AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TMKOC: શું ‘ટપ્પુની મમ્મી’ શોમાં પાછી ફરી રહી છે? ‘દયાબહેને’ આપ્યા પાછા ફરવાના સંકેતો

TMKOC: તાજેતરમાં બાઘાની નવી બાવરી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પ્રવેશી છે. દયાબેન એટલે કે દિશા વાકાણી આનાથી સૌથી વધુ ખુશ છે, તેણે સોશિયલ મીડિયા પર વીણા વાડેકરનું સ્વાગત કર્યું છે.

TMKOC: શું 'ટપ્પુની મમ્મી' શોમાં પાછી ફરી રહી છે? 'દયાબહેને' આપ્યા પાછા ફરવાના સંકેતો
Disha Vakani
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2023 | 3:37 PM
Share

TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મોટા બદલાવ આવ્યા છે. શોમાં ઘણાં સમય પછી બાઘાને પોતાનો ખોવાયેલો પ્રેમ ‘બાવરી’ ફરીથી મળી છે. એક્ટ્રેસ નવીના વાડેકર આ પાત્ર સાથે તારક મહેતામાં તેની નવી શરૂઆત કરી છે અને દયાબેન ઉર્ફે દિશા વાકાણી તેનું શોમાં સ્વાગત કરે છે. દિશાના પણ પાછા ફરવાના સમાચાર પણ ચાલી રહ્યા છે.

શું પાછા ફરી રહ્યા છે દયાબેન?

ટીવીના ઈતિહાસમાં સૌથી સફળ શો માંથી એક શો એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. જે છેલ્લા 15 વર્ષથી દર્શકોને મંત્રમુગ્ધ કરી રહ્યો છે. દર્શકોનો પ્રેમ મેળવી રહ્યો છે. આટલા વર્ષોમાં શોમાં ઘણા ફેરફારો થયા છે. ઘણા પાત્રોએ શો છોડી દીધો અને કેટલાકે આ દુનિયાને અલવિદા કહી દીધું. તેવી જ રીતે શોના નિર્માતાઓ બાવરીને પરત લાવ્યા છે, જે લાંબા સમયથી સીરિયલમાં જોવા મળી ન હતી.

આ પણ વાંચો : TMKOC : તારક મહેતાની સિરિયલમાં કામ કરી ચુકેલા એક્ટરનું 40 વર્ષની વયે નિધન, સિરિયલથી મળી હતી ખ્યાતિ

શું દિશાએ પાછા ફરવાના સંકેત આપ્યા છે?

નવીના વાડેકરે બાવરીના પાત્ર માટે શૂટિંગ શરૂ કરી દીધું છે. અહીં જ્યારે આ સમાચાર દયાબેન એટલે કે દિશા વાકાણીના કાને પહોંચ્યા તો તે ખુશ થઈ ગઈ અને તેણે સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી છે. નવીના વાડેકરની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને દિશા વાકાણીએ તેને શોમાં તેના નવા ડેબ્યૂ માટે અભિનંદન પાઠવ્યા હતા. લાંબા સમય પછી દિશા દ્વારા શો વિશે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે, આ કિસ્સામાં ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.

તારક મહેતાની વિખરાયેલી કડીઓને ફરીથી જોડવી પડશે

આશા છે કે એક દિવસ દિશા પણ તારક મહેતામાં ‘ટપ્પુ કે પાપા’ કહેતી જોવા મળશે. અસિત મોદીએ ગયા વર્ષે જ દિશા વિશે સ્પષ્ટ કહ્યું હતું કે, તેને લાવવાના પ્રયાસો ચાલુ છે. હવે તાજેતરમાં શોની ઘટતી ટીઆરપી પછી, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે તારક મહેતાની વિખરાયેલી કડીઓને એપિસોડ્સ ફરીથી જોડવી પડશે અને જે પાત્રોએ શો છોડી દીધો છે તેમને પાછા લાવવા પડશે.

5 વર્ષથી ગાયબ છે

દયાબેન વર્ષ 2017થી શોમાંથી ગાયબ છે. હાલમાં જ તેને એક દિકરાને જન્મ આપ્યો છે, જેના પછી તેના પાછા ફરવાના સમાચાર પર પૂર્ણવિરામ લાગી ગયું હતું, પરંતુ આ તાજા પોસ્ટ પછી ફેન્સની આશા વધી ગઈ છે. તે કોઈપણ સંજોગોમાં તારક મહેતામાં દયાબેનને જોવા માંગે છે.

Follow Us
કંડકટરની ભરતી માટે ફર્સ્ટ એઈડ સર્ટી માટે લાઇનો લાગી
કંડકટરની ભરતી માટે ફર્સ્ટ એઈડ સર્ટી માટે લાઇનો લાગી
રાજકોટ આરોગ્ય વિભાગનો સપાટો, 2 ટન હલકી ગુણવતાની બદામનો જથ્થો ઝડપ્યો
રાજકોટ આરોગ્ય વિભાગનો સપાટો, 2 ટન હલકી ગુણવતાની બદામનો જથ્થો ઝડપ્યો
રાજકોટના ધોરાજીમાં ડીઝલની અછત, પંપ પર ખેડૂતોની લાગી લાંબી કતારો!
રાજકોટના ધોરાજીમાં ડીઝલની અછત, પંપ પર ખેડૂતોની લાગી લાંબી કતારો!
સુરત વકીલ મંડળની સામાન્ય સભામાં હોબાળો, Watch Video
સુરત વકીલ મંડળની સામાન્ય સભામાં હોબાળો, Watch Video
હત્યાનો ફરાર આરોપી નામ બદલીને છેલ્લા 12 વર્ષથી કરતો હતો અભિનય
હત્યાનો ફરાર આરોપી નામ બદલીને છેલ્લા 12 વર્ષથી કરતો હતો અભિનય
સુરેન્દ્રનગરમાં મેગા ચેકિંગ દરમિયાન 1.25 કરોડની વીજચોરીનો પર્દાફાશ
સુરેન્દ્રનગરમાં મેગા ચેકિંગ દરમિયાન 1.25 કરોડની વીજચોરીનો પર્દાફાશ
ધ્રોલમાં ડીઝલની અછતથી ખેડૂતોનો આક્રોશ, પેટ્રોલ પંપ પર હોબાળો
ધ્રોલમાં ડીઝલની અછતથી ખેડૂતોનો આક્રોશ, પેટ્રોલ પંપ પર હોબાળો
સારું એવું ભંડોળ કમાઈ શકો છો, પૈસા ખર્ચવાના મૂડમાં હશો
સારું એવું ભંડોળ કમાઈ શકો છો, પૈસા ખર્ચવાના મૂડમાં હશો
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
g clip-path="url(#clip0_868_265)">