AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishal Dadlaniએ કંગનાને યાદ અપાવ્યું ભગતસિંહનું બલિદાન, કહ્યું- એ મહિલાને યાદ કરાવો જેણે કહ્યું હતું કે આઝાદી ‘ભીખ’ માં મળી છે

વિશાલ દદલાણી (Vishal Dadlani) એ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસ્વીર સાથેની એક પોસ્ટ શેર કરી છે. જેમાં તે બ્લેક કલરની ટી-શર્ટ પહેરીને બેઠા છે અને તેમની ટી-શર્ટ પર શહીદ ભગત સિંહની તસ્વીર છે.

Vishal Dadlaniએ કંગનાને યાદ અપાવ્યું ભગતસિંહનું બલિદાન, કહ્યું- એ મહિલાને યાદ કરાવો જેણે કહ્યું હતું કે આઝાદી 'ભીખ' માં મળી છે
Vishal Dadlani, Kangana Ranaut
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 5:06 PM
Share

અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) અવારનવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં રહે છે. તેણે તાજેતરમાં ભારતની આઝાદીને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેના પર હંગામો અટકવાનું નામ નથી લઈ રહ્યો. કંગના સતત ખુલાસો રજૂ કરી રહી છે, પરંતુ તેને કોઈને કોઈની ટીકાનો ભોગ બનવું પડે છે. સિંગર વિશાલ દદલાણી (Vishal Dadlani)એ એક પોસ્ટ દ્વારા ભગત સિંહ (Bhagat Singh)ના બલિદાનની યાદ અપાવતા કંગના પર નિશાન સાધ્યું હતું.

કહ્યું – એ મહિલાને યાદ કરાવો જેણે કહ્યું હતું કે આઝાદી ‘ભીખ’ માં મળી છે

View this post on Instagram

A post shared by VISHAL (@vishaldadlani)

વિશાલ દદલાણીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસ્વીર સાથેની એક પોસ્ટ શેર કરી છે. જેમાં તે બ્લેક કલરની ટી-શર્ટ પહેરીને બેઠા છે અને તે ટી-શર્ટ પર ભગત સિંહની તસ્વીર છે. વિશાલે ઈન્સ્ટાગ્રામ પર તે પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે તે મહિલાને યાદ કરાવો જેણે કહ્યું હતું કે આપણી સ્વતંત્રતા ભીખમાં મળી છે.

મારી ટી-શર્ટ પર ભગતસિંહ છે, જે નાસ્તિક, કવિ, દાર્શનિક, સ્વાતંત્ર્ય સેનાની, ભારતના પુત્ર અને ખેડૂતનો પુત્ર છે. 24 વર્ષની ઉંમરે તેમણે આપણી આઝાદી માટે, દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપ્યું. તેના હોઠ પર સ્મિત સાથે અને ગીત ગાતા તેને ફાંસી આપવામાં આવી હતી.

વિનમ્રતાથી યાદ અપાવાની વાત કહી વિશાલે

વિશાલે આગળ આ પોસ્ટમાં સુખદેવ, રાજગુરુ, અશફાકઉલ્લાહ અને હજારો અન્ય શહીદોએ પીછેહઠ કરવાની ના પાડી દીધી હતી, તેમના વિશે યાદ અપાવો. તેને નમ્રતાથી યાદ કરાવો, જેથી તે ફરી ક્યારેય ભૂલવાની હિંમત ન કરે. વિશાલે એક પોસ્ટ દ્વારા કંગના રનૌતને શાલીનતાથી જવાબ આપ્યો અને તેમના ચાહકોને પણ તેમને શાલીનતાથી જવાબ આપવા અપીલ કરી.

કંગના રનૌતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આપણને ભીખમાં આઝાદી મળી છે. ત્યારથી ઘણો વિવાદ થયો છે. તેમના નિવેદનની દરેક જગ્યાએ ટીકા થઈ રહી છે. ઘણી જગ્યાએ તેમની સામે એફઆઈઆર પણ કરવામાં આવી છે. ઘણા રાજકીય પક્ષો કહે છે કે તેમના પર દેશદ્રોહનો કેસ ચાલવો જોઈએ. સતત ચાલી રહેલા વિવાદ વચ્ચે કંગનાએ ગઈ કાલે એક લાંબી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી મૂકીને પોતાના નિવેદનને યોગ્ય ઠેરવ્યું હતું.

આ પણ વાંચો :- એરપોર્ટ પર શોર્ટ ડ્રેસ પહેરીને પહોંચી ઉર્વશી રૌતેલા, જોઈને થંભી ગઈ બધાની નજર

આ પણ વાંચો :- થિયેટરોમાં સૂર્યવંશીની સફળતાથી ઉત્સાહિત છે આયુષ્માન ખુરાના, ફિલ્મ ‘ચંડીગઢ કરે આશિકી’ પાસેથી ઘણી આશાઓ

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">