- “જ્યારે તમે સંબંધમાં હો ત્યારે ઉમરનો પ્રશ્ન જ નથી હોતો. દુર્ભાગ્યે આપણે એવા સમાજમાં રહીએ છીએ જે સમયની સાથે આગળ વધવાથી ઇનકાર કરે છે.”

મલાઇકાએ આગળ કહ્યું- ‘જો કોઈ વધુ ઉંમરનો વ્યક્તિ કોઈ યુવતી સાથે રોમાંસ કરે તો તેની પ્રશંસા થાય છે. પરંતુ જ્યારે સ્ત્રી વયમાં મોટી હોય છે ત્યારે તેણીને ડેસ્પરેટ અને વૃદ્ધ કહેવામાં આવે છે. જેઓ આવું વિચારે છે, તેમના માટે મારી પાસે એક વાક્ય જવાબ છે – Take a flying f.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

મલાઇકાએ ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે કેવી રીતે તેનો પુત્ર અરહાન સંબંધ પર પ્રતિક્રિયા આપે છે. મલાઇકાએ કહ્યું કે ‘કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે ઈમાનદારી. તે મહત્વપૂર્ણ છે કે તમે તમારા પ્રિયજનોને તમારા જીવનમાં શું ચાલી રહ્યું છે તે કહો અને પછી વસ્તુઓને સમજવા માટે થોડો સમય અને અવકાશ આપો. મેં વાત કરી છે અને હું ખૂબ ખુશ છું કે આજે દરેક ખુશ છે ‘.

 

આ પણ વાંચો: જ્ઞાનવાપી મસ્જિદ કેસ: કોર્ટના આદેશ પર ભડક્યા ઓવૈસી, ASI પર લગાવ્યા આ મોટા આરોપ

આ પણ વાંચો: પૃથ્વીથી લાખો માઇલ દૂર મંગળ પર રોવરે Ingenuity સાથે લીધી ગજબની સેલ્ફી, જુઓ તસ્વીર

Published On - 12:58 pm, Fri, 9 April 21

Next Article