નૌશાદની જન્મજયંતી: મુગલ-એ-આઝમ માટે મ્યુઝીક આપવાની કહી દીધી હતી ના

આજે સંગીતમાં ઉસ્તાદ માનવામાં આવે છે એવા નૌશાદની જન્મજયંતી છે. એવું કહેવામાં આવે છે કે મુગલ–એ–આઝમના ડાયરેક્ટર આસિફ એક વાર નૌસાદના ઘરે મળવા ગયા. ત્યારે નૌશાદ હાર્મોનિયમ પર કોઈ ધૂન તૈયાર કરી રહ્યા હતા. આસિફે હાર્મોનિયમ પર 50,000 રૂપિયાની નોટનું બંડલ ફેક્યું. આથી નૌશાદને ખૂબ ગુસ્સો આવ્યો અને આસિફના મોં પર નોટોનું બંડલ મારીને કહ્યું “આવું […]

નૌશાદની જન્મજયંતી: મુગલ-એ-આઝમ માટે મ્યુઝીક આપવાની કહી દીધી હતી ના
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Dec 25, 2020 | 7:00 PM

આજે સંગીતમાં ઉસ્તાદ માનવામાં આવે છે એવા નૌશાદની જન્મજયંતી છેએવું કહેવામાં આવે છે કે મુગલઆઝમના ડાયરેક્ટર આસિફ એક વાર નૌસાદના ઘરે મળવા ગયા. ત્યારે નૌશાદ હાર્મોનિયમ પર કોઈ ધૂન તૈયાર કરી રહ્યા હતા. આસિફે હાર્મોનિયમ પર 50,000 રૂપિયાની નોટનું બંડલ ફેક્યું. આથી નૌશાદને ખૂબ ગુસ્સો આવ્યો અને આસિફના મોં પર નોટોનું બંડલ મારીને કહ્યું આવું તે લોકો માટે કરો જે એડવાન્સ વગર ફિલ્મમાં સંગીત નથી આપતા. હું તમારી ફિલ્મમાં સંગીત નહીં આપું. ” બાદમાં, આસિફની વિનંતીઓ પર, નૌશાદે ફિલ્મમાં સંગીત આપ્યું અને એક પૈસો પણ લીધો નહીં.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સંગીત માટે છોડ્યું ઘર

લખનૌના મધ્યમવર્ગીય રૂઢીચુસ્ત મુસ્લિમ પરિવારમાં 25 ડિસેમ્બર 1919 ના રોજ નૌશાદનો જન્મ થયો. નાનપણથી જ સંગીત પ્રેમી. તે ફિલ્મ જોયા પછી મોડી રાત્રે ઘરે પરત ફરતા. તેના પિતા હંમેશા કહેતા હતા કે તું ઘર અથવા સંગીત બંનેમાંથી કોઈ એક છોડી દે.” એકવાર એક નાટક કંપની લખનૌ આવી અને નૌશાદે હિંમત કરી તેના પિતાને કહ્યું તમને તમારું ઘર મુબારક. મને મારું સંગીત.” આમ કહીને તેઓ નાટક કંપની સાથે જોડાઈ ગયા. અને જયપુર, જોધપુર, બરેલી અને ગુજરાતના મોટા શહેરોનો પ્રવાસ કર્યો.

સંગીત વાદ્ય ખરીદવાના નહોતા પૈસા

લખનૌમાં એક સંગીત વાદ્યયંત્રોની દુકાન હતી જેમાં નૌશાદ કામ કરતા હતા તેનુ કારણ એ હતુ કે નૌશાદને ખબર હતી કે આમ તે નોકરી દરમિયાન પોતાનો રિયાઝ પણ કરી શકશે, એક વાર રિયાઝ દરમિયાન માલિકે તેને ફટકાર લગાવી અને કહ્યુ કે તેણે વાદ્ય યંત્રોને ગંદુ કરી દીધુ છે, પરંતુ પાછળથી તેને લાગ્યુ કે નૌશાદે ખૂબ સારી ધૂન વગાડી છે અને પછી તેને યંત્ર ભેટ કરી દીધુ

25 રૂપિયા ઉધાર લઈને આવ્યા મુંબઈ

નૌશાદ સંગીતકાર બનવા માટે માત્ર 25 રૂપિયા લઈને મુંબઈ આવ્યા. ત્યાર બાદ ઘણી તકલીફો વેઠવી પડી. ફૂટપાથ પર રાત કાઢી. ત્યારે એમની મુલાકાત નિર્માતા કારદાર સાથે થઇ. જેના કારણે એમને હુસૈન ખાનના ત્યાં પિયાનો વગાડવાનું કામ મળ્યું.

મહીને ચાલીસ રૂપિયા પગારમાં કર્યું કામ

મુંબઈ આવીને જયારે તેઓ હુસૈન ખાનના ત્યાં કામ કરતા હતા ત્યારે ત્યાં પિયાનો વગાડતા હતા. એમનો પગાર ત્યારે માત્ર ચાલીસ રૂપિયા જ હતો.

નૌશાદએ આપેલું સંગીત હજુ લોકોના દિલો દિમાગ પર છવાયેલું રહે છે. અને હજુ વરસો સુધી રહેશે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">