માત્ર શ્વાસ લઈ રહ્યા છે, રાજુ શ્રીવાસ્તવની હેલ્થ પર બોલ્યા સુનિલ પાલ

|

Aug 18, 2022 | 10:07 PM

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની (Raju Srivastava) હાલત હજુ પણ ગંભીર છે. ધીમે ધીમે તેનો પરિવાર અને નજીકના લોકો તેની પાસે પહોંચી રહ્યા છે અને તેના ફેન્સ તેના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.

માત્ર શ્વાસ લઈ રહ્યા છે, રાજુ શ્રીવાસ્તવની હેલ્થ પર બોલ્યા સુનિલ પાલ
Sunil-Pal-And-Raju-Srivastava

Follow us on

પોતાની ફની વાતોથી બધાને હસાવનાર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava) આ દિવસોમાં જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહ્યો છે. તેઓ છેલ્લા 9 દિવસથી એઈમ્સ હોસ્પિટલના આઈસીયુમાં વેન્ટિલેટર પર છે. રાજુ શ્રીવાસ્તવના નજીકના મિત્ર અને કોમેડિયન સુનીલ પાલે (Sunil Pal) તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે. તે કહે છે કે ‘માત્ર રાજુ શ્રીવાસ્તવનો શ્વાસ ચાલી રહ્યો છે, બાકીના શરીરે કામ કરવાનું બંધ કરી દીધું છે.’ તેને લોકોને રાજુ શ્રીવાસ્તવ માટે પ્રાર્થના કરવાનું કહ્યું છે.

રાજુ માત્ર શ્વાસ ચાલી રહ્યો છે – સુનિલ પાલ

સુનિલ પાલ સતત રાજુ શ્રીવાસ્તવના પરિવારના સંપર્કમાં છે. તેઓ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. હાલમાં જ તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપતા તેમને એક લિડિંગ પોર્ટલને કહ્યું હતું કે, ‘મેં થોડા સમય પહેલા રાજુના ભત્રીજા કુશલ સાથે વાત કરી હતી અને મને ખબર પડી છે કે રાજુનું મગજ કામ કરતું નથી. ડોકટરો તેમના તરફથી કોશિશ કરી રહ્યા છે અને દરેક તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તેને આગળ કહ્યું કે, ‘ફક્ત તેનો શ્વાસ ચાલી રહ્યો છે, બાકીનું શરીર બિલકુલ કામ નથી કરી રહ્યું.’ આ સિવાય તેને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક દિલને હચમચાવી નાખે એવો વીડિયો પણ શેયર કર્યો છે, જેમાં તે ઈમોશનલ થઈને કહે છે કે રાજુનું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે અને લોકોને તેના માટે પ્રાર્થના કરવાનું કહે છે.

અશોક પંડિતે પણ કર્યું ટ્વીટ

ફિલ્મ નિર્માતા અશોક પંડિતે પણ પોતાના એક ટ્વીટમાં કહ્યું છે કે ‘આવો રાજુભાઈ, આનાથી લડો. તમે અત્યાર સુધીની બધી લડાઈઓ જીતી લીધી છે અને આ પણ તમે જીતી જશો. દેશ તમારા માટે પ્રાર્થના કરી રહ્યો છે અને તમારી સાથે હસવાની રાહ જોઈ રહ્યો છે.

10 ઓગસ્ટે તેની સાથે થયો હતો દુર્ઘટના

રાજુ શ્રીવાસ્તવ હંમેશની જેમ વર્કઆઉટ કરવા માટે જીમ ગયા હતા. 10 ઓગસ્ટના રોજ તે ટ્રેડમિલ પર ચાલતી વખતે પડી ગયો હતો. તેમને હાર્ટ એટેક આવ્યો હતો જે બાદ તેમને દિલ્હીની એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા. એક દિવસ પહેલા સુધી તેમની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ એક દિવસ પછી તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી.

58 વર્ષના છે રાજુ શ્રીવાસ્તવ

58 વર્ષના રાજુ શ્રીવાસ્તવ 80ના દાયકાથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનો એક ભાગ છે. વર્ષ 2005માં સ્ટેન્ડ-અપ રિયાલિટી કોમેડી શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પહેલી સિઝનમાં ભાગ લીધા પછી લોકો તેને જાણવા લાગ્યા. રાજુ શ્રીવાસ્તવે મૈંને પ્યાર કિયા, બાઝીગર અને આમદાની અથની ખર્ચા રૂપૈયા સહિત ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે.

Next Article