AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિશા સાલિયાન વિશે અંકિતાએ કર્યો મોટો ખુલાસો, કહ્યું સુશાંત અને તેની મેનેજર વચ્ચે સંબંધ શુ હતો

સુશાંત સિંહ રાજપુત અને દિશા સાલિયાનને લઈ દરરોજ નવા નવા ખુલાસાઓ થતા રહેતા હોય છે. દિશા સાલિયાનનું મૃત્યુ 20 જૂન 2020માં રાત્રે બિલ્ડિંગની 14માં માળેથી નીચે પટકાય થયું હતુ. તે સુશાંત સિંહ રાજપુતના મૃત્યુના 5 દિવસ બાદ થયું હતુ. દિશા અને સુશાંતના કનેક્શનને લઈને અંકિતા લોખંડે બિગ બોસમાં મોટો ખુલાસો કર્યો છે.

દિશા સાલિયાન વિશે અંકિતાએ કર્યો મોટો ખુલાસો, કહ્યું સુશાંત અને તેની મેનેજર વચ્ચે સંબંધ શુ હતો
| Updated on: Jan 02, 2024 | 10:10 AM
Share

ટીવીની મશહુર અભિનેત્રી અંકિતા લોખંડે અને તેના પતિ વિક્કી જૈન હાલમાં કલર્સ ટીવીના રિયાલિટી શો બિગ બોસ 17ને લઈને ચર્ચામાં છે. હાલમાં શોમાં અંકિતા લોખંડે હંમેશા તેના એક્સ બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપુતને યાદ કરતી જોવા મળતી હોય છે. હાલમાં બિગ બોસના ગાર્ડન એરિયામાં બેસી અંકિતાએ મુનવ્વર ફારુકી સામે સુશાંત સિંહ રાજપુતની સાથે દિશા સાલિયાન વિશે પણ વાત થઈ હતી. આ વાતચીત દરમિયાન અંકિતાએ દિશાને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, તે સુશાંતની મેનેજર ન હતી.

સુશાંતના મૃત્યુ પહેલા મેનેજરનું મૃત્યું થયું

અંકિતા મુનવ્વરને એ કહતી જોવા મળી હતી કે, તેમણે એક સમયે લોકોને સોશિયલ મીડિયા પર બ્લોક કરી હતી. કારણ કે, કેટલાક લોકો તેને ખુબ ટ્રોલ કરી રહ્યા હતા. અંકિતા બોલી સુશાંત સાથે મારી પર પણ ખુબ મેણાટોણા મારતા હતા. જેમ કે હું તો તેની જીંદગીમાં કાંઈ હતી જ નહિ. અંકિતાની વાત સાંભળી મુનવ્વરે તેમણે પુછયું કે, સુશાંત સિંહ રાજપુતના મૃત્યુના કેટલાક દિવસ બાદ તેના મેનેજરનું મૃત્યું થયું હતુ. અંકિતા તરત જ બોલી મુનવ્વરને યોગ્ય રીતે કહ્યું નહિ તેના મૃત્યુ પહેલા મેનેજરનું મૃત્યું થયું હતુ.

શું દિશા સાલિયાન સુશાંતની મેનેજર ન હતી?

અંકિતાએ આગળ કહ્યું, “તે (દિશા) તેની મેનેજર નહોતી. તેણે (દિશા) તેને (સુશાંત) પાંચ-છ દિવસ પહેલા અથવા બે અઠવાડિયા માટે મેનેજ કર્યો હતો. પરંતુ તે મેનેજર ન હતી. ઘણી બધી ખીચડી એટલે કે વાતો કરવામાં આવી હતી” અંકિતાની વાત સાંભળીને મુનવ્વરે કહ્યું કે આવું જ થાય છે. લોકો લિંક્સ ઉમેરે છે. લોકો ઇન્ટરનેટ પર ડિટેક્ટીવ બની જાય છે અને પોતે જ લિંક્સ ઉમેરવાનું શરૂ કરે છે. અંકિતાના મોઢામાંથી નીકળેલું આ નિવેદન મોટું છે કારણ કે અત્યાર સુધી લોકો દિશાને સુશાંતની મેનેજર માનતા હતા.

પવિત્ર રિશ્તાના સેટ પર મળ્યું દિલ

આ દરમિયાન અંકિતાએ એ પણ કહ્યું કે, 26 ફ્રેબુઆરી 2016ના રોજ સુશાંત સિંહ રાજપુતથી અલગ થઈ હતી. બંન્ને પવિત્ર રિશ્તાના સેટ પર પર પહેલી વખત મળ્યા હતા અને શૂટિંગ શરુ થતાં પહેલા એક મહિનાએ એકબીજાને ડેટ કરવાનું શરુ કર્યું હતુ. બંન્નેનો સંબંધ 7 વર્ષ સુધી ચાલ્યો હતો.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત
દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત
મહેસાણાના કડીમાં કબાટમાં પૂરાઈ જવાથી 7 વર્ષીય બાળકીનું મોત
મહેસાણાના કડીમાં કબાટમાં પૂરાઈ જવાથી 7 વર્ષીય બાળકીનું મોત
વલસાડમાંથી વધુ એક માદક પદાર્થ બનાવતી ફેકટરી ઝડપાઈ
વલસાડમાંથી વધુ એક માદક પદાર્થ બનાવતી ફેકટરી ઝડપાઈ
યાત્રાથી પરત ફરી રહેલી બસનો ગમખ્વાર અકસ્માત
યાત્રાથી પરત ફરી રહેલી બસનો ગમખ્વાર અકસ્માત
કમોસમી વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલે કરી આગાહી
કમોસમી વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">