AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishal Dadlaniએ કંગનાને યાદ અપાવ્યું ભગતસિંહનું બલિદાન, કહ્યું- એ મહિલાને યાદ કરાવો જેણે કહ્યું હતું કે આઝાદી ‘ભીખ’ માં મળી છે

વિશાલ દદલાણી (Vishal Dadlani) એ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસ્વીર સાથેની એક પોસ્ટ શેર કરી છે. જેમાં તે બ્લેક કલરની ટી-શર્ટ પહેરીને બેઠા છે અને તેમની ટી-શર્ટ પર શહીદ ભગત સિંહની તસ્વીર છે.

Vishal Dadlaniએ કંગનાને યાદ અપાવ્યું ભગતસિંહનું બલિદાન, કહ્યું- એ મહિલાને યાદ કરાવો જેણે કહ્યું હતું કે આઝાદી 'ભીખ' માં મળી છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 5:06 PM
Share

અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) અવારનવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં રહે છે. તેણે તાજેતરમાં ભારતની આઝાદીને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેના પર હંગામો અટકવાનું નામ નથી લઈ રહ્યો. કંગના સતત ખુલાસો રજૂ કરી રહી છે, પરંતુ તેને કોઈને કોઈની ટીકાનો ભોગ બનવું પડે છે. સિંગર વિશાલ દદલાણી (Vishal Dadlani)એ એક પોસ્ટ દ્વારા ભગત સિંહ (Bhagat Singh)ના બલિદાનની યાદ અપાવતા કંગના પર નિશાન સાધ્યું હતું.

કહ્યું – એ મહિલાને યાદ કરાવો જેણે કહ્યું હતું કે આઝાદી ‘ભીખ’ માં મળી છે

View this post on Instagram

A post shared by VISHAL (@vishaldadlani)

વિશાલ દદલાણીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસ્વીર સાથેની એક પોસ્ટ શેર કરી છે. જેમાં તે બ્લેક કલરની ટી-શર્ટ પહેરીને બેઠા છે અને તે ટી-શર્ટ પર ભગત સિંહની તસ્વીર છે. વિશાલે ઈન્સ્ટાગ્રામ પર તે પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે તે મહિલાને યાદ કરાવો જેણે કહ્યું હતું કે આપણી સ્વતંત્રતા ભીખમાં મળી છે.

મારી ટી-શર્ટ પર ભગતસિંહ છે, જે નાસ્તિક, કવિ, દાર્શનિક, સ્વાતંત્ર્ય સેનાની, ભારતના પુત્ર અને ખેડૂતનો પુત્ર છે. 24 વર્ષની ઉંમરે તેમણે આપણી આઝાદી માટે, દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપ્યું. તેના હોઠ પર સ્મિત સાથે અને ગીત ગાતા તેને ફાંસી આપવામાં આવી હતી.

વિનમ્રતાથી યાદ અપાવાની વાત કહી વિશાલે

વિશાલે આગળ આ પોસ્ટમાં સુખદેવ, રાજગુરુ, અશફાકઉલ્લાહ અને હજારો અન્ય શહીદોએ પીછેહઠ કરવાની ના પાડી દીધી હતી, તેમના વિશે યાદ અપાવો. તેને નમ્રતાથી યાદ કરાવો, જેથી તે ફરી ક્યારેય ભૂલવાની હિંમત ન કરે. વિશાલે એક પોસ્ટ દ્વારા કંગના રનૌતને શાલીનતાથી જવાબ આપ્યો અને તેમના ચાહકોને પણ તેમને શાલીનતાથી જવાબ આપવા અપીલ કરી.

કંગના રનૌતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આપણને ભીખમાં આઝાદી મળી છે. ત્યારથી ઘણો વિવાદ થયો છે. તેમના નિવેદનની દરેક જગ્યાએ ટીકા થઈ રહી છે. ઘણી જગ્યાએ તેમની સામે એફઆઈઆર પણ કરવામાં આવી છે. ઘણા રાજકીય પક્ષો કહે છે કે તેમના પર દેશદ્રોહનો કેસ ચાલવો જોઈએ. સતત ચાલી રહેલા વિવાદ વચ્ચે કંગનાએ ગઈ કાલે એક લાંબી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી મૂકીને પોતાના નિવેદનને યોગ્ય ઠેરવ્યું હતું.

આ પણ વાંચો :- એરપોર્ટ પર શોર્ટ ડ્રેસ પહેરીને પહોંચી ઉર્વશી રૌતેલા, જોઈને થંભી ગઈ બધાની નજર

આ પણ વાંચો :- થિયેટરોમાં સૂર્યવંશીની સફળતાથી ઉત્સાહિત છે આયુષ્માન ખુરાના, ફિલ્મ ‘ચંડીગઢ કરે આશિકી’ પાસેથી ઘણી આશાઓ

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">