જ્યારે શાહરૂખ ખાને તેના લગ્નના દિવસે સાસરી પક્ષની ઉડાવી હતી મજાક, જુઓ વાયરલ વિડીયો

શાહરૂખ ખાને વર્ષ 1991માં તેની લૉંગ ટર્મ ગર્લફ્રેન્ડ ગૌરી ખાન (Gauri Khan) સાથે લગ્ન કર્યા હતા. લોકપ્રિય અભિનેતા અને તેની પત્ની ગૌરી ખાનના લગ્નના આજે ત્રણ દાયકાથી વધુ સમય વીતી ચુક્યો છે.

જ્યારે શાહરૂખ ખાને તેના લગ્નના દિવસે સાસરી પક્ષની ઉડાવી હતી મજાક, જુઓ વાયરલ વિડીયો
Shahrukh Khan & Gauri Khan (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 6:50 PM

શાહરૂખ ખાન (Shahrukh Khan) હંમેશા પોતાના રમુજી સ્વભાવથી લોકોનું મનોરંજન કરતો રહે છે. તેને પોતાના લગ્નના દિવસે પણ બધાને ખુબ હસાવ્યા હતા. બોલિવૂડ અભિનેતાએ 1991માં ગૌરી ખાન (Gauri Khan) સાથે લગ્ન કર્યા હતા, જ્યારે તેની અભિનય કારકિર્દી ફક્ત ઉડાન ભરી રહી હતી. તે અત્યારે જેટલો પ્રખ્યાત છે, તેટલો ત્યારે પ્રખ્યાત ન હતો. તેના સાસરિયાઓ પણ તેના વિશે સારી રીતે જાણતા હતા. તેથી, તેઓને પણ શાહરુખ ખાનની કરિયર અંગે શંકા હતી. અત્યારે શાહરુખ ખાનનો બહુ વર્ષો જૂનો ઇન્ટરવ્યૂ ઈન્ટરનેટ પર ફરીથી વાયરલ (Viral Video) થઇ રહ્યો છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
View this post on Instagram

A post shared by SRK VIBE (@srkvibe2.0)

વર્ષો પહેલા ફરીદા જલાલ સાથેના એક ઈન્ટરવ્યુ દરમિયાન શાહરૂખને ગૌરી સાથેના તેના લગ્નની તૈયારીઓ વિશે પૂછવામાં આવ્યું હતું, અને ત્યારે વાતાવરણ કેવું હતું તે શાહરૂખે યાદ કરતા કહ્યું કે તે કેવી રીતે તેના સાસરિયાઓને ટ્રોલ કરવામાં સફળ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, શાહરુખ અને ગૌરીનાં લગ્ન એ આંતર ધર્મીય લગ્ન હતા. બંનેના ધર્મ અલગ અલગ હોવાથી શરૂઆતમાં બંને પક્ષો વચ્ચે થોડી ગેર સમજણ પણ ઉભી થઇ હતી.

“મને યાદ છે કે તેનો આખો પરિવાર આવ્યો હતો. જેમ કે, જૂના જમાનાના લોકો. હું તે તમામ લોકો અને તેમની માન્યતાઓને માન આપું છું. અને એ જૂના જમાનાના લોકો અમારા રિસેપ્શનમાં બેઠા હતા. હું 1.15 વાગ્યે ત્યાં પહોંચ્યો હતો. બધા બબડાટ કરવા લાગ્યા, ‘છોકરો મુસ્લિમ છે. શું તે છોકરીનું નામ બદલી દેશે? શું તે પણ મુસ્લિમ બની જશે. તેઓ બધા પંજાબીમાં આ વાત કહી રહ્યા હતા. તેથી હું અચાનક 1.15 વાગ્યે લગ્ન મંડપમાં ઉઠ્યો, અને કહ્યું કે, ‘ગૌરી ચાલો, તમારો બુરખો પહેરો, નમાઝનો સમય થઈ ગયો છે.” આ સાંભળીને તેનો આખો પરિવાર ચોંકી ગયો હતો કે હું કેટલી ઝડપથી ફ્લિપ થઈ ગયો છું એટલે કે બદલાઈ ગયો છું.

View this post on Instagram

A post shared by SRK VIBE (@srkvibe2.0)

શાહરૂખે તેમને વધુ ચીડવતાં કહ્યું કે, ”જુઓ હવે તે આ બુરખામાં જ રહેશે. તેણી ઘરની બહાર નીકળશે નહીં. અમે તેનું નામ બદલીને આયેશા રાખીશું અને તે આવું જ આગળ રહેશે.”

અભિનેતાએ ઉમેર્યું કે ત્યારથી તેના સાસરિયાઓ સાથે કેવી રીતે વસ્તુઓ બદલાઈ ગઈ છે. “જો કે, આવી રીતે તે લોકોને ટ્રોલ કરીને મને ખુબ જ મજા આવી હતી. પરંતુ હું સમજુ છું કે આ બંને ધર્મો પોતપોતાની જગ્યાએ મહાન છે, અને અમારા લગ્ન આજે પણ ટકી ગયા છે. આજે ગૌરીનો પરિવાર મને તેના કરતા વધુ પ્રેમ કરે છે.”

View this post on Instagram

A post shared by Gauri Khan (@gaurikhan)

શાહરૂખ અને ગૌરીને આજે 3 બાળકો છે – આર્યન, સુહાના અને અબરામ. શાહરૂખની આગામી ફિલ્મોમાં પઠાણ અને ડંકીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો – સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો, ચાહકો થયા દુઃખી

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">