Sushant Singh Rajput Case: CBIએ બંધ નથી કર્યો એક્ટરનો કેસ, પુણ્યતિથિ પર શેર કર્યુ અપડેટ

સુશાંતના કેસની તપાસમાં સીબીઆઈ, એનસીબી બધા લાગેલા છે. દરેક વ્યક્તિ આ કિસ્સામાં નવા અપડેટની રાહ જોઈ રહ્યા છે.

Sushant Singh Rajput Case: CBIએ બંધ નથી કર્યો એક્ટરનો કેસ, પુણ્યતિથિ પર શેર કર્યુ અપડેટ
Sushant Singh Rajput
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 14, 2021 | 8:21 PM

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે (Sushant Singh Rajput) ગયા વર્ષે 14 જૂને આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા હતા. તે તેમના મુંબઈ સ્થિત ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. સુશાંતને આમ છોડીને જતા રહેવાના દુઃખમાંથી તેમના ચાહકો બહાર આવી શક્યા નથી. તેઓ સુશાંત માટે ન્યાયની માંગ કરતા રહે છે. સુશાંતના કેસની તપાસમાં સીબીઆઈ, એનસીબી બધા લાગેલા છે. દરેક વ્યક્તિ આ કિસ્સામાં નવા અપડેટની રાહ જોઈ રહ્યા છે.

આજે સુશાંતની પુણ્યતિથિ પર સીબીઆઈએ કહ્યું છે કે આ કેસ બંધ નથી થયો. અહેવાલો અનુસાર આ કેસની તપાસ ચાલી રહી છે. એક રિપોર્ટ મુજબ સીબીઆઈના સૂત્રોએ કહ્યું છે કે એમ કહેવું ખોટું હશે કે સુશાંત સિંહ રાજપૂતનો કેસ બંધ કરવામાં આવ્યો છે. તપાસ હજી ચાલુ છે અને અમે દરેક એંગલથી તપાસ કરી રહ્યા છીએ.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

એનસીબીએ સિદ્ધાર્થ પિઠાણીની ધરપકડ કરી

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સનો એંગલ સામે આવ્યા બાદ એનસીબીએ ઘણા ડ્રગ્સ પેડલર્સની ધરપકડ કરી હતી. આ સાથે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેનો ભાઈ શોવિકની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. રિયા લગભગ 1 મહિના સુધી જેલમાં હતી.

ત્યારબાદ તેને જામીન મળી ગયા હતી. તાજેતરમાં જ એનસીબીએ આ કેસમાં સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાણીની ધરપકડ કરી છે. સિદ્ધાર્થ હાલમાં એનસીબીની કસ્ટડીમાં છે. સિદ્ધાર્થની ધરપકડ કરવામાં આવ્યા પછી એનસીબી દ્વારા તેમના નોકરોની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

રિયાનું નિવેદન આવ્યું સામે

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીએ એનસીબી સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું, તે તાજેતરમાં જ સામે આવ્યું છે. આ નિવેદનમાં રિયાએ કહ્યું હતું કે સુશાંત તેને મળ્યા તે પહેલાં ડ્રગ્સ લેતા હતા અને તેના પરિવારને આ વાતની જાણકારી હતી. તેણે પરિવાર પર આરોપ લગાવ્યો છે કે સુશાંતની બહેને તેમને કેટલીક દવાઓનું સેવન કરવાનું કહ્યું હતું જે ડ્રગ્સ હતી. આ દવાઓ સુશાંતના મૃત્યુનું કારણ બની શકે છે.

આજે સુશાંતની પુણ્યતિથિ પર તેમના ચાહકો અને મિત્રો તેમને યાદ કરી રહ્યા છે. તેમના ચાહકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ્સ શેર કરી છે. ભૂમિ પેડનેકર (Bhumi Pednekar), સંજના સાંઘી (Sanjana Sanghi ) સહિતના ઘણા સેલેબ્સે પણ આ દિવસે સુશાંતને યાદ કર્યા છે.

આ પણ વાંચો: SSR Death Anniversary: સુશાંતસિંહ રાજપૂતની પ્રથમ પૂણ્યતિથિ પર જુઓ તેમની કોલેજ સાથે સંબંધિત 10 યાદ

Latest News Updates

હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
g clip-path="url(#clip0_868_265)">