Tickets Price Controversy: RRRની રિલીઝ દરમિયાન શું વધી જશે ટિકિટના ભાવ? જાણો મેકર્સની નવી વ્યૂહરચના
આંધ્ર પ્રદેશમાં નિર્માતાઓ દ્વારા RRRને 100 કરોડ રૂપિયામાં વેચવામાં આવી છે. તેની ભરપાઈ કરવા માટે ડિસ્ટ્રીબ્યુટર્સ શરૂઆતના દિવસોમાં ટિકિટના ભાવ વધારીને ફિલ્મ બતાવવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે મેકર્સ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા હોવાનું કહેવાય છે.
એસએસ રાજામૌલીની બહુપ્રતિક્ષિત બિગ બજેટ ફિલ્મ ‘RRR’ને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. જુનિયર એનટીઆર (JR. NTR), રામચરણ (Ram Charan) અને બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) સ્ટારર આ ફિલ્મની રિલીઝની ફેન્સ ખૂબ રાહ જોઈ રહ્યા છે. 7 જાન્યુઆરી 2022ના રોજ રિલીઝ થનારી આ ફિલ્મને લઈને એક મોટા સમાચાર ધૂમ મચાવી રહ્યા છે.
ટિકિટના ભાવ વધારવાના પ્રયાસો
RRRએ હાઈ-ઓક્ટેન એક્શન સ્ટંટ અને ધમાકેદાર દ્રશ્યોવાળી ફિલ્મ છે અને તેનું બજેટ પણ ઘણું વધારે છે. નિર્માતાઓ ઈચ્છે છે કે ફિલ્મ શરૂઆતના દિવસોમાં સારું પ્રદર્શન કરે, તેથી તેઓ થિયેટરોની ટિકિટ વિશે ચિંતિત છે.
100 કરોડમાં આંધ્રમાં વેચાઈ ફિલ્મ
આંધ્ર પ્રદેશમાં નિર્માતાઓ દ્વારા RRRને 100 કરોડ રૂપિયામાં વેચવામાં આવી છે. તેની ભરપાઈ કરવા માટે ડિસ્ટ્રીબ્યુટર્સ શરૂઆતના દિવસોમાં ટિકિટના ભાવ વધારીને ફિલ્મ બતાવવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે, જેથી આંધ્રપ્રદેશમાં ફિલ્મની ટિકિટના દરમાં વધારો કરવામાં આવે.
ફિલ્મના નિર્માતાઓએ આને માત્ર અફવા ગણાવી છે કે તેઓ ટિકિટના ભાવ વધારવા માટે કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે. હા, તેઓ ચોક્કસપણે આ માટે કોઈ અન્ય માર્ગ શોધવા માટે મુખ્યમંત્રીને મળવાની તૈયારીમાં છે.
It is true that the slashing of ticket prices will affect our film immensely. But we at #RRRMovie have no intention of going to court. We are trying to approach the honourable Andhra Pradesh CM garu and explain our situation for an amicable solution.
— DVV Entertainment (@DVVMovies) November 14, 2021
ટીઝરે સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો
હાલમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સ્ટાર્સની ઝલક જોવા મળી હતી. તેના પર ચાહકોએ ઘણી કમેન્ટ કરી. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ લગભગ 300 કરોડના બજેટમાં બની છે. જેને હિન્દીમાં પણ ડબ કરવામાં આવી છે.
‘RRR’ 13 ઓક્ટોબર, 2021ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ બાદમાં ફિલ્મ નિર્માતાઓએ સત્તાવાર રીતે ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવાની જાહેરાત કરી. કોવિડના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ હવે દેશના તમામ થિયેટર ખુલી ગયા છે.
ફિલ્મની વાર્તા
આ એક પીરિયડ એક્શન ફિલ્મ છે. ફિલ્મમાં બે મહાન ભારતીય સ્વાતંત્ર્ય સેનાની – અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમની વાર્તા દર્શાવવામાં આવશે. આ ફિલ્મમાં વિદ્રોહ અને સંઘર્ષના યુગની વિરુદ્ધ જઈને હીરોને એક અલગ જ રૂપમાં બતાવવામાં આવશે. તે જ સમયે આલિયા ભટ્ટ પણ એક શક્તિશાળી પાત્રમાં આ વાર્તાનો ભાગ બની રહી છે.
ફિલ્મમાં રામચરણના પાત્રનું નામ અલ્લુરી સીતા રામારાજુ અને આલિયા ભટ્ટનું નામ સીતા હશે. આ ફિલ્મ ડીવીવી દાનય્યા દ્વારા ડીવીવી એન્ટરટેઈનમેન્ટ બેનર હેઠળ બનાવવામાં આવી છે. આ ફિલ્મ તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ, કન્નડ અને અન્ય ઘણી ભારતીય ભાષાઓમાં રિલીઝ માટે તૈયાર છે.
આ પણ વાંચો :- કાર્તિક આર્યને તેના મિત્ર સાથે રોડ સાઈડ ફૂડ કોર્નર પર ખાધુ ચાઈનીઝ ફૂડ, જુઓ આ વાયરલ Photos
આ પણ વાંચો :- Vishal Dadlaniએ કંગનાને યાદ અપાવ્યું ભગતસિંહનું બલિદાન, કહ્યું- એ મહિલાને યાદ કરાવો જેણે કહ્યું હતું કે આઝાદી ‘ભીખ’ માં મળી છે