સાઉથના લોકપ્રિય અભિનેતાનું નિધન, છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં કરાયા હતા દાખલ

સાઉથના અભિનેતા વિવેકનું 17 એપ્રિલ વહેલી સવારે નિધન થયું છે. તેમને છાતીમાં દુખાવાની ફરિયાદના કારણે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.

સાઉથના લોકપ્રિય અભિનેતાનું નિધન, છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં કરાયા હતા દાખલ
Vivek (File Image)
Follow Us:
| Updated on: Apr 17, 2021 | 9:42 AM

લોકપ્રિય તમિલ અભિનેતા વિવેકનું શનિવારે ચેન્નઈની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં એવું કહેવામાં આવ્યું છે કે સવારે 4:35 વાગ્યે તેણે વિશ્વમાંથી વિદાય લીધી હતી. શુક્રવારે એક દિવસ પહેલા જ તેમને છાતીમાં દુ:ખાવો થયાની ફરિયાદ બાદ બેભાન થઈ જતા ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 59 વર્ષના હતા.

જણાવી દઈએ કે વિવેકને શુક્રવારે હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત નાજુક રહી હતી. કહેવામાં આવ્યું હતું કે 100 ટકા બ્લોકેજને કારણે તેમને હાર્ટ એટેક આવ્યો છે. આ પછી જ્યારે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તે બેભાન થઈ ગયા હતા. તેથી, ડોકટરોએ તેને એક્સ્ટ્રા કોર્પોરલ મેમ્બ્રેન ઓક્સિજન (ઇસીએમઓ) પર તેમને રાખ્યા હતા. તમામ પ્રયાસો છતાં અભિનેતાને બચાવી શક્યા નહીં.

વિવેકના અવસાન પછીથી સોશ્યલ મીડિયા પર ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને તેમના આત્માની શાંતિની કામના કરી રહ્યા છે. જણાવી દઈએ કે વિવેક સાઉથની સાથે સાથે દેશભરમાં ઘણા લોકપ્રિય હતા.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

તમને જણાવી દઈએ કે કે અભિનેતા વિવેકને સવારે 11 વાગ્યે તેના પરિવારના સભ્યો દ્વારા સ્તબ્ધ સ્થિતિમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, અને પછી તરત જ તેમને હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટની ટીમ દ્વારા હોશમાં પાછા લાવવામાં આવ્યા હતા. એન્જીયોપ્લાસ્ટી અને સ્ટંટ નાખવાની પ્રક્રિયાને અપનાવામાં આવી હતી. કારણ કે મુખ્ય રક્ત વાહિની સંપૂર્ણપણે બ્લોક થઇ ગઈ હતી.

પદ્મ શ્રી એવોર્ડ વિવેકે રજનીકાંત, વિજય અને અજિત કુમાર સહિત અનેક મોટા તમિલ અભિનેટાઓ સાથે કામ કર્યું છે. તે કેટલીક ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે પણ દેખાઈ ચૂક્યા છે અને પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવામાં સક્રિય રહ્યા હતા.

જણાવી દઈએ કે વિવેકને 15 એપ્રિલે કોરોના રસી મળી હતી. તે તેના મિત્ર સાથે સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતો. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તે સરકારી હોસ્પિટલમાં કેમ રસી લઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ‘દરેક વર્ગના લોકો સરકારી હોસ્પિટલમાં પહોંચે છે. તેની પહોંચ વહુ લોકો સુધી છે. કોવિડ રસી યોગ્ય છે. તમે તેને લીધા પછી બીમાર થશો નહીં. તેને લીધા કર્યા પછી, ભય ઘણી હદ સુધી ઘટી જશે.

15 એપ્રિલના રોજ, વિવેકને રસી આપવામાં આવી હતી અને 16 એપ્રિલે છાતીમાં દુખાવો થવાને કારણે તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આ પછી તમિળનાડુના આરોગ્ય પ્રધાન વિજય ભાસ્કરે તેમની બગડતી હાલત પર દુ: ખ વ્યક્ત કરતાં એક ટ્વીટ કર્યું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">