લગ્ન પહેલા લિવ ઈન રિલેશનશિપમાં રહી ચુક્યા છે આ જાણીતા સિતારાઓ, ઐશ્વર્યા-સલમાનથી લઈને આ સેલેબ્સ છે સામેલ

ટેલિવિઝનના સિતારાથી લઈને ફિલ્મના સિતારાઓ લગ્ન પહેલા લીવ ઈન રિલેશનશિપમાં રહી ચુક્યા છે. તે તેના પાર્ટનરને સારી રીતે જાણવા માટે સાથે રહેતા હતા પરંતુ સમય જતા ઘણા સિતારાઓનું બ્રેકઅપ થઇ ગયું હતું.

લગ્ન પહેલા લિવ ઈન રિલેશનશિપમાં રહી ચુક્યા છે આ જાણીતા સિતારાઓ, ઐશ્વર્યા-સલમાનથી લઈને આ સેલેબ્સ છે સામેલ
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 9:16 AM

બોલિવૂડ સેલિબ્રિટીઝ (Bollywood celebs) વચ્ચેનો પ્રેમ અને તેમના બગડતા સંબંધોને લઈને હંમેશા ચર્ચા કરવામાં આવતી હોય છે. આ સ્થિતિમાં સિલ્વર સ્ક્રીનના ઘણા સંબંધોએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ઘણા બોલિવૂડ અને ટીવી કપલએ તેમના સંબંધોને ઓળખવા માટે લગ્ન પહેલા પણ લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાનો નિર્ણય લીધો હતો. પરંતુ અમુક સિતારાઓનો સંબંધ લગ્ન સુધી પહોંચ્યો હતો તો અમુક અલગ થઇ ગયા હતા. 

આજે અમે તમને આવા લોકપ્રિય સ્ટાર્સ વિશે જણાવીશું. જે લગ્ન પહેલા જ લિવ-ઈનમાં રહી ચૂક્યા છે.

ઐશ્વર્યા રાય બચ્ચન-સલમાન ખાન

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

ઐશ્વર્યા રાય બચ્ચન અને સલમાન ખાન વચ્ચેના સંબંધો ખૂબ જ વિવાદાસ્પદ રહ્યા છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે જ્યારે બંને રિલેશનશિપમાં હતા ત્યારે બંને કેટલાક મહિનાઓ માટે લિવઇનમાં પણ હતા. હવે એશ બચ્ચન પરિવારની વહુ છે. ઐશ્વર્યાએ અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક સાથે લગ્ન કર્યા છે. તો સલમાન ખાને હજુ સુધી લગ્ન કર્યા નથી.

રણબીર કપૂર અને કેટરીના કૈફ

રણબીર કપૂર અને કેટરીના કૈફની ડેટિંગની અફવાઓ ઘણી સામે આવી છે. એવું માનવામાં આવતું હતું કે બંને ટૂંક સમયમાં લગ્ન પણ કરશે, પરંતુ જ્યારે આ કપલે તેમના છ વર્ષના સંબંધનો અંત લાવ્યો ત્યારે બધા ચોંકી ગયા હતા. તેઓ લિવ ઇનમાં રહ્યા હતા. પરંતુ આ રીતે તેમનું અલગ થવું ફેન્સ માટે ખૂબ જ આઘાતજનક હતું. હવે તેઓ પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા છે. રણબીર કપૂર હાલ આલિયા ભટ્ટ સાથેના સંબંધને લઈને ચર્ચામાં છે. તો કેટરીના કૈફ વિક્કી કૌશલના સંબંધને લઈને ચર્ચામાં છે.

જોન અબ્રાહમ અને બિપાશા બાસુ

જોન અબ્રાહમ અને બિપાશા બાસુ બોલિવૂડમાં એક એવું કપલ છે જેમના બ્રેકઅપથી મીડિયામાં ખળભળાટ મચી ગયો હતો. બંનેએ સ્વીકાર્યું હતું કે તેઓ લિવ-ઈન રિલેશનશિપમાં છે. લગભગ 9 વર્ષ સુધી લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો. હવે તેઓ પોતપોતાના જીવનસાથી સાથે સુખી લગ્નજીવન જીવી રહ્યા છે.

સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે

લોકપ્રિય ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હતી. તેઓ લાંબા સમય સુધી સાથે હતા પરંતુ પછી તેમના સંબંધોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પોતાના લિવ-ઈન રિલેશનશિપ વિશે સુશાંતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “હા, હું અંકિતા સાથે લિવ-ઈન રિલેશનશિપમાં છું.

અમારા બંને માતા-પિતા પણ અમારા નિર્ણય સાથે સંમત છે. મેં ક્યારેય મારા લિવ-ઈન રિલેશનશિપને છુપાવવાની જરૂર નથી અનુભવી. ફેન્સ પણ બંનેના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ 2016માં બંને અલગ થઇ ગયા હતા.

નેહા કક્કર-હિમાંશ કોહલી

બોલિવૂડની જાણીતી સિંગર નેહા કક્કર અને હિમાંશ કોહલી પણ લિવ ઇનમાં રહેતા હતા. જોકે, તેમના સંબંધો ઘણા વિવાદોમાં રહ્યા છે. લગ્ન પહેલા નેહા હિમાંશના ફેન્સ કપલ ગોલ આપતી હતી. પરંતુ સમય જતા તેમનું બ્રેકઅપ થઈ ગયું. હિમાંશ પર નેહાએ છેતરપિંડીનો આરોપ પણ લાગ્યો હતો. તેની સાથેના બ્રેકઅપ બાદ નેહાએ રોહનપ્રીત સાથે લગ્ન કરી લીધા છે.

આ પણ વાંચો : Good news : આખરે 5 થી 11 વર્ષના બાળકો માટેની Pfizer વેક્સિનને મળી મંજૂરી

આ પણ વાંચો : જશ્નનો માહોલ : પુત્રના સ્વાગત માટે ‘મન્નત’ને શણગારાયું, ગમે ત્યારે ઘરે પહોંચી શકે છે આર્યન ખાન

Latest News Updates

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">