AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પરિણીતી ચોપરાએ ભારતી સિંહને આવનાર બાળકનું નામ સૂચવ્યું, કરણ જોહરે કહી આ વાત

કલર્સ ટીવીના જાણીતા શો 'હુન્નરબાઝ'માં પરિણીતી ચોપરા ભારતી સિંહને તેના આવનાર બાળકના નામ વિશે આઈડિયાઝ આપતી જોવા મળે છે. ત્યારે કરણ જોહરે કોમેડિયન ભારતી સિંહ વિશે તેના મનનો ડર શેયર કર્યો છે.

પરિણીતી ચોપરાએ ભારતી સિંહને આવનાર બાળકનું નામ સૂચવ્યું, કરણ જોહરે કહી આ વાત
Hunnarbaaz Desh Ki Shaan Show - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 10:39 PM
Share

ટીવી જગતની ‘કોમેડિયન ક્વીન’ ગણાતી ભારતી સિંહ (Bharti Singh) આ દિવસોમાં ખૂબ જ ખુશ છે કારણ કે તેના ઘરે ટૂંક સમયમાં નાનકડા મહેમાનનું આગમન થવાનું છે. ભારતી સિંહ આ સમયે તેના જીવનની સૌથી સુંદર ક્ષણોમાંથી પસાર થઈ રહી છે અને તેના ચાહકો તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે. હાલમાં, ભારતી સિંહ કલર્સ ટીવીના (Colors TV) જાણીતા શો ‘હુનરબાઝ’ને પતિ હર્ષ લીંબાચિયા સાથે હોસ્ટ કરી રહી છે. આ શોમાં કરન જોહર (Karan Johar)ની સાથે બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી પરિણીતી ચોપરા અને મિથુન ચક્રવર્તી પણ જજ તરીકે જોવા મળી રહયા છે.

View this post on Instagram

A post shared by Parineeti Chopra (@parineetichopra)

અમે તમને જણાવી દઈએ કે, આ શોની જજ પરિણિતી ચોપરા કોમેડિયન ભારતીની પ્રેગ્નન્સીના સમાચારોથી ઘણી ખુશ છે. અભિનેત્રી પરિણીતી ચોપરાએ પણ ભારતીને તેના આવનારા બાળકના નામ વિશે સૂચનો આપવાનું શરૂ કરી દીધું છે. ભારતી સિંહ તેના ગર્ભાવસ્થાના દિવસોમાં પણ સતત કામ કરી રહી છે. હાલમાં અભિનેત્રી પતિ હર્ષ લિમ્બાચિયા સાથે ‘હુનરબાઝ’ શોને છેલ્લા ઘણા અઠવાડિયાથી હોસ્ટ કરી રહી છે.

પરિણીતીનો વિડીયો થઇ રહ્યો છે વાયરલ 

આ શોના એક એપિસોડમાં, ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયા જજ પરિણીતી ચોપરા અને કરણ જોહરને નવા બાળકના નામ સૂચન માટે પૂછતા જોવા મળ્યા હતા. તાજેતરમાં, આ શોનો એક પ્રોમો સામે આવ્યો છે, જેમાં પરિણીતી ચોપરા ભારતીને તેના આવનાર બાળકના નામ વિશે સૂચનો આપતી જોવા મળે છે. આ અંગે કરણ જોહર તેના મનમાં રહેલો ડર શેયર કરતા કહે છે કે, ક્યાંક ભારતી તેના બાળકને સેટ પર જ જન્મ ન આપી દે.

View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

અત્રે ઉલ્લેખનીય છે કે, કરણ જોહરની આ વાત સાથે ભારતી સિંહ પણ સહમત છે. ભારતી એવું પણ કહેતી જોવા મળે છે કે તે પણ કંઈક એવું જ માની રહી છે કે, એવું ન થાય કે બાળક સેટ પર હોવું જોઈએ. કારણ કે ડિલિવરીની તારીખ પણ નજીક છે અને ડૉક્ટર્સ કહે છે કે બાળકનો હવે ગમે ત્યારે જન્મ થઇ શકે છે.

ભારતીના બાળકના નામ વિષે થઇ ચર્ચા 

કરણ જોહરનું કહેવું છે કે, જો ભારતીને દીકરો થાય છે તો તેણે પોતાના દીકરાનું નામ ‘હુન્નર’ રાખવું જોઈએ અને જો દીકરીનો જન્મ થાય તો ભારતીએ બાળકીનું નામ ‘બાઝ’ રાખવું જોઈએ. ભારતીને કરણના આ વિચારો બિલકુલ પસંદ ન આવ્યા અને આગળ કહ્યું કે, તમારા બાળકોના આટલા સારા નામ યશ અને રૂહી છે અને મારા બાળકોના નામ હુનર અને બાઝ!’

આગળ કરણ જોહર ભારતી સિંહને બાળક માટે બીજું નામ સૂચવે છે – ‘પ્રબીર’, જેનો અર્થ થાય છે ‘કૌશલ્ય’. આ દરમિયાન કરણે કહ્યું કે, ‘બોલીવુડમાં કબીર, રણબીર અને રણવીર ઘણા છે. પણ કોઈ જ પ્રબીર નથી.’ જ્યારે અભિનેત્રી પરિણીતી ચોપરા પણ કહે છે કે ભારતીની દીકરીનું નામ ‘ઈનાયત’ હોવું જોઈએ અને કરણે પણ આગળ કહ્યું-  કે, ‘નૈના’ પણ સારું નામ છે.

આ પણ વાંચો – મુંબઈના બાંદ્રા ખાતે એક રેસ્ટોરન્ટમાં જોવા મળી કાજોલની દીકરી ન્યાસા દેવગન, જુઓ વાયરલ ફોટો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">