થિયેટરોમાં સૂર્યવંશીની સફળતાથી ઉત્સાહિત છે આયુષ્માન ખુરાના, ફિલ્મ ‘ચંડીગઢ કરે આશિકી’ પાસેથી ઘણી આશાઓ

આયુષ્માન કહે છે, “મારા જીવનની ઘણી પ્રિય યાદો થિયેટરોમાં ફિલ્મો જોવાની સાથે જોડાયેલી છે. સાચું કહું તો, હું ખૂબ જ ખુશ છું કે હિન્દી ફિલ્મો હવે સિનેમાઘરોમાં રિલીઝ કરવા અને ધમાકેદાર પુનરાગમન કરવા માટે તૈયાર છે.

થિયેટરોમાં સૂર્યવંશીની સફળતાથી ઉત્સાહિત છે આયુષ્માન ખુરાના,  ફિલ્મ 'ચંડીગઢ કરે આશિકી' પાસેથી ઘણી આશાઓ
Ayushmann Khurrana
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 12:03 AM

બોલિવૂડ સ્ટાર આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) ખૂબ જ ખુશ છે કે સૂર્યવંશી (Sooryavanshi) સાથેની બોલિવૂડ ફિલ્મો થિયેટરોમાં ધમાકેદાર પાછી આવી છે. રોગચાળો ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે અને તેથી જ આયુષ્માનને લાગે છે કે લોકો ફક્ત મોટા પડદા પર જ ફિલ્મો જોવાનું પસંદ કરશે, કારણ કે વાયરસને કારણે લગભગ બે વર્ષ અન્ય લોકોથી દૂર રહ્યા પછી હવે દરેક વ્યક્તિ સાથે મળીને મનોરંજનનો આનંદ માણવા માંગે છે. તેઓ એ વાતથી રોમાંચિત છે કે તેમની આગામી ફિલ્મ ‘ચંડીગઢ કરે આશિકી’ (Chandigarh Kare Aashiqui) થિયેટરોમાં રિલીઝ થવાની છે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

ભારતમાં કન્ટેન્ટ સિનેમાના પોસ્ટર બોય તરીકે જાણીતા આયુષ્માન કહે છે “મારા જીવનની ઘણી પ્રિય યાદો થિયેટરોમાં ફિલ્મો જોવાની સાથે જોડાયેલી છે. સાચું કહું તો હું ખૂબ જ ખુશ છું કે હિન્દી ફિલ્મો હવે સિનેમાઘરોમાં રિલીઝ કરવા અને ધમાકેદાર પુનરાગમન કરવા માટે તૈયાર છે. મને ખાતરી છે કે લોકો સિનેમા જોવા અને પહેલા જેવો અનુભવ પ્રાપ્ત કરવા માટે મોટા પડદા પર ફરી એકવાર આવશે.

થિયેટરમાં જવાનો તેમનો નિર્ણય ફક્ત ઈવેન્ટ ફિલ્મો અથવા કોઈ ચોક્કસ શૈલી અથવા સ્ટાર કાસ્ટ પર આધારિત રહેશે નહીં. તેમનો નિર્ણય ફિલ્મોની કન્ટેન્ટ પર આધારિત હશે.” બેક-ટુ-બેક આઠ હિટ ફિલ્મો આપનાર આ સ્ટાર તેમની આગામી રોમેન્ટિક-કોમેડી ફિલ્મ ‘ચંડીગઢ કરે આશિકી’ સાથે મોટા પડદા પર પુનરાગમન કરવા માટે તૈયાર છે અને નિશ્ચિત રીતે આ ફિલ્મ દર્શકોને સાચા પ્રેમની પરિભાષાનો સંદેશ આપશે.

થિયેટરોમાં છે મૂવી જોવાની ખરી મજા

આયુષ્માન કહે છે, “એક ઉદ્યોગ તરીકે અમારે પ્રેક્ષકોને ભરપૂર મનોરંજન સાથે એટલો શાનદાર અનુભવ આપવો પડશે જેને તેઓ તેમના હૃદયમાં જાળવી રાખે અને ફિલ્મો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ તેમની વચ્ચે ચર્ચાનો વિષય બની જાય. મને ખાતરી છે કે અમે તે કરી શકીશું અને ફિલ્મ જોવાને ફરીથી પહેલાની જેમ કમ્યુનિટી એક્સપીરિયન્સ બનાવી દઈશું. આપણે એક એવા દેશમાં રહીએ છીએ જ્યાં લોકો તેમના પરિવાર અને મિત્રો સાથે થિયેટરોમાં જવાનું પસંદ કરે છે.”

ઈન્ડસ્ટ્રીમાં જબરદસ્ત કમબેકની તૈયારી

તે આગળ કહે છે, “લોકો સમય કાઢીને મૂવી જોવે છે અને પરિવાર માટે તે એક ઉત્સવ જેવો મોકો હોય છે અને મને લાગે છે કે આ બધી વસ્તુઓ ફરી પાછી આવશે. આ માટે માત્ર બહેતરીન ફિલ્મોની જરૂર છે. હું આશા રાખું છું કે મારી ફિલ્મો દર્શકોને થિયેટરોમાં પાછા લાવવામાં ફાળો આપે.

ફિલ્મ ઉદ્યોગ માટે મોટાપાયે પુનરાગમન કરવાનો આ યોગ્ય સમય છે.”આયુષ્માનની આવનારી ફિલ્મોની યાદીમાં અનુભવ સિન્હાની ‘અનેક’, અનુભૂતિ કશ્યપની ‘ડૉક્ટર જી’ અને આનંદ એલ. રાય દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવેલી ફિલ્મ ‘એક્શન હીરો’ શામેલ છે.

આ પણ વાંચો :- Bigg Boss 15: વિશાલે ઉડાવી શમિતા અને રાકેશના સંબંધોની મજાક, એક્સ વાઈફ રિદ્ધિ ડોગરાએ ગુસ્સામાં કહી આ વાત

આ પણ વાંચો :- Sooryavanshi BO Collection Day 6: અક્ષય કુમારની ફિલ્મનો જાદુ અટકવા માટે નથી તૈયાર, છઠ્ઠા દિવસે કરી અધધધ કમાણી

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">