પોતાની ફની વાતોથી બધાને હસાવનાર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava) આ દિવસોમાં જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહ્યો છે. તેઓ છેલ્લા 9 દિવસથી એઈમ્સ હોસ્પિટલના આઈસીયુમાં વેન્ટિલેટર પર છે. રાજુ શ્રીવાસ્તવના નજીકના મિત્ર અને કોમેડિયન સુનીલ પાલે (Sunil Pal) તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે. તે કહે છે કે ‘માત્ર રાજુ શ્રીવાસ્તવનો શ્વાસ ચાલી રહ્યો છે, બાકીના શરીરે કામ કરવાનું બંધ કરી દીધું છે.’ તેને લોકોને રાજુ શ્રીવાસ્તવ માટે પ્રાર્થના કરવાનું કહ્યું છે.
સુનિલ પાલ સતત રાજુ શ્રીવાસ્તવના પરિવારના સંપર્કમાં છે. તેઓ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. હાલમાં જ તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપતા તેમને એક લિડિંગ પોર્ટલને કહ્યું હતું કે, ‘મેં થોડા સમય પહેલા રાજુના ભત્રીજા કુશલ સાથે વાત કરી હતી અને મને ખબર પડી છે કે રાજુનું મગજ કામ કરતું નથી. ડોકટરો તેમના તરફથી કોશિશ કરી રહ્યા છે અને દરેક તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છે.
તેને આગળ કહ્યું કે, ‘ફક્ત તેનો શ્વાસ ચાલી રહ્યો છે, બાકીનું શરીર બિલકુલ કામ નથી કરી રહ્યું.’ આ સિવાય તેને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક દિલને હચમચાવી નાખે એવો વીડિયો પણ શેયર કર્યો છે, જેમાં તે ઈમોશનલ થઈને કહે છે કે રાજુનું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે અને લોકોને તેના માટે પ્રાર્થના કરવાનું કહે છે.
ફિલ્મ નિર્માતા અશોક પંડિતે પણ પોતાના એક ટ્વીટમાં કહ્યું છે કે ‘આવો રાજુભાઈ, આનાથી લડો. તમે અત્યાર સુધીની બધી લડાઈઓ જીતી લીધી છે અને આ પણ તમે જીતી જશો. દેશ તમારા માટે પ્રાર્થના કરી રહ્યો છે અને તમારી સાથે હસવાની રાહ જોઈ રહ્યો છે.
Come on Raju bhai fight it out .
You have won all the battles till date and you will win this also .
The country is praying for you & is waiting to laugh with you. #RajuSrivastava pic.twitter.com/402Ep2zQee— Ashoke Pandit (@ashokepandit) August 18, 2022
રાજુ શ્રીવાસ્તવ હંમેશની જેમ વર્કઆઉટ કરવા માટે જીમ ગયા હતા. 10 ઓગસ્ટના રોજ તે ટ્રેડમિલ પર ચાલતી વખતે પડી ગયો હતો. તેમને હાર્ટ એટેક આવ્યો હતો જે બાદ તેમને દિલ્હીની એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા. એક દિવસ પહેલા સુધી તેમની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ એક દિવસ પછી તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી.
58 વર્ષના રાજુ શ્રીવાસ્તવ 80ના દાયકાથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનો એક ભાગ છે. વર્ષ 2005માં સ્ટેન્ડ-અપ રિયાલિટી કોમેડી શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પહેલી સિઝનમાં ભાગ લીધા પછી લોકો તેને જાણવા લાગ્યા. રાજુ શ્રીવાસ્તવે મૈંને પ્યાર કિયા, બાઝીગર અને આમદાની અથની ખર્ચા રૂપૈયા સહિત ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે.