Wedding Anniversary: જ્યારે તેમના લગ્નના રિસેપ્શનમાં આ અભિનેતા સિવાય કોઈને ઓળખી શક્યા ન હતા શ્રીરામ નેને, માધુરી દીક્ષિતે કર્યો ખુલાસો

|

Oct 17, 2021 | 6:36 PM

માધુરી દીક્ષિત (Madhuri Dixit) અને શ્રીરામ નેને (Shriram Nene)ના લગ્નને ઘણા વર્ષો થઈ ગયા છે. આજે, તેમની વર્ષગાંઠ નિમિત્તે ચાલો તમને એક કિસ્સો જણાવીએ જે તેમણે એક મુલાકાતમાં વર્ણવ્યો હતો.

Wedding Anniversary: જ્યારે તેમના લગ્નના રિસેપ્શનમાં આ અભિનેતા સિવાય કોઈને ઓળખી શક્યા ન હતા શ્રીરામ નેને, માધુરી દીક્ષિતે કર્યો ખુલાસો
Amitabh Bachchan, Madhuri Dixit, Shriram Nene

Follow us on

બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત (Madhuri Dixit) હાલમાં ટીવી ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી રહી છે. તેમણે પોતાની ફિલ્મોથી દરેકનું દિલ જીતી લીધું છે. ચાહકો તેમના દેખાવને લઈ પાગલ છે. પરંતુ તેમણે ડૉ.શ્રીરામ નેને (Shriram Nene) સાથે લગ્ન કરીને દરેકનું દિલ તોડી નાખ્યું હતું.

 

લગ્ન પછી માધુરીએ તેમની ફિલ્મી કારકિર્દીને અલવિદા કહીને યુ.એસ. શિફ્ટ થઈ ગયા હતા. આજે તેમની લગ્નની વર્ષગાંઠ પર તેમના રિસેપ્શન સંબંધિત એક કિસ્સો તમને જણાવીએ. શ્રીરામ નેને માધુરી દીક્ષિતના સ્ટારડમ વિશે શરૂઆતમાં કોઈ આઈડિયા નહોતો. તેઓ પહેલા માધુરીને તેમના ભાઈના ઘરે મળ્યા હતા. લગ્ન પહેલા બંનેએ થોડા સમય માટે ડેટિંગ કર્યું હતું.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

વેડિંગ રિસેપ્શનમાં કોઈને ઓળખી ન શક્યા

માધુરી દીક્ષિતે સિમી ગ્રેવાલને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે શ્રીરામે તેમની કોઈ બોલીવુડ ફિલ્મો જોઈ નથી. મેં અને તેમની માતાએ ખૂબ પ્રયત્ન કર્યા હતા તેમને મારી કોઈપણ ફિલ્મ બતાવવાનો. તેમને કહ્યું જુઓ આ ગીત. આ અંગે શ્રી રામે કહ્યું હતું કે શું આપણે બીજું કંઈ કરી શકતા નથી? ચાલો બહાર જઈને કંઈક કરીએ.

 

માધુરીએ કહ્યું હતું કે શ્રીરામ તેમના લગ્નના રિસેપ્શનમાં તેમના ઉદ્યોગના કોઈપણ સ્ટારને ઓળખી શક્યા નથી. તેમણે માત્ર એક વ્યક્તિને ઓળખ્યા હતા. તે હતા અમિતાભ બચ્ચન. માધુરી દીક્ષિતે કહ્યું હતું કે મને લાગે છે કે શ્રી રામ પોતાના રિસેપ્શનમાં માત્ર અમિતાભ બચ્ચનને ઓળખી શક્યા હતા. તેમણે તેમના શાળાના દિવસો દરમિયાન તેમની ફિલ્મ અમર અકબર એન્થોની જોઈ હતી. તે કહી રહ્યા હતા કે મને લાગે છે કે હું આ ચહેરો જાણું છું. મેં તેમને કહ્યું હા તમે તેમને જાણો છો કારણ કે તમે તેમની ફિલ્મ જોઈ છે.

 

 

તમને જણાવી દઈએ કે માધુરી દીક્ષિત અને શ્રી રામના બે પુત્રો છે. તેમના બે પુત્રોના નામ આરિન અને રયાન છે. આરિને આ વર્ષે જ યુ.એસમાં પોતાની કોલેજ શરૂ કરી છે. તે જ સમયે રયાન 16 વર્ષનો થઈ ગયો છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો માધુરી દીક્ષિત તાજેતરમાં ડાન્સ રિયાલિટી શો ડાન્સ દિવાને 3 (Dance Deewane 3)માં જ્જ તરીકે જોવા મળ્યા હતા. હવે તે ટૂંક સમયમાં ડિજિટલ પદાર્પણ કરવા જઈ રહ્યા છે. તેમની આ શ્રેણીનું નામ ફાઈનડિંગ અનામિકા છે. તે નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

 

 

આ પણ વાંચો:- Gorkha Film Controversy: અક્ષય કુમારની ફિલ્મ ‘ગોરખા’ના પોસ્ટર પર થયો વિવાદ, અભિનેતાએ આ રીતે આપી પ્રતિક્રિયા

 

આ પણ વાંચો:- ‘સુપર ડાન્સર’ના બાળકની પ્રતિભા જોઈને Virat Kohli ને થયું આશ્ચર્ય ! Video જોયા બાદ કહી ચોંકાવનારી વાત

Next Article