Indian Idol 12: વિવાદમાં ફસાયેલા પુત્રની તરફેણમાં આવ્યા ઉદિત નારાયણ, અમિત કુમાર પર કહી આ મોટી વાત

કિશોર દાના પુત્ર અમિત કુમારના નિવેદન બાદ Indian Idol 12 ને લઈને વિવાદ વધી રહ્યો છે. આ વિવાદમાં હોસ્ટ આદિત્ય નારાયણ ફસાતા જોવા મળી રહ્યા છે. આવામાં ઉદિત નારાયણે પૂત્રનો પક્ષ લીધો હતો.

Indian Idol 12: વિવાદમાં ફસાયેલા પુત્રની તરફેણમાં આવ્યા ઉદિત નારાયણ, અમિત કુમાર પર કહી આ મોટી વાત
આદિત્ય - ઉદિત
Follow Us:
| Updated on: May 25, 2021 | 1:32 PM

આ વખતે સોની ટીવી પર પ્રસારિત થયેલ સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ (Indian Idol 12) TRP માં છવાઈ ગયેલો છે. વર્ષોથી આ શો દર્શકોનું મનોરંજન કરતો આવ્યો છે. પરંતુ આ વખતે શો વિવાદોમાં ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. શોના સ્પર્ધકોને લઇને ઘણો વિવાદ સર્જાયો છે. સિંગર અમિત કુમારના (Amit Kumar) ઘટસ્ફોટ પછી વિવાદને નવો વળાંક મળ્યો છે. શોના વિવાદ વચ્ચે હોસ્ટ આદિત્ય નારાયણ (Aditya Narayan) પણ ફસાયા છે.

આવામાં સિંગર ઉદિત નારનાયણે (Udit Narayan) દીકરાનો પક્ષ લીધો હતો. એક ખાનગી સમાચાર સંસ્થાને આપેલા ઈન્ટરવ્યુંમાં ઉદિતે કહ્યું કે આદિત્યની અંદર હજુ બાળપણ છે, તેથી અન્ય લોકોની જેમ ચૂપ નથી રહેતો. આ જ કારણે આખો વિવાદ તેના પર આવી ગયો છે.

ઉદિત નારાયણે કહ્યું છે કે જ્યારે રિયાલિટી શો બનાવવામાં આવે છે ત્યારે દેશના વિવિધ ક્ષેત્રના લોકોને તેમાં એક તક મળે છે, જેથી તેઓ આગળ વધે અને તેમના સપના સાચા થાય. પરંતુ જો તે વિવાદમાં ફસાઈ જાય તો તેમનું ધ્યાન બીજી તરફ ડાયવર્ટ થઇ જાય છે. આવા વિવાદના સમયે સિંગર્સ તેમની ગાયકી અને રિયાઝ પર ધ્યાન આપે તે યોગ્ય છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પુત્રની તરફેણમાં આવ્યા ઉદિત

તેમણે વધુમાં કહ્યું કે આદિત્યની અંદર હજુ બાલિશપણું છે અને તે ખૂબ જ ભાવનાશીલ વ્યક્તિ છે. આવી સ્થિતિમાં તે શોમાં સાથે સંકળાયેલ હોવાના કારણે ખૂબ જ સંવેદનશીલ બની ગયો છે. જ્યારે આખા શોમાં કોઈએ કંઈ કહ્યું નહીં, પરંતુ હવે આખી વાત આદિત્ય પર આવી ગઈ છે.

ઉદિતે આગલ કહ્યું કે આદિત્ય ત્યાં ફક્ત એન્કર છે, તો તેના પર બધું ઢોળી દેવું યોગ્ય નથી. કારણ કે તે તેની ભૂલ નથી. મને લાગે છે કે આ શોના મુખ્ય લોકોએ આ વિશે વાત કરવી જોઈએ, પરંતુ તેઓએ એન્કરને શા માટે આગળ ધરી દીધો છે. આ સમયે દરેક વ્યક્તિએ તેને ટેકો આપવો જોઈએ. હું હમણાં તેને કંઈ પણ કહી રહ્યો નથી કારણ કે લોકો પહેલાથી જ તેના પર નિશાન સાધી રહ્યા છે.

અમિત કુમાર વિશે કહી આ વાત

અમિત કુમાર મામલા પર બોલતા ઉદિતે કહ્યું છે કે અમિત કુમાર વખતનો મેં શો જોયો તે મારા માટે ખૂબ મનોરંજક હતું. હું અમિત કુમારને નજીકથી ઓળખું છું, અમે કોરોના પહેલા તેની હાઉસ પાર્ટીમાં મળ્યા હતા. કિશોર દાની તુલના ક્યારેય એક જ વ્યક્તિ સાથે કરી શકાય જ નહીં.

ઉદિતે કહ્યું કે જો તમે શો પર આવવા સંમત થાઓ છો, તો પછી બહાર આવીને આવું વિવાદાસ્પદ ના બોલવું જોઈએ. હું જાણું છું કે આ કહેવાથી હું પણ આદિત્યની જેમ ફસાઈ જઈશ. જ્યારે અમિત મારા ભાઈથી ઓછો નથી. આ મામલે હું તેની સાથે વાત કરીશ. અમને બોલાવવામાં આવે છે, જેથી અમે કહેવામાં આવે છે જેથી અમે સ્પર્ધકોને વધુ નિખારીએ અને એના માટે અમને પૈસા અપાય છે.

શું હતો વિવાદ

તાજેતરમાં જ અમિત કુમાર વખતના શો પર સવાલ ઉઠ્યા હતા. અમિત કુમારે કહ્યું હતું કે તેમને સ્પર્ધકની તારીફ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ બાદ જ્યારે શો પર કુમાર સાનુ, રૂપ કુમાર રાઠોડ અને અનુરાધા પૌડવાલ પહોંચ્યો ત્યારે આદિત્યએ કટાક્ષ કરતા કહ્યું હતું કે અમે તમારી પાસેથી જબરદસ્તીથી સ્પર્ધકના વખાણ કરાવ્યા છે. ત્યાર બાદ આદિત્ય વિવાદમાં છે.

આ પણ વાંચો: ભારત સરકારે આ વર્ષે ખેડૂતો પાસેથી MSP પર ઘઉંની રેકોર્ડ બ્રેક ખરીદી કરી, ખેડૂતો થયા માલામાલ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">