AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમિતાભ બચ્ચન સાથે થયો મોટો અકસ્માત, કેબીસીના સેટ પર કપાઈ એક્ટરના પગની નસ

બોલિવૂડ મેગાસ્ટાર એટલે કે અમિતાભ બચ્ચનના (Amitabh Bachchan) ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. કૌન બનેગા કરોડપતિના સેટ પર એક્ટર ઘાયલ થયા છે. ડોક્ટરોએ તેમને પગ પર દબાણ ન કરવા, ચાલવા અથવા ટ્રેડમિલનો ઉપયોગ કરવાની ના પાડી છે.

અમિતાભ બચ્ચન સાથે થયો મોટો અકસ્માત, કેબીસીના સેટ પર કપાઈ એક્ટરના પગની નસ
Amitabh BachchanImage Credit source: Sony Tv
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2022 | 3:55 PM
Share

બોલિવૂડના દિગ્ગજ એક્ટર અમિતાભ બચ્ચનના (Amitabh Bachchan) ફેન્સ ‘કૌન બનેગા કરોડપતિ 14’ની (Kaun Banega Crorepati) રાહ જોતા હોય છે. મેગાસ્ટાર તેના ફેન્સ અને શોના સ્પર્ધકો સાથે વાતચીત કરવાનું પણ પસંદ કરે છે. આ દરમિયાન શોના સેટ પર અમિતાભ બચ્ચન સાથે અકસ્માત થયો હતો. મેગાસ્ટારને પગમાં વાગ્યું હતું, જેના કારણે તેમને ટાંકા લેવા પડ્યા હતા. આ વાતનો ખુલાસો બિગ બીએ પોતાના બ્લોગમાં કર્યો છે.

અમિતાભ બચ્ચન તેમના બ્લોગ દ્વારા તેમના પર્સનલ જીવન સાથે જોડાયેલ કિસ્સાઓ અને યાદોને દરેક સાથે શેયર કરે છે. આવામાં તેમને તેના નવા બ્લોગમાં જણાવ્યું છે કે સેટ પર પગની નસ કપાવાને કારણે તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ રાહતના સમાચાર એ છે કે એક્ટર હવે સંપૂર્ણ સ્વસ્થ છે. પરંતુ થોડા સમય માટે પોતાના પગ પર ઓછો ભાર મૂકવાનો છે. બિગ બીએ તેમના બ્લોગ દ્વારા જણાવ્યું છે કે તેમને આ ઈજા કેવી રીતે થઈ.

આ ઘટના વિશે અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું છે કે, મારા શૂઝમાં લાગેલા એક ધાતુના ટુકડાથી મારા ડાબા પગની નસ કપાઈ ગઈ. જ્યારે પગ કપાયા પછી સતત લોહી નીકળવા લાગ્યું ત્યારે સમયસર સ્ટાફ અને ડોક્ટરોની ટીમે મને મદદ કરી. સમયસર ડોક્ટરની સહાયથી હું સાજો થઈ ગયો, પરંતુ કેટલાક ટાંકા લેવામાં આવ્યા છે.

અમિતાભ બચ્ચને આગળ લખ્યું છે કે ડોક્ટરોએ ઊભા ન રહેવા, હલનચલન ન કરવા, ટ્રેડમિલ પર ચાલવાની અને પગ પર દબાણ આપવાની મંજૂરી આપી નથી!! પરંતુ આ સમય લાંબો નહીં ચાલે. તેઓ કાં તો નાશ પામે છે અથવા શરીર પર તેમની છાપ છોડી દે છે. આ એક અકળામણનું કારણ બને છે. તેમાંથી બહાર આવવામાં થોડો સમય લાગે છે. તો ભગવાન મને આમાંથી બહાર આવવામાં મદદ કરે.

‘કૌન બનેગા કરોડપતિ’ના પ્રેઝેન્ટરનું કહેવું છે કે ડોક્ટરોએ તેમને પગ પર દબાણ ન કરવા, ચાલવા અથવા ટ્રેડમિલનો ઉપયોગ કરવાની ના પાડી છે. એક્ટરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ પણ શેયર કરી છે. જેમાં તે સેટ પર દોડતો જોવા મળે છે.

Follow Us
અખાત્રીજ નિમિત્તે જગન્નાથ મંદિરમાં રથ પૂજન, જુઓ વીડિયો
અખાત્રીજ નિમિત્તે જગન્નાથ મંદિરમાં રથ પૂજન, જુઓ વીડિયો
કમોસમી વરસાદનું એલર્ટ! ગુજરાતના આ વિસ્તારોમાં ખાપકી શકે કમોસમી વરસાદ
કમોસમી વરસાદનું એલર્ટ! ગુજરાતના આ વિસ્તારોમાં ખાપકી શકે કમોસમી વરસાદ
કેરી રસીયાઓેએ હવે કેસર માટે બહુ નહીં જોવી પડે રાહ, હરાજીનો થયો પ્રારંભ
કેરી રસીયાઓેએ હવે કેસર માટે બહુ નહીં જોવી પડે રાહ, હરાજીનો થયો પ્રારંભ
તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ
તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ
નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ
નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ
રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર
રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર
અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'
અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
g clip-path="url(#clip0_868_265)">